આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસ: ગુજરાત હાઈકોર્ટે ભાજપના પૂર્વ સાંસદ સહિત 6 ને નિર્દોષ જાહેર કર્યા

RTI activist Amit Jethwa Murder Case : આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસ મામલે ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો, જેમાં આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

RTI activist Amit Jethwa Murder Case : આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસ મામલે ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો, જેમાં આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરાયા. ગુજરાત હાઈકોર્ટની સામે જ ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
RTI activist Amit Jethwa Murder Case

આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા કેસ

સોહિની ઘોષ |RTI Activist Amit Jethwa Murder Case : ગુજરાત હાઈકોર્ટે સોમવારે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને અન્ય છ લોકોને જુલાઈ 2010ના આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની હત્યાના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા, અને અવલોકન કર્યું હતું કે "તપાસ શરૂઆતથી જ એક કપટ (માત્ર દેખાડો) હોય તેવું લાગે છે".

Advertisment

જુલાઈ 2019 માં, અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટે અમિત જેઠવા હત્યા કેસમાં આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા, જેમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકી, તેના ભત્રીજા શિવા સોલંકી, સંજય ચૌહાણ, શૈલેષ પંડ્યા, પચન દેસાઈ, ઉદાજી ઠાકોર અને તે પછી ગીર તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેરનો સમાવેશ થાય છે, જેમની સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 302 (હત્યા), 201 (ગુનાના પુરાવા ગાયબ થવાનું કારણ) અને 120B (ગુના માટે ગુનાહિત કાવતરું) હેઠળ દોષિત ઠેરવ્યા હતા..

સોમવારે ખુલ્લી અદાલતમાં ચુકાદો વાંચતા, ન્યાયમૂર્તિ એએસ સુપાહિયા અને વિમલ કે વ્યાસની ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે, વર્તમાન કેસ "સત્યમેવ જયતે" ના વિપરીત તરીકે યાદ કરવામાં આવશે અને કહ્યું કે, આ "ભયાનક અને એટલું જ આઘાતજનક" હતું કે, હુમલાખોરો પકડાયા ન હતા અને તેઓ હત્યા બાદ "અમદાવાદ શહેરની હદમાંથી" ભાગી ગયા હતા. વધુ અવલોકન કરતાં કહ્યું કે, "તપાસ શરૂઆતથી જ એક છેતરપિંડી (દેખાડો) હોય તેવું લાગે છે". બેન્ચે કહ્યું, "સત્યને કાયમ માટે દફનાવવામાં આવે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા, અને અપરાધીઓ આવુ કરવામાં સફળ થઈ ગયા."

ગુજરાત હાઈકોર્ટની સામે જ 20 જુલાઈ, 2010 ના રોજ બાર કાઉન્સિલ બિલ્ડિંગની બહાર અમિત જેઠવાની બે વ્યક્તિઓએ ગોળી મારીને હત્યા કરી હતી. અમિત જેઠવાને ગોળી માર્યા પછી, હુમલાખોરો તેમની બજાજ ડિસ્કવર મોટરસાઇકલ અને હત્યા માટે વપરાયેલી દેશી બનાવટની રિવોલ્વર પાછળ છોડીને સ્થળ પરથી ભાગી ગયા હતા. શરૂઆતમાં, આ કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી, જેણે છ આરોપીઓ સામે બે ચાર્જશીટ દાખલ કરી હતી. 2012માં, ગુજરાત હાઈકોર્ટે મૃતકના પિતાની અરજીને પગલે વધુ તપાસનો નિર્દેશ આપ્યો હતો અને CBIએ 2013માં દિનુ સામે ચાર્જશીટ દાખલ કરી હતી અને તેને આ કેસને મુખ્ય ષડયંત્રનું નામ આપ્યું હતું.

Advertisment

અનેક મોડ પર યાદીબદ્ધ કરતા આખો મામલો અપીલમાં કેસ ટકી રહેવામાં નિષ્ફળ ગયો, બેન્ચે સોમવારે તેના ચુકાદાના ઓપરેટિવ ભાગમાં જણાવ્યું હતું કે, “અમે ફરી પુનરોચ્ચાર કરીએ છીએ કે, ગુનાની શરૂઆતથી જ સમગ્ર તપાસ બેદરકારી અને પૂર્વગ્રહથી ઘેરાયેલી જણાય છે. ફરિયાદી પક્ષ સાક્ષીઓનો વિશ્વાસ સુરક્ષિત જાળવવામાં નિષ્ફળ રહ્યો છે. દોષસિદ્ધની પૂર્વ કલ્પિત ધારણા પર ટ્રાયલ કોર્ટે કાયદા અને કાયદાકીય દાખલાઓથી સ્વતંત્ર રીતે પુરાવાઓનું વિશ્લેષણ કર્યું છે. ટ્રાયલ કોર્ટ કાયદાને લેખિત મુજબ લાગુ કરવા માટે બંધાયેલી હતી, ન કે તેની પ્રવૃત્તિ અનુસાર."પરિણામે, આરોપીને દોષિત ઠેરવતો ચુકાદો આપવામાં આવ્યો હતો, જેને રદ કરવામાં આવે છે અને ફગાવી દેવામાં આવે છે."

ચુકાદામાં નાની એ પાલખીવાલાને ટાંકીને બેન્ચે કહ્યું, “આપણી લોકશાહીનું અસ્તિત્વ અને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા એ અહેસાસ પર નિર્ભર છે કે, બંધારણીય નૈતિકતા, બંધારણીય કાયદેસરતા કરતાં ઓછી આવશ્યક નથી. ધર્મ લોકોના હૃદયમાં વસે છે; જ્યારે તે ત્યાં મૃત્યુ પામે છે, ત્યારે કોઈ બંધારણ, કોઈ કાયદો, કોઈ સુધારો તેને બચાવી શકશે નહીં.

આ પણ વાંચો - સુરત ન્યૂઝ : મોટા ષડયંત્રનો પર્દાફાશ, હિન્દુ નેતાઓ હતા નિશાને, મૌલવીની ધરપકડ

ટ્રાયલ કોર્ટે 38 સાક્ષીઓ સામે કાર્યવાહી કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો, જેઓ ટ્રાયલ દરમિયાન ફરી ગયા હતા. જો કે, ગુજરાત હાઈકોર્ટે સોમવારે આવી કાર્યવાહીનો અવકાશ માત્ર આઠ સાક્ષીઓ સુધી મર્યાદિત કર્યો હતો.

195 ફરિયાદ પક્ષના સાક્ષીઓ કે જેઓ ટ્રાયલ દરમિયાન જુબાની આપવાના હતા, તેમાંથી 105 ફરી ગયા હતા, જેમાં ગોળીબારના આઠ પ્રત્યક્ષદર્શીઓનો પણ સમાવેશ થાય છે. અમિત જેઠવાના પિતા ભીખાભાઈએ ગુજરાત હાઈકોર્ટમાં ફરી સુનાવણીની માંગ કરી હતી, જેના પગલે જસ્ટિસ જે.બી. પારડીવાલાની કોર્ટે 26 સાક્ષીઓની નવેસરથી સુનાવણી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ગુજરાત હાઇકોર્ટ ગુજરાતી ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ ગુજરાત પોલીસ