સુખા હત્યા: સાબરમતી જેલ અધિકારીઓએ જવાબદારી સ્વીકારતી ફેસબુક પોસ્ટમાં બિશ્નોઈની ભૂમિકાને નકારી કાઢી

sukhdool singh gill killed case: કેનેડામાં સુખા દુનેકની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) એ લધી હોવાનો સોશિયલ મીડિયા પર દાવો થયો હતો, સાબરમતી જેલ (sabarmati central jail) સત્તાધિકારીઓએ આ દાવાને ફગાવી કહ્યું, આ શક્ય નથી, જેલમાં તેને મળવાની પણ કોઈને મંજૂરી નથી, તેણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ નથી કર્યું.

sukhdool singh gill killed case: કેનેડામાં સુખા દુનેકની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) એ લધી હોવાનો સોશિયલ મીડિયા પર દાવો થયો હતો, સાબરમતી જેલ (sabarmati central jail) સત્તાધિકારીઓએ આ દાવાને ફગાવી કહ્યું, આ શક્ય નથી, જેલમાં તેને મળવાની પણ કોઈને મંજૂરી નથી, તેણે સોશિયલ મીડિયા પર આ પોસ્ટ નથી કર્યું.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
sabarmati central jail, Sabarmati jail, Lawrence Bishnoi, India news, Indian express, Indian express India news, Indian express India

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ

સોહિની ઘોષ : અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલના સત્તાધિકારીઓએ જણાવ્યું કે, ઓગસ્ટથી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કેનેડામાં સુખદૂલ સિંહ ગિલ ઉર્ફે સુખા દુનેકેની હત્યાની જવાબદારી સ્વીકારતી ગુરુવારે બહાર આવેલી ફેસબુક પોસ્ટમાં તેની કોઈ ભૂમિકા નથી.

Advertisment

બંબીહા ગેંગના કથિત સાથી દુનેકેની બુધવારે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એક દિવસ પછી, પંજાબની પ્રતિસ્પર્ધી ગેંગ બિશ્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયાએ ફેસબુક પર અલગ-અલગ પોસ્ટમાં હત્યાની જવાબદારી સ્વીકારી.

જો કે, સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ શ્વેતા શ્રીમાળીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, “લોરેન્સે અહીંથી (જેલમાં) આ પોસ્ટ કર્યું હોય તેવું નથી. શક્ય છે કે, તેના નામ હેઠળ ઘણા નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ કાર્યરત છે, શક્ય છે કે, તે કોઈ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હોય. સોશિયલ મીડિયા પોસ્ટ વિશે, હું ખાતરીપૂર્વક કહી શકું છું કે, તે ન તો તેના દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી અને ન તો તેણે સંમતિ આપી હતી. આવી પોસ્ટ થઈ ત્યાં સુધી કોઈ તેને મળવા પણ આવ્યું ન હતું અને કોઈએ તેમની સંમતિ પણ માંગી ન હતી. તેની મંજૂરી અથવા સંમતિ વિના આ પોસ્ટ કરનાર કોઈપણ હોઈ શકે છે.”

ગૃહ મંત્રાલયે 30 ઓગસ્ટના એક આદેશમાં ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 268 ની જોગવાઈઓ હેઠળ બિશ્નોઈની જેલમાં હિલચાલ પર રોક લગાવી હતી, જેના દ્વારા સરકાર નિર્દેશ કરી શકે છે કે કોઈપણ વ્યક્તિને તે જેલમાં બધાથી દૂર કરવામાં આવે તથા કેદ અથવા અટકાયત કરી શકાય છે.

Advertisment

નવી દિલ્હીની તિહાર જેલમાં બંધ બિશ્નોઈને સપ્ટેમ્બર 2022માં કચ્છના જખૌ કિનારેથી રૂ. 194.97 કરોડની કિંમતનું 38.994 કિલો હેરોઈન જપ્ત કરવાના સંબંધમાં ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા પહેલીવાર એપ્રિલમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

ભટિંડા જેલમાંથી ટ્રાન્ઝિટ વોરંટ પર લાવ્યા બાદ એ જ હેરોઈન જપ્તી કેસમાં તેની સામે UAPA ના આરોપો ઉમેરવામાં આવ્યા બાદ, ઓગસ્ટમાં ATS એ તેને બીજી વખત કસ્ટડીમાં લીધો હતો. તેને ચાર દિવસની ATS કસ્ટડીમાં મોકલ્યા બાદ તેને ન્યાયિક કસ્ટડીમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યો હતો.

એટીએસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેની તપાસ પૂર્ણ થયા બાદ આ કેસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) ને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

MHA દ્વારા પ્રતિબંધિત આદેશને અસ્થાયી ધોરણે રદ કરવામાં આવ્યા બાદ 14 થી 18 સપ્ટેમ્બર સુધી NIA ની કસ્ટડીમાં રહેલા બિશ્નોઈ 18 સપ્ટેમ્બરના રોજ ન્યાયિક કસ્ટડીમાં પાછો સાબરમતી જેલમાં હતો.

આ દરમિયાન, બિશ્નોઈના વકીલ આનંદ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આરોપીને તેના વકીલને મળવાની પણ મંજૂરી આપવામાં આવી નથી. તેમણે કહ્યું કે, “NIA પબ્લિક પ્રોસિક્યુટરે માહિતી આપી હતી કે, CrPC સેક્શન 268 હેઠળ કેન્દ્ર સરકારનો આદેશ પસાર કરવામાં આવ્યો છે, જેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. હું તેમના વકીલ તરીકે જેલમાં તેમને મળવા ગયો હતો, પરંતુ મને તેમને મળવાની પરવાનગી આપવામાં આવી ન હતી."

આ પણ વાંચો - ગુજરાત : કનોસણ ગામ, દલિત સંચાલિત FPS દુકાનમાંથી ગ્રામજનો રાશન નહીં ખરીદે, કલેકટરે તમામ રાશન કાર્ડ નજીકના ગામમાં કર્યા ટ્રાન્સફર

વધુમાં, તેને "ગેંગસ્ટર અને આતંકવાદી" તરીકે ઓળખવામાં આવે છે, તેના પર વાંધો ઉઠાવતા, બિશ્નોઈએ 18 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની વિશેષ NIA કોર્ટ સમક્ષ દાખલ કરેલી અરજીમાં, અદાલતને આ અંગે તપાસ એજન્સીને આદેશો આપવા વિનંતી કરી હતી. "મારા ભૂતકાળ અને ભવિષ્યને જોવા માટે મારી પોતાની ધારણા અને ખ્યાલો છે પરંતુ, જો કોઈ મને આતંકવાદી કે ગેંગસ્ટર તરીકે સંબોધે તો હું તેનો સખત વિરોધ કરું છું. મને આજ સુધી ક્યારેય કોઈ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો નથી. તેમ છતાં, મારી સાથે એક દોષિત કેદી તરીકે વ્યવહાર કરવામાં આવ્યો છે." બિશ્નોઈએ તેમની અરજીમાં જણાવ્યું હતું.

તેણે રજૂઆત કરી હતી કે, તે વિદ્યાર્થી સંઘનો પ્રતિનિધિ છે, લગભગ 10 વર્ષથી જેલમાં છે અને "વિવિધ એજન્સીઓ દ્વારા જુદા જુદા કેસોમાં સતત ખોટી રીતે પિન કરવામાં આવી રહ્યો છે".

ખાલિસ્તાન કેનેડા ગુજરાતી ન્યૂઝ india અમદાવાદ ગુજરાત વિશ્વ દેશ