/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/10/crime-news.jpg)
પ્રતિકાત્મક તસવીર
Surat Crime News, Mass Suicide, Family killed : સુરતમાં શનિવારના દિવસે ચકચારી ઘટના બની હતી. અહીં એક જ પરિવારના સભ્યોએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું. ઝેરી દવા પીવાથી પરિવારના સાત લોકોના મોત થયા હતા. સામૂહિક આત્મહત્યાની ઘટનાની જાણ થતાં સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. આ ઘટાનામાં પતિ-પત્ની, માતા-પિતા, એક બાળક અને બે બાળકીઓના મોતથી સોલંકી પરિવારનો માળો વિખેરાયો હતો. ઘટના અંગે જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચીને આગળી કાર્યવાહી હાથધરી હતી.
કમકમાટી ભરી ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટના સી-2માં સોલંકી પરિવાર રહેતો હતો. મનિષ સોલંકી ફર્નિચરનો વ્યવસાય ધરાવતા હતા. જોકે મનિષ સોલંકીએ પરિવારના છ સભ્યો એટલે કે પત્ની, માતા-પિતા અને ત્રણ બાળકોને ઝેરી દવા આપ્યા બાદ પોતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફર્નિચરના વ્યવસાય સાથે જોડાયેલા અને મોટા કોન્ટ્રાક્ટ રાખતાં મનિષ સોલંકી લાંબા સમયથી આર્થિક સંકરામણ અનુભવતા હોય તેવું પ્રાથમિક રીતે લોકોનું કહેવું છે. એક જ પરિવારના સાત લોકોના આપઘાતના સમાચાર સાંભળીને આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા છે.
ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું કે એક પરિવારના સાત લોકોએ આપઘાત કર્યા હોવાનો મેસેજ હતો. આમાંથી એક વ્યક્તિએ ફાંસો ખાઘો છે અને છ લોકોએ કોઇ ઝેરી વસ્તુ લીધી હોય તેવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. આ બાબતે તેમણે જે લખાણ લખ્યું છે તે વેરિફાઇ કરવાની કાર્યવાહી ચાલુ છે.
લખાણમાં તેમણે કોઇનું નામ નથી લખ્યું, પણ પૈસા ઉધાર હશે તે લેવાના બાકી છે તેવું કારણ જણાવ્યું છે. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામકાજ હતું અને તે સુપરવાઇઝર હતા. તેમના હાથની નીચે 30થી 35 લોકો કામ કરતાં હતાં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us