અમદાવાદ સાબરમતી નદી : તિરાડ બાદ હવે અટલ બ્રિજ પર કાચની પેનલ પારદર્શિતા પણ ગુમાવી રહી

ahmedabad sabarmati river Atal bridge : અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજ પર નદી જોવા માટે લગાવવામાં આવેલા કાચ (glass panels) તેની પારદર્શિતા ગુમાવી રહ્યા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (Ahmedabad Municipal Corporation) ને કહ્યું - લોકોના ચપ્પલ નીચે ચોંટેલી માટીના ઘસારાથી કાચ ઘસાઈ ગયા છે.

ahmedabad sabarmati river Atal bridge : અમદાવાદમાં સાબરમતી નદી પર બનેલા અટલ બ્રિજ પર નદી જોવા માટે લગાવવામાં આવેલા કાચ (glass panels) તેની પારદર્શિતા ગુમાવી રહ્યા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ (Ahmedabad Municipal Corporation) ને કહ્યું - લોકોના ચપ્પલ નીચે ચોંટેલી માટીના ઘસારાથી કાચ ઘસાઈ ગયા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
ahmedabad sabarmati river Atal bridge

અમદાવાદ સાબરમતી નદી પર બનાવેલ અટલ બ્રિજના ગ્લાસ ઘસાઈ ગયા (ફોટો - નિર્મલ હરિન્દ્રન - એક્સપ્રેસ)

sabarmati river Atal bridge : સાબરમતી નદી પરના લોકપ્રિય અટલ બ્રિજમાં ગયા મહિને તિરાડ પડ્યા પછી એક કાચની પેનલ બદલવામાં આવી, હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે – કાચની પેનલ પારદર્શિતા ગુમાવી રહી છે.

Advertisment

ગયા મહિને સાબરમતી નદી પરના લોકપ્રિય અટલ બ્રિજ પર કાચની પેનલોમાંથી એકમાં તિરાડો સર્જાયા બાદ તેને બદલવામાં આવી હોવાથી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે એક નવી સમસ્યાનો સામનો કરી રહી છે – કાચની પેનલ પારદર્શિતા ગુમાવી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જ્યારે અટલ પુલ પર તિરાડો ન પડે તે માટે સાવચેતીના પગલા તરીકે, એએમસીએ તમામ આઠ કાચની પેનલને સ્ટીલની ફેન્સિંગ સાથે 1.5 મીટર બાય 2 મીટરના પરિમાણ સાથે બેરિકેડ કરી છે, તેની પારદર્શિતા જાળવવા માટે, નિષ્ણાતોએ એક માત્ર ઉકેલ સૂચવ્યો છે કે, તેને બદલવી પડશે.

SRFDCL (સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ) ના ચીફ જનરલ મેનેજર જગદીશ પટેલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું: “કાચની મજબૂતાઈ અને લોડ ક્ષમતા એ કોઈ સમસ્યા નથી, કારણ કે નિષ્ણાતો દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. પરંતુ આ ગ્લાસની પારદર્શિતા, જે આ પેનલો પર લોકો દ્વારા ચાલવાને કારણે 80 ટકા ઘટી ગઈ છે, તે એક મોટો મુદ્દો છે. જૂતાની નીચે ચોંટેલી રેતી અને ધૂળને કારણે આ ગ્લાસ ઘસાઈને અપારદર્શક બની ગયા છે.”

Advertisment

6 એપ્રિલના રોજ, સાબરમતીના પશ્ચિમ અને પૂર્વ કાંઠાને જોડતા એલિસ બ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચેના ફૂટઓવર બ્રિજ પરની આઠ કાચની પેનલોમાંથી એકમાં "સ્વયંસ્ફુરિત તિરાડો" વિકસિત થઈ હતી.

આ પણ વાંચો – કોણ છે બાગેશ્વર ધામ પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી? ગુજરાતમાં દરબાર યોજવા પર શું છે વિવાદ અને વિરોધ? કેમ થઈ રહી આટલી ચર્ચા?

નિષ્ણાતોની એક ટીમ, જેમાં વરિષ્ઠ અધિકારીઓ તેમજ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ અને ફિટિંગ નિષ્ણાતોનો સમાવેશ થાય છે, નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે પુલની મુલાકાત લીધી હતી અને પરીક્ષણો હાથ ધર્યા હતા. નિરીક્ષણ પછી, નિષ્ણાતોએ તારણ કાઢ્યું હતું કે, તિરાડો હોવા છતાં, કાચની પેનલ સુરક્ષિત રહી હતી. વપરાયેલ કાચ 500 કિગ્રા પ્રતિ ચોરસ મીટરનું વજન પકડી શકે છે.. કાચના ચાર સ્તરો સખત અને લેમિનેશન સાથે બંધાયેલા છે, જે નિષ્ણાતોએ દાવો કર્યો છે કે, તે પૂરતું મજબૂત બનાવે છે અને જોખમી નથી.

આ પુલનું ઉદઘાટન ગત ઓગસ્ટ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ અમદાવાદ ગુજરાત Express Exclusive