વડોદરા બોટ દુર્ઘટના : આરોપી ગોપાલ, પરેશ શાહને 8 દિવસની પોલીસ કસ્ટડી

વડોદરા બોટ દુર્ઘટના મામલે વડોદરાની કોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં કોર્ટે એસઆઈટીની રિમાન્ડ માંગણી અરજી પર આરોપી પરેશ શાહ અને ગોપાલ શાહની 8 દિવસની પોલીસ કસ્ટડી આપી.

Written by Kiran Mehta
Updated : January 27, 2024 16:23 IST
વડોદરા બોટ દુર્ઘટના : આરોપી ગોપાલ, પરેશ શાહને 8 દિવસની પોલીસ કસ્ટડી
વડોદરા બોટ દુર્ઘટના અપડેટ

વડોદરા બોટ દુર્ઘટના મામલે ગુજરાતના વડોદરાની સ્થાનિક અદાલતે શુક્રવારે હરણી બોટ દુર્ઘટના કેસમાં ધરપકડ કરાયેલા બે આરોપી ગોપાલદાસ ઉર્ફે ગોપાલ શાહ અને પરેશ શાહને 18 જાન્યુઆરીની ઘટનાની વધુ તપાસ બાકી હોય ત્યાં આઠ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા હતા. આ બોટ અકસ્માતમાં 12 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોના મોત થયા હતા.

વડોદરા બોટ દુર્ઘટના મામલે વડોદરા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ પરેશ અને ગોપાલ શાહના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, એમ કહીને કે, બંને આરોપીઓ લેક ઝોનમાં એકસાથે ઓપરેશન હાથ ધરવા માટે “નિર્ણાયક” વ્યક્તિ હતા.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ, સ્થાનિક કોર્ટે બંને આરોપીઓના 3 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યા સુધી એસઆઈટી સમક્ષ રિમાન્ડ આપ્યા હતા.

વડોદરા બોટ દુર્ઘટના – કેમ રિમાન્ડની જરૂર?

વડોદરા બોટ દુર્ઘટના મામલે એસઆઈટીનું પ્રતિનિધિત્વ કરતા જિલ્લા સરકારના વકીલ અનિલ દેસાઈએ જણાવ્યું હતું કે, “પ્રથમ ધરપકડ કરાયેલા આરોપીઓ દ્વારા શેર કરવામાં આવેલી માહિતીની ક્રોસ વેરિફિકેશન અને તપાસ કરવાની જરૂર છે, જેથી એ જાણવા માટે કે આ પ્રોજેક્ટમાં કોણ સામેલ હતું અને નફાના નાણાકીય માર્ગ કયો હતો.” SIT એ એમ પણ કહ્યું છે કે, બંને આરોપી પરેશા શાહ અને ગોપાલ શાહ ની રિમાન્ડ એ વાત જાણવા જરૂરી છે કે, મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સ દ્વારા જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા કેવી રીતે આપવામાં આવ્યો હતો.”

દેસાઈએ જણાવ્યું હતું કે, પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ગુરુવારે ધરપકડ કરાયેલા બે આરોપીઓના રિમાન્ડ “સૌથી મહત્વપૂર્ણ” હશે કારણ કે, તે પરેશ જ હતો, જે ભાગીદાર ન હોવા છતા લેક ઝોનની રોજિંદી પ્રવૃત્તિઓ ચલાવતો હતો. કાગળ પર પરેશની પત્ની, પુત્ર અને પુત્રી પણ આ કેસમાં સહ-આરોપી છે કારણ કે તેઓ મેસર્સ કોટિયા પ્રોજેક્ટ્સમાં ભાગીદાર છે.

vadodara boat capsize tragedy accident
વડોદરા બોટ દુર્ઘટના મામલો (ફોટો – ભૂપેન્દ્ર રાણા)

દેસાઈએ જણાવ્યું હતું કે, “જે ઘટના બની તે અત્યંત દુ:ખદ છે… અમે કોર્ટમાં દલીલ કરી હતી કે, આરોપીએ સલામતીના પગલાં અને સાવચેતીઓને જાણી જોઈને અવગણીને ગંભીર બેદરકારી કરી હતી, જેના કારણે 12 બાળકો અને તપાસ અધિકારીઓ સહિત 14 લોકોના મોત થયા હતા.” વ્યવસાયની પ્રકૃતિ અને કામગીરીની માહિતીના તળિયે જવાની જરૂર છે, જે બંને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવે તો જ શક્ય છે.”

આ પણ વાંચો – વડોદરા બોટ દુર્ઘટના : એક સપ્તાહ બાદ લેક ઝોન ઇન્ચાર્જ પરેશ શાહની અટકાયત

ગુરુવારે, જોઈન્ટ કમિશનર ઑફ પોલીસ મનોજ નિનામા, જેઓ SIT નું નેતૃત્વ કરી રહ્યા છે, તેમણે પણ કહ્યું હતું કે, લેક ઝોનની કામગીરીથી ક્યા ખાતાઓને નાણાંકીય લાભ મળ્યો, તે સમજવા માટે પોલીસ ભાગીદારો અને પરેશના નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ