વેધર રીપોર્ટ: અરબી સમુદ્રમાં ચક્રવાત તોફાની બનશે, ગુજરાતમાં કેવી રહેશે અસર? માછીમારોને દરિયામાં ન જવા સલાહ

Weather report : અરબી સમુદ્રમાં ચક્રવાત (Arabian sea Cyclone) આજે તોફાની બની શકે છે. ગુજરાતના માછીમારો (Gujarat Fishermen) ને દરિયામાંથી કિનારે આવવા સલાહ આપવામાં આવી છે. ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ અઠવાડિયામાં સર્જાતું આ બીજું ચક્રવાત હશે. બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત મોચા બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પ્રવેશ્યું હતું, જેના કારણે વ્યાપક વિનાશ થયો હતો.

Written by Kiran Mehta
Updated : June 07, 2023 13:20 IST
વેધર રીપોર્ટ: અરબી સમુદ્રમાં ચક્રવાત તોફાની બનશે, ગુજરાતમાં કેવી રહેશે અસર? માછીમારોને દરિયામાં ન જવા સલાહ
ભારતીય હવામાન વિભાગ દુનિયાના 6 સ્પેશ્યલાઇઝ્ડ મેટ્રોલોજિકલ સેન્ટર્સ (RSMC) પૈકીનું એક છે, જે 13 દેશોના ઉષ્ણકટિબંધીય ચક્રવાત અને તોફાન સંબંધિત સુચનાઓ આપે છે.

Weather report : ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે ગુજરાતના માછીમારોને ચક્રવાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને, બુધવાર, 7 જૂનથી મધ્ય અરબી સમુદ્રમાં સાહસ ન કરવા ચેતવણી આપી હતી.

મંગળવારે બપોરે જાહેર કરાયેલી આગાહીમાં IMDએ માછીમારોને ખુલ્લા સમુદ્રમાંથી કિનારે પાછા ફરવાની સલાહ આપી છે. IMDના પ્રાદેશિક કેન્દ્રે ગુજરાતના દરિયાકાંઠે આવેલા તમામ બંદરો પર રિમોટ વોર્નિંગ સિગ્નલ-I ફરકાવ્યું હતું.

IMDના તાજેતરના અવલોકનો મુજબ, દક્ષિણપૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન રચાયું છે અને તે મંગળવારે સવાર સુધીમાં પોરબંદરથી લગભગ 1,160 કિમી દક્ષિણમાં કેન્દ્રિત હતું.

ડિપ્રેશન ગોવાના પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં આશરે 920 કિમી, મુંબઈથી 1,120 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં, પોરબંદરથી 1,160 કિમી દક્ષિણમાં અને કરાચીથી 1,520 કિમી દક્ષિણમાં આવેલું છે. IMDના પ્રાદેશિક નિર્દેશક મનોરમા મોહંતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, આગામી 24 કલાક દરમિયાન તે લગભગ ઉત્તર તરફ આગળ વધે અને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણપૂર્વમાં ચક્રવાતી તોફાનમાં તીવ્ર બને તેવી શક્યતા છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. જોકે, માછીમારોને 7 જૂનથી મધ્ય અરબી સમુદ્ર (પૂર્વ-મધ્ય અને પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્રના અડીને આવેલા વિસ્તારો)માં ન જવાની સલાહ આપવામાં આવે છે, એમ મોહંતીએ જણાવ્યું હતું.

IMDએ જણાવ્યું હતું કે, સિસ્ટમ સતત નિરીક્ષણ હેઠળ છે અને આગામી સંદેશ બુધવારે સવારે 11.30 વાગ્યે જારી કરવામાં આવશે.

ચક્રવાતની તીવ્રતા, અરબી સમુદ્રમાં રચનાનું સ્થાન અને ત્યારપછીની હિલચાલ કેરળ ઉપર દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆતને અસર કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચોGujarat rain forecast : ગુજરાતમાં વરસાદ અને મીની વાવાઝોડાનું સંકટ! અરબી સમુદ્રમાં હવાનું દબાણ સર્જાયું, ક્યા જિલ્લામાં ક્યારે ખતરો?

ઉત્તર હિંદ મહાસાગરમાં ત્રણ અઠવાડિયામાં સર્જાતું આ બીજું ચક્રવાત હશે. બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાત મોચા બાંગ્લાદેશ અને મ્યાનમારમાં પ્રવેશ્યું હતું, જેના કારણે વ્યાપક વિનાશ થયો હતો.

IMDના અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે, ઘણા સાનુકૂળ પરિબળો ચોમાસાને કેરળના થ્રેશોલ્ડ પર લાવ્યા હોવા છતાં, ચોમાસાના પવનો મેઇનલેન્ડ ભારતમાં તેની પ્રગતિ કરવા માટે પૂરતી તાકાત મેળવી શક્યા નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ