Gujarat Rain : રાજ્યમાં હાલ વરસાદ ધીમો પડ્યો, જાણો કેવી છે હવામાન વિભાગની નવી આગાહી

Gujarat Rain : રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 25 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે

Written by Ashish Goyal
Updated : September 25, 2025 19:30 IST
Gujarat Rain : રાજ્યમાં હાલ વરસાદ ધીમો પડ્યો, જાણો કેવી છે હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત વરસાદ (Express Photo by Ganesh Shirsekar)

Gujarat Rain Weather Forecast Update : રાજ્યમાં વરસાદ ધીમો પડ્યો હોય તેવા માહોલ જોવા મળી રહ્યો છે. ગુરુવારને 25 સપ્ટેમ્બરના રોજ સવારના 6.00 થી સાંજના 6.00 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારી,વલસાડમાં 9 મીમી વરસાદ વરસ્યો છે.

14 તાલુકામાં વરસાદ

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા પ્રમાણે 25 સપ્ટેમ્બર 2025ના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 14 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં નવસારી, વલસાડમાં 9 મીમી, રાજુલા, કામરેજ 8 મીમી, પલસાણા, ઉમરગામ, વાંસદા, ખંભાળિયામાં 4 મીમી, જેતપુર, ધારીમાં 3 મીમી, સુરત શહેર, મહુવા, જલાલપોર અને ચિખલીમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બરે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

આ પણ વાંચો – ગાંધીનગરમાં ‘વોટ્સએપ સ્ટેટસ’ પર ‘કોમી’ સંઘર્ષ હિંસક બન્યા બાદ 70 થી વધુ લોકોની અટકાયત

27 સપ્ટેમ્બરે તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવારે આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો 111.18 ટકા વરસાદ

25 સપ્ટેમ્બર 2025 સુધીમાં રાજ્યમાં સિઝનનો કુલ 111.18 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 136.07 ટકા, ઉત્તર ગુજરાતમાં 119.27 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 113.28 ટકા, સૌરાષ્ટ્રમાં 95.74 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 117.00 ટકા વરસાદ વરસ્યો છે.

સરદાર સરોવર નર્મદા નિગમ લી. માં 25 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગ્યા સુધીમાં પાણીનો સંગ્રહ 320872 mcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 96.05% જેટલી છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં સંગ્રહ 530412 mmcft છે. જે કુલ સંગ્રહ ક્ષમતાના 95.07% છે. 100 ટકા ભરાયેલ ડેમોની સંખ્યા 115 છે. 146 ડેમ હાઇ એલર્ટ પર અને 14 ડેમ એલર્ટ પર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ