/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Gujarat-CM-bhupendra-Patel.jpg)
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - photo - X @CMOGuj
Bhupendra Patel UCC Announcement: ઉત્તરાખંડ બાદ હવે બીજેપી શાસિત અન્ય રાજ્ય ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની જાહેરાત કરી છે. આ અંગે એક કમિટી પણ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવામાં આવ્યો છે. હવે ગુજરાત પણ આ દિશામાં આગળ વધવા જઈ રહ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે મંગળવારે યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા અને કાયદો બનાવવા માટે પાંચ સભ્યોની પેનલની રચના કરવાની જાહેરાત કરી હતી. "સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજના દેસાઈની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે," તેમણે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. આ કમિટી 45 દિવસમાં તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે, જેના આધારે સરકાર આગળના નિર્ણયો લેશે.
સમિતિની જાહેરાત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો પવિત્ર ગ્રંથ છે. જેમ જેમ આપણે બંધારણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટે સમગ્ર દેશમાં એક સમાન કાયદો લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
Live: ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પ્રેસ કોન્ફરન્સને સંબોધન. https://t.co/UzrtbJqw8S
— CMO Gujarat (@CMOGuj) February 4, 2025
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) શું છે?
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) નો અર્થ છે દેશમાં રહેતા તમામ નાગરિકો માટે તેમના ધર્મ, જાતિ અને લિંગને ધ્યાનમાં લીધા વિના સમાન કાયદા હોવાનો. જો કોઈપણ રાજ્યમાં સિવિલ કોડ લાગુ કરવામાં આવે છે, તો લગ્ન, છૂટાછેડા, બાળકને દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવા તમામ વિષયો પર સમાન કાયદો દરેક નાગરિકને લાગુ પડશે. બંધારણની કલમ 44 જણાવે છે કે તમામ નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જવાબદારી સરકારની છે.
ઉત્તરાખંડમાં લિવ-ઈન માટે બનાવેલા નિયમોની ચર્ચા
ઉત્તરાખંડમાં જ્યારે યુનિફોર્મ સિવિલ કોડ અમલમાં આવ્યો ત્યારે સૌથી વધુ ચર્ચિત મુદ્દો લિવ-ઈન માટે બનાવવામાં આવેલા નિયમોનો હતો. ધામી સરકાર દ્વારા UCCને લઈને બનાવેલા નિયમો હેઠળ લિવ-ઈન કપલ્સે રજિસ્ટ્રેશન માટે 16 પેજનું ફોર્મ ભરવાનું રહેશે. પાદરી પાસેથી એક પ્રમાણપત્ર પણ લેવું પડશે જેમાં લખેલું હશે કે દંપતી ઈચ્છે તો લગ્ન કરવા માટે લાયક છે.
દેશ, દુનિયા, ગુજરાત સહિત તમામ ક્ષેત્રોમાં બનતી ઘટનાઓ અંગે તાજા જાણકારી અહીં મેળવો
જો કોઈ કપલ લિવ-ઈન મેરેજ માટે રજિસ્ટ્રેશન ન કરાવે તો તેમને 6 મહિનાની જેલ થઈ શકે છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે UCC કોઈ ધર્મ કે વર્ગની વિરુદ્ધ નથી પરંતુ તેનો ઉદ્દેશ્ય બધાને સમાન અધિકાર આપવાનો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us