રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના અસર: જન્માષ્ટમીના મેળામાં ફન રાઇડ્સ અંગે અનિશ્ચિતતા નિયમો કડક બન્યા

Rajkot Janmashtami Fair Fun Rides Rules Strict : રાજકોટમાં ગેમિંગ ઝોનમાં આગ દુર્ઘટનાની અસર જન્માષ્ટમીના મેળામાં જોવા મળી છે, તંત્રએ નિ.મો કડક બનાવ્યા છે. રાઈડ ઓપરેટર બુકિંગ લાયસન્સ માટે અરજી કરી મંજૂરી લેવી પડશે.

Written by Kiran Mehta
Updated : August 24, 2024 15:28 IST
રાજકોટ ગેમ ઝોન આગ દુર્ઘટના અસર: જન્માષ્ટમીના મેળામાં ફન રાઇડ્સ અંગે અનિશ્ચિતતા નિયમો કડક બન્યા
રાજકોટ જન્માષ્ટમી મેળામાં ફન રાઈડ્સ ને લઈ અનિશ્ચિતતા

ગુજરાતના રાજકોટમાં સરકાર દ્વારા આયોજિત વાર્ષિક જન્માષ્ટમી સાંસ્કૃતિક મેળાનું આજે શનિવારે થોડી ક્ષણોમાં ઉદઘાટન થવાનું છે, પરંતુ રાઈડ ઓપરેટર્સે કોર્ટનો સંપર્ક કર્યો કારણે કે, આયોજકોએ રાઈડ પર પ્રતિબંધ મૂક્યો છે.

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ શનિવારે સાંજે 4.30 કલાકે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભા જોષીની અધ્યક્ષતામાં લોકમેળા સમિતિ દ્વારા આયોજિત વાર્ષિક સાંસ્કૃતિક મેળા જન્માષ્ટમી મેળાનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા. 1984 થી સરકાર દ્વારા આયોજિત આ પાંચ દિવસીય મેળામાં વિવિધ યાંત્રિક મનોરંજક રાઇડ્સ સૌથી મોટા આકર્ષણો પૈકી એક છે.

17 ઓગસ્ટના રોજ, સમિતિએ રાજકોટના ઓપરેટર વિરેન્દ્રસિંહ ગોહિલને મનોરંજન રાઈડ માટે 31 પ્લોટ ફાળવ્યા હતા, જેની કુલ કિંમત રૂ. 1.27 કરોડ હતી. જો કે, આયોજક સમિતિએ ગુરુવારે સાંજે રેસકોર્સ ગ્રાઉન્ડ મેળાના સ્થળે રાઇડ્સ ઇન્સ્ટોલ કરવાનું કામ સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો, જેના કલાકો પછી ગોહિલે ગુજરાત હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો.

ગોહિલે 22 ઓગસ્ટના રોજ હાઈકોર્ટમાં રાજકોટ સિટી એમ્યુઝમેન્ટ રાઈડ્સ એન્ડ ગેમિંગ ઝોન સેફ્ટી રૂલ્સ, 2024 ના પાલનમાં છૂટછાટ મેળવવા અરજી કરી હતી. ગોહિલે રાઈડ ચલાવવા માટે 44 માંથી બે શરતોનું પાલન કરવા માટે વધુ સમય માંગ્યો હતો, જેમાં ઉત્પાદકોની વિગતો અને રાઈડના બાંધકામની તારીખનો સમાવેશ થાય છે. ગોહિલે પોતાના એડવોકેટ મારફત કોર્ટને જણાવ્યું હતું કે, તેણે રાજસ્થાનથી રાઈડ બુક કરાવી છે અને તેના વિશે માહિતી એકત્રિત કરવામાં સમય લાગશે.

ગોહિલે દલીલ કરી હતી કે, જિલ્લા કલેક્ટરે તેમને પ્લોટ ફાળવણી પત્રો આપ્યા નથી, જેની તેમને બુકિંગ લાયસન્સ માટે અરજી કરવાની જરૂર હતી, તેમ છતાં તેમણે રૂ. 1.27 કરોડના કુલ લેણાંમાંથી રૂ. 1 કરોડથી વધુ રકમ ચૂકવી દીધી હતી.

કોર્ટે આ કેસની આગામી સુનાવણી 27 ઓગસ્ટના રોજ નિયત કરી

આ વર્ષે 25 મેના રોજ રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ બનાવવામાં આવેલા નવા નિયમો હેઠળ, જેમાં 27 લોકોના મોત થયા હતા, જ્યારે રાઈડ ઓપરેટર બુકિંગ લાયસન્સ માટે અરજી કરે છે, ત્યારે માર્ગ અને મકાન વિભાગના એન્જિનિયરોની એક ટેકનિકલ કમિટી. પોલીસ સલામતીના દૃષ્ટિકોણથી સવારીનું નિરીક્ષણ કરે છે અને પોલીસ કમિશનરને પોતાનો અભિપ્રાય આપે છે. આ પછી કમિશનર અરજી પર અંતિમ નિર્ણય લે છે.

જોકે, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ શુક્રવારે મોડી સાંજે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનમાં જન્માષ્ટમીના મેળામાં કોઈએ બુકિંગ લાયસન્સ માટે અરજી કરી નથી. તેમણે કહ્યું કે, તેમની ઓફિસને ચાર ખાનગી ફન ફેર આયોજકો તેમજ બાલ ભવન તરફથી મનોરંજનની સવારી માટે લાયસન્સ બુક કરવા માટે અરજી મળી છે. પરંતુ ઝાએ કહ્યું કે, અરજી દાખલ કરવાની વિન્ડો હજુ ખુલ્લી છે. “તેઓ હજુ પણ અરજી કરી શકે છે.

તેમણે કહ્યું કે, CP (પોલીસ કમિશનર) ઓફિસ અને કંટ્રોલ રૂમની લાયસન્સ શાખા ચોવીસ કલાક ખુલ્લી છે. તેઓ ગમે ત્યારે આવીને અરજી કરી શકે છે. કલેક્ટર સાથેની મારી ચર્ચા મુજબ સમિતિના ટેકનિકલ હેડની ઓફિસ આવતીકાલે રજા હોવા છતાં ખુલ્લી રાખવા સૂચના આપવામાં આવી છે. જો તેઓ અરજી કરે છે, તો લાઇસન્સિંગ શાખા તેની પ્રક્રિયા કરશે અને તેમને (ટેક્નિકલ સમિતિને) મોકલી આપશે, ઝાએ મીડિયાને જણાવ્યું હતું.

આ પણ વાંચો – Gujarat Weather Updates : ગુજરાતમાં મેઘાની જમાવટ, મહેસાણાના વિજાપુરમાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો

આ દરમિયાન, એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, અગાઉના ત્રણ પ્રયાસોમાં અન્ય બિડર્સે કોઈ બિડ ન કર્યા પછી પ્લોટ માટે બિડ કરનાર ગોહિલે પ્લોટની સંપૂર્ણ કિંમત ચૂકવી ન હતી. “તેઓએ શુક્રવારની મોડી રાત્રે જ અંતિમ હપ્તો ચૂકવ્યો હતો. અમે તેમને સદ્ભાવનાથી રાઇડ્સ સેટ કરવાનું શરૂ કરવાની મંજૂરી આપી હતી, એવી અપેક્ષા રાખી હતી કે, તેઓ સમયમર્યાદામાં પ્લોટની સંપૂર્ણ કિંમત ચૂકવી દેશે.” અધિકારીએ જણાવ્યું હતું કે, સંપૂર્ણ ચુકવણી વગર “અમે તેમને ફાળવણી પત્રો આપી શકતા નથી. પરંતુ ચુકવણી કરવાને બદલે, તેઓ હાઇકોર્ટમાં ગયા.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ