scorecardresearch

યુવરાજસિંહ જાડેજા : ડમી ઉમેદવાર પાસે પૈસા પડાવવાના મામલામાં આપ નેતા પાસેથી રૂ. 84 લાખ વસૂલાયા

yuvrajsinh jadeja extortion case : યુવરાજસિંહ જાડેજા ડમી ઉમેદવાર પાસેથી જબરદસ્તી ખંડણી વસૂલવાના કેસમાં ભાવનગર પોલીસે (Bhavnagar Police) આપ નેતા (AAP Leader) અને તેના સાગરીતો પાસેથી 84 લાખ વસૂલ્યા છે.

Yuvrajsinh Jadeja arrested
આપ નેતા યુવરાજસિંહ જાડેજા ડમી ઉમેદવાર ખંડણી કેસ (ફાઈલ ફોટો)

yuvrajsinh jadeja dummy candidate extortion case : સરકારી નોકરીઓમાં ડમી ઉમેદવારોની તપાસ વધુ ઊંડી બનતી જાય છે, અધિકારીઓના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા કથિત રીતે ખંડણી કરાયેલા આશરે રૂ. 84 લાખની વસૂલાત કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, મંગળવારે ભાવનગર જિલ્લા પોલીસે જાડેજા પાસેથી આશરે રૂ. 10 લાખ રિકવર કર્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં વ્હિસલ-બ્લોઅર તરીકે ટૅગ કરાયેલા નેતાએ ડમી ઉમેદવારોના કેસમાં આરોપીઓ પાસેથી કથિત રીતે 1 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી.

તેમણે કહ્યું, ‘1 કરોડ રૂપિયામાંથી હવે અમે 83.86 લાખ રૂપિયા વસૂલ કર્યા છે. જાડેજાએ જેમને પૈસા આપ્યા હતા તે બાતમીદારો પાસેથી કુલ રૂ. 3 લાખની વસૂલાત કરવામાં આવી હતી, તેના એક સાળા, શિવુભાની પેઢીમાંથી રૂ. 5 લાખ વસૂલવામાં આવ્યા હતા, એમ ભાવનગર સર્કલના પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. ખાટે જણાવ્યું હતું.

6 એપ્રિલે, પોલીસે જણાવ્યું હતું કે, જાડેજાના સસરાએ ગાંધીનગરમાં જાડેજાના મિત્ર સુખદેવ પરમારને આંગડિયા સેવા (ગુજરાતમાં કુરિયર સમુદાય) દ્વારા રૂ. 6 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેમાંથી રૂ. 5.11 લાખની રકમ ગાંધીનગરના દહેગામમાં અગાઉ ખરીદેલા રૂ. 51 લાખના બંગલા માટે ચૂકવવામાં આવી હતી. બાકીના 89 હજાર રૂપિયા પોલીસે રિકવર કર્યા હતા. પેમેન્ટ માટે વપરાયેલા રૂ. 5.11 લાખમાંથી રૂ. 1.47 લાખ સ્ટેમ્પ માટે ચૂકવ્યા હતા, તે પણ પોલીસે રિકવર કરી લીધા છે.

જાડેજા, તેના બે સાળા શિવુભા અને કાનભા અને અન્ય ત્રણ – ઘનશ્યામ લાધવા, બિપિન ત્રિવેદી અને રાજુ – સામે આઈપીસી કલમ 386 (કોઈ વ્યક્તિને મૃત્યુનો ડર અથવા ગંભીર ઈજા પહોંચાડવાના ડરથી જબરદસ્તી વસૂલી), 388 (જબરદસ્તી વસૂલી) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 21 એપ્રિલના રોજ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, ગુનાના આરોપની ધમકી આપીને, અને 120B (ગુનાહિત કાવતરું)

આ પણ વાંચોશિકારી ખુદ શિકાર? ‘વ્હિસલ બ્લોઅર’ તરીકે જાણીતા યુવરાજસિંહ જાડેજા પર શું આરોપ, કેમ થઈ ધરપકડ?

ભાવનગર પોલીસે પકડેલા તમામ છ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોલીસે એપ્રિલમાં જણાવ્યું હતું કે, તેમણે રૂ. 73.5 લાખ રિકવર કર્યા હતા. તેમાંથી શિવુભાના સહયોગી સંજય જેઠવા પાસેથી રૂ.25.5 લાખ વસૂલવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, ત્રિવેદી અને લાધવા પાસેથી રૂ. 10 લાખ, જ્યારે કણભા પાસેથી રૂ. 38 લાખ રિકવર કરાયા હતા.

Web Title: Yuvrajsingh jadeja case extorting money dummy candidate police aap leader rs 84 lakhs recovered

Best of Express