/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Surat-Chemical-Company-fire-Seven-workers-killed.jpg)
સુરત આગની ઘટનામાં સાત કામદારના મોત - 8ની હાલત ગંભીર
Surat Chemical Company Fire Seven Workers Killed : સુરતમાં સચિન જીઆઈડીસીમાં કેમિકલ કંપની એથર ઈન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર આગ લાગવાની ઘટનાના 24 કલાક બાદ મોટો ખુલાસો સામે આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવાની કામગીરીમાં કંપનીમાં સાત આગમાં ભડથુ થઈ ગયેલા માનવ કંકાલ મળ્યા છે. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી ગઈ છે.
આગમાં સાત કામદારો ભડથું, 8 લોકો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારે વહેલી સવારે 1.50 AM ની આપાસ સુરતની સચિન જીઆઈડીસીમાં એથર ઈન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર આગ ફાટી નીકળી હતી. જેમાં 27 જેટલા કામદારો દાઝી જતા ઈજાગ્રસ્ત થયા હતા, અને તપાસમાં સામે આવ્યું હતુ કે, હજુ સાત કામદારો લાપતા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાની કામગીરી છેલ્લા 24 કલાકથી ચાલી રહી હતી. આખરે પહેલા 6 અને બાદમાં એક માનવ કંકાલ મળી આવ્યો છે, જેને પોલીસે પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. આ સિવાય આઠ લોકો 70 થી 90-95 ટકા દાઝી ગયેલા કામદારો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મૃતદેહ ઓળખી શકાયા નથી, ડીએનએ કરીશુ - સુરત પોલીસ
ગુરુવારે સવારે સાત મૃતદેહો સ્થળ પરથી મળી આવ્યા હતા. જ્યારે મૃતદેહો ઓળખી શકાયા નથી, પોલીસને શંકા છે કે તે સાત મજૂરો છે જેઓ બુધવારે ગુમ થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
“આજે સવારે ફાયર સાઇટ પરથી મૃતદેહો મળી આવ્યા હતા. અમારી પાસે એવા સાત મજૂરોના નામોની યાદી છે જેઓ શોધી શકાયા નથી. અમને શંકા છે કે મૃતદેહો તેમના જ છે. અમે આ મૃતદેહોના ડીએનએ સેમ્પલ લઈશું અને તેમની ઓળખ માટે તેમના પરિવારના સેમ્પલ સાથે મેચ કરીશું. અમે પરિવારના સભ્યોનો સંપર્ક કરી રહ્યા છીએ,” મદદનીશ પોલીસ કમિશનર આર એલ માવાણીએ જણાવ્યું હતું.
#WATCH | Gujarat: A massive fire broke out in a chemical factory in the Sachin Gidc area of Surat. Fire tenders present at the spot. More details awaited. pic.twitter.com/pz2tzyGJnI
— ANI (@ANI) November 29, 2023
મૃતકોના નામ જાહેર કરાયા
જ્યારે મૃતદેહોને નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, ત્યારે પોલીસે ગુમ થયેલા મજૂરોની ઓળખ દિવ્યેશ પટેલ, સંતોષ વિશ્વકર્મા, સનતકુમાર મિશ્રા, ધર્મેન્દ્ર કુમાર, ગણેશ પ્રસાદ, સુનિલ કુમાર અને અભિષેક સિંહ તરીકે કરી હતી
એથર કંપનીએ વળતરની બતાવી તૈયારી
એથર કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિવ્યેશ પટેલ કંપનીના કર્મચારી હતા અને અન્ય છ લોકો કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા હતા. “અમે વળતર આપવા તૈયાર છીએ. અમે સરકારી નિયમો મુજબ વળતર આપીશું. અમે મૃતકોના પરિવારજનોને વધારાની રકમ પણ આપીશું.” એથર ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર કમલ તુલસિને જણાવ્યું હતું.
આગ કેવી રીતે લાગી?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સચિન જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝની મેન્યુફેક્ચરિંગ સાઈટ પર એક મોટી કેમિકલ સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ થતાં સવારે લગભગ 2 વાગ્યે આગ ફાટી નીકળી હતી.
ઉલ્લેખનીય છે કે, આગની માહિતી મળતા સચિન, ઉધના અને મજુરાથી ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ચીફ ફાયર ઓફિસર બસંત પારીકના જણાવ્યા અનુસાર, જ્વલનશીલ કેમિકલ સામગ્રી ટેટ્રાહાઈડ્રોફ્યુરાન ધરાવતી કેમિકલ સ્ટોરેજ ટાંકીમાં વિસ્ફોટ થયો હતો અને આગ યુનિટના વિવિધ વિસ્તારોમાં ફેલાઈ ગઈ હતી.
ગુજરાતના સુરત શહેરમાં બુધવારે સવારે એક કેમિકલ પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 27 કામદારો ઘાયલ થયા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘાયલ થયેલા કામદારોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પરીખે જણાવ્યું હતું કે, આગ પર કાબૂ મેળવવા માટે 11 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. “અમે કેમિકલયુક્ત ફોમ મિશ્રિત પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લીધી છે. હાલમાં, કંપનીમાં કૂલિંગ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.”
આગ લાગી ત્યારે 150 કામદારો કામ કરી રહ્યા હતા
તમને જણાવી દઈએ કે, જ્યારે આગ લાગી ત્યારે નાઇટ શિફ્ટમાં આશરે 150 મજૂરો હાજર હતા અને 27 લોકો જેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા, તેમને તાત્કાલિક સચિન જીઆઇડીસીની સંજીવની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને મૈત્રી, નવી સિવિલ અને એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ, ફોરેન્સિક અધિકારીઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) ફેક્ટરી ઈન્સ્પેક્ટર ઘટના સ્થળે તપાસ કરી રહ્યા છે.
સચિન જીઆઈડીસીના પોલીસ ઈન્સ્પેક્ટર જે.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમે પોલીસ ડાયરીમાં આ ઘટનાની નોંધ કરી છે અને એકવાર જીપીસીબી અને ફોરેન્સિક અધિકારીઓ તેમની તપાસ પૂર્ણ કરશે અને તેમના તારણોના આધારે, અમે કેસની તપાસ શરૂ કરીશું.”
કંપનીના માલિક તત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા
કંપનીના માલિક અશ્વિન દેસાઈ બુધવારે સવારે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમનો એક પુત્ર, રોહન દેસાઈ, જે દિલ્હીમાં હતો, તે તરત જ વડોદરા ઉતર્યો અને સવારે ફેક્ટરી પર પહોંચી ગયા હતા.
એથર ઈન્ડસ્ટ્રીઝ શું કરે છે
2013 માં ડેસી દ્વારા સ્થપાયેલી કંપની ઇન્ટરમીડિયેટસ જેવા રાસાયણિક સંયોજન ઉત્પાદનો બનાવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. તે એગ્રોકેમિકલ, ફાર્માસ્યુટિકલ અને તેલ અને ગેસ ઉદ્યોગોને આ સપ્લાય કરે છે. કંપની રાષ્ટ્રીય સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને વિશ્વભરમાં તેના ગ્રાહકો છે.
ફોર્બ્સ બિલિયોનેર્સ 2023 મુજબ, અશ્વિન દેસાઈની કુલ સંપત્તિ $1.2 બિલિયન છે, અને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોમાં 2259 મા ક્રમે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us