હિંદુ ધાર્મિક જૂથો સાથે રેલી કરે છે, શક્તિશાળી સ્વામિનારાયણ સંપ્રદાય ભીંતચિત્રના વિવાદમાં ફસાય છે

Salangpur hanuman temple graffiti controversy : સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભીંતચિંત્ર વિવાદ હજુ સમવાનું નામ નથી લઈ રહ્યો, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ સંઘર્ષ વિરામને લઈ કહ્યું, "તેઓ પણ હિંદુ હોવાનો જ દાવો કરે છે, ત્યારે પરિપક્વ લોકોએ વાતચીત દ્વારા આ મુદ્દાઓને ઉકેલવા જોઈએ. અમે નથી ઈચ્છતા કે, આપણા હિન્દુ સમાજમાં ખલેલ પહોંચે."

Salangpur hanuman temple graffiti controversy : સાળંગપુર હનુમાન મંદિર ખાતે ભીંતચિંત્ર વિવાદ હજુ સમવાનું નામ નથી લઈ રહ્યો, સ્વામી પરમાત્માનંદ સરસ્વતીએ સંઘર્ષ વિરામને લઈ કહ્યું, "તેઓ પણ હિંદુ હોવાનો જ દાવો કરે છે, ત્યારે પરિપક્વ લોકોએ વાતચીત દ્વારા આ મુદ્દાઓને ઉકેલવા જોઈએ. અમે નથી ઈચ્છતા કે, આપણા હિન્દુ સમાજમાં ખલેલ પહોંચે."

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Salangpur hanuman temple graffiti controversy

સાળંગપુર હનુમાન મંદિર ભીંતચિંત્ર વિવાદ (ફોટો - એક્સપ્રેસ)

ગોપલ બી કટેસિયા | Salangpur hanuman temple graffiti controversy : ગુજરાતના બોટાદ જિલ્લાના સાળંગપુરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની માલિકીના મંદિરમાં ભગવાન હનુમાનની પ્રતિમા પરના ભીંતચિત્રને લઈને હિન્દુ ધાર્મિક સંપ્રદાયો દ્વારા ઉભો થયેલો રોષ અને શક્તિશાળી સંપ્રદાય દ્વારા ઝડપી ગતી, બંને જૂથો વચ્ચે વધતા તણાવની નિશાની છે.

Advertisment

આ મામલો સૌપ્રથમવાર 20 ઓગસ્ટે રામાનંદી સમુદાયના એક ભક્ત દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો, જે મંદિરમાં ભગવાન રામની પૂજા કરે છે, જ્યારે તેમણે મંદિરમાં હનુમાનની મૂર્તિના નીચે નવા ભીંતચિત્રો જોયા હતા. તેણે "અપમાનજનક" ભીંતચિત્રોના ફોટોગ્રાફ્સ લીધા, ખાસ કરીને એક જેમાં હનુમાન 200 વર્ષ જૂના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીના ચરણો પાસે બેઠેલા જોવા મળ્યા હતા.

ટૂંક સમયમાં, આ મામલો સનાતન ધર્મના પ્રતિનિધિત્વ કરતા હોવાનો દાવો કરતા હિન્દુ ધાર્મિક હસ્તીઓ અને અને પ્રખ્યાત ઉપદેશક મોરારી બાપુ એ ઉઠાવ્યો.

સોમવારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વામિનારાયણ સંપ્રદાયના નેતાઓના એક પ્રતિનિધિમંડળને મળ્યા હતા. કલાકો પછી, તે ભીંતચિત્રો દૂર કરવા માટે સંમત થયા.

Advertisment

જે રાજ્યમાં આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ જ દબદબો છે, ત્યાં આ સંપ્રદાયનું પતન થવું અસામાન્ય છે. ઉદાહરણ તરીકે, એપ્રિલમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાય મંદિરમાં હનુમાન પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

RSS નેતા રામ માધવ મંદિર પહોંચ્યા બાદ મામલો વધી ગયો અને કોંગ્રેસ પણ આ મુદ્દે જોડાઈ ગઈ. કોંગ્રેસના કાર્યકરો, જેમાંથી એકે ભગવાન હનુમાનનો વેશ ધારણ કરેલો હતો, તેણે રાજકોટ જિલ્લા કલેક્ટરને એક મેમોરેન્ડમ સુપરત કર્યું, જેમાં પક્ષના નેતા મહેશ રાજપૂતે દાવો કર્યો કે, જ્યારે શાહે પ્રતિમાનું ઉદ્ઘાટન કર્યું ત્યારે ભીંતચિત્રો હાજર હતા.

રાજપૂતે પૂછ્યું, “કોઈને આશ્ચર્ય નથી થતું કે, શું ભારતના ગૃહ પ્રધાન અને ગુજરાતના પૂર્વ ગૃહ પ્રધાને ભીંતચિત્રો જોયા હતા. તેઓએ કેમ ભગવાન હનુમાન અને સનાતન ધર્મનું અપમાન કરતા ભીંતચિત્રોનો વિરોધ ન કર્યો?."

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને છોડીને, જેમણે આ વિવાદને "દુર્ભાગ્યપૂર્ણ" ગણાવ્યો હતો, આ સિવાય ભાજપના નેતાઓએ જોકે આ મુદ્દે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.

સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના સ્વામિનારાયણ દ્વારા કરવામાં આવી હતી, જેને ઘનશ્યામ, નીલકંઠવર્ણી અને સહજાનંદ સ્વામી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ 1799 માં તેમના મૂળ રાજ્ય ઉત્તર પ્રદેશથી ગુજરાતમાં આવ્યા પછી, આ સંપ્રદાયને ભાજપના મજબૂત સમર્થક તરીકે જોવામાં આવે છે, જોકે તે કોંગ્રેસ અને અન્ય પક્ષોના નેતાઓને પણ આશ્રય આપે છે.

વડતાલ સ્વામિનારાયણથી અલગ થયેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંપ્રદાયના વડા પ્રમુખસ્વામીનું 2016 માં અવસાન થયું ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના અંતિમ દર્શન માટે સાળંગપુર આવ્યા હતા.

BAPS એ મંદિર સંકુલની અક્ષરધામ શૃંખલા પણ બનાવી છે, જે પ્રથમ ગાંધીનગરમાં છે, જે 2002માં કથિત આતંકવાદી હુમલાનું લક્ષ્ય હતું. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમની વિવિધ ભાગોની મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિરોની મુલાકાત લેવાનો નિર્દેશ કરે છે.

આ પહેલીવાર નથી કે, જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયને અન્ય હિંદુ જૂથોના વિરોધનો સામનો કરવો પડ્યો હોય. સપ્ટેમ્બર 2022 માં, બ્રહ્મદેવ સમાજના રાષ્ટ્રીય મહાસચિવ મિહિર શુક્લા દ્વારા રાજકોટમાં FIR દાખલ કરવામાં આવી હતી, જેમાં આનંદસાગર સ્વામી - અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિધામ સોખડા જૂથ સાથે - કથિત રીતે "ભગવાન શિવનો અનાદર" કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

હિન્દુ ધર્મ આચાર્ય સભા (HDAS), હિન્દુ ધર્મગુરુઓની સંસ્થા અને VHPએ આખરે વડતાલ સ્વામિનારાયણ જૂથના આગેવાનો અને વિરોધ કરી રહેલા હિન્દુ નેતાઓની અમદાવાદમાં એક બેઠક યોજી મામલો થાળે પાડ્યો.

જોકે, સંપ્રદાય દ્વારા ભીંતચિત્ર હટાવવાની ખાતરી આપ્યા બાદ પણ વિવાદ શમવાનું નામ લઈ રહ્યો નથી. હિંદુ ધર્મગુરુઓએ મંગળવારે એક બેઠક યોજી હતી અને સ્વામિનારાયણ નેતાઓને તેમના સંગઠનોમાં હોદ્દા પર પ્રતિબંધ લગાવવા અને હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પર ભગવાન સ્વામિનારાયણને શ્રેષ્ઠ દેવતા તરીકે દર્શાવવા પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કર્યો હતો. અલગ તિલક લગાવવા પર સંપ્રદાય સામે વાંધો ઉઠાવ્યો હતો.

આ પણ વાંચો - સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર : ‘વિવાદાસ્પદ’ હનુમાનજીના ભીંતચિત્રો હટાવી દેવાયા

વડતાલ સ્વામિનારાયણ જૂથના વર્તમાન વડા રાકેશ પ્રસાદે સ્વામિનારાયણ સંપ્રદાય સનાતન હિંદુ ધર્મનો ભાગ હોવાનો આગ્રહ કરીને સભામાં શાંતિ રાખવાનો પ્રયાસ કર્યો હતો.

HDAS ના કન્વીનર અને જનરલ સેક્રેટરી સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, જેમણે અમદાવાદમાં સંઘર્ષ વિરામ બેઠકનું આયોજન કર્યું હતું, તેમણે આ વિવાદને સોશિયલ મીડિયા દ્વારા ઉત્તેજિત ઇકોસિસ્ટમનું ઉત્પાદન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, બંને બાજુના લોકોને નુકસાન થયું છે. તેમણે કહ્યું, "જ્યારે તેઓ પણ હિંદુ હોવાનો જ દાવો કરે છે, ત્યારે પરિપક્વ લોકોએ વાતચીત દ્વારા આ મુદ્દાઓને ઉકેલવા જોઈએ. અમે નથી ઈચ્છતા કે, આપણા હિન્દુ સમાજમાં ખલેલ પહોંચે."

Disclaimer : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, મૂળ આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્વામિનારાયણ ગુજરાતી ન્યૂઝ ગુજરાત Express Exclusive