સિતારે જમીન પર સ્ટાર આમિર ખાન વેઇટ લોસ ટિપ્સ | 50-એક્ટર ની 50-25-25 ફોર્મ્યુલા શું છે?

Aamir Khan Weight Loss Tips | આમિર ખાન વજન ઘટાડવા માટે (Aamir Khan Weight Loss Tips) કસરત અને ડાયટ બન્ને પર ધ્યાન આપે છે, આમિર ખાન ની આ 50-25-25 ફોર્મ્યુલા અપનાવો, થશે ફાયદા

Aamir Khan Weight Loss Tips | આમિર ખાન વજન ઘટાડવા માટે (Aamir Khan Weight Loss Tips) કસરત અને ડાયટ બન્ને પર ધ્યાન આપે છે, આમિર ખાન ની આ 50-25-25 ફોર્મ્યુલા અપનાવો, થશે ફાયદા

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Aamir Khan weight loss tips in gujarati | આમિર ખાન વેઇટ લોસ ટિપ્સ

Aamir Khan weight loss tips in gujarati | સિતારે જમીન પર સ્ટાર આમિર ખાન વેઇટ લોસ ટિપ્સ, 50-એક્ટર ની 50-25-25 ફોર્મ્યુલા શું છે?

Aamir Khan Weight Loss Tips | સિતારે જમીન પર (Sitaare Zameen Par) સ્ટાર આમિર ખાન (Aamir Khan) બોલિવૂડના એવા સ્ટાર્સમાંના એક છે જેમણે દંગલ ફિલ્મ બાદ વજન ઘટાડ્યું છે. આમિરે ગજની માટે વજન ઘટાડ્યું હતું ત્યારે ફિલ્મ દંગલ માટે વજન વધાર્યું હતું. અહીં અભિનેતા આમિર ખાન ભારપૂર્વક કહે છે કે કસરત કરવા સાથે વજન ઘટાડવા માટે ડાયટ પર પણ ધ્યાન આપવાનું કહ્યું છે, અહીં જાણો

Advertisment

આમિર ખાન વેઇટ લોસ ટિપ્સ (Aamir Khan Weight Loss Tips)

આમિર ખાને 2016 માં બોલિવૂડ હંગામા સાથેના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારુ વજન ઘટાડવામાં આહારે મુખ્ય ભૂમિકા ભજવી છે. લોકો માને છે કે ફક્ત કસરત વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ જો આહાર યોગ્ય ન હોય, તો તમે શું કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી. આહાર પહેલા આવે છે. પચાસ ટકા ડાયટ છે. 25 ટકા કસરત છે અને 25 ટકા આરામનું મહત્વ છે.'

Aamir Khan diet tips in gujarati | આમિર ખાન ડાયટ ટિપ્સ
Aamir Khan diet tips in gujarati | સિતારે જમીન પર સ્ટાર આમિર ખાન વેઇટ લોસ ટિપ્સ, 50-એક્ટર ની 50-25-25 ફોર્મ્યુલા શું છે?

ડાયટ ટિપ્સ (Diet Tips Gujarati)

આમિર ખાનના શબ્દો આપણને યાદ અપાવે છે કે તમે જીમમાં ગમે તેટલા કલાકો વિતાવો, જો તમે તમારા આહાર પર ધ્યાન નહીં આપો તો તમને કોઈ ફાયદો થશે નહીં. તેવી જ રીતે, આમિર સ્પષ્ટ કરે છે કે આરામ, જેની ઘણીવાર અવગણના કરવામાં આવે છે, તે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. આમિરનો 50-25-25 ફોર્મ્યુલા એવી વસ્તુ છે જેના પર આજે ઘણા નિષ્ણાતો ભાર મૂકે છે. ફિટનેસ ફક્ત વજન ઉપાડવા અથવા માઇલ દોડવા કરતાં વધુ છે.

Advertisment

શું તમે વજન ઓછો કરવો માંગો છો, તો દરરોજ રાત્રે સૂતા પહેલા આ મસાલાવાળું પાણી પીવો

એક્સપર્ટ જણાવે છે કે, 'વજન ઘટાડવા માટે એક સર્વાંગી યોજનાની જરૂર પડે છે જેમાં કસરત અને આહારની આદતોનો સમાવેશ થાય છે. તેમાં ખોરાક, તંદુરસ્તી અને આરામનો સમાવેશ થાય છે, તે નાના, પ્રાપ્ત કરી શકાય તેવા લક્ષ્યોથી શરૂઆત કરવાનું સૂચન કરે છે, જેમ કે અઠવાડિયામાં થોડા દિવસ 30 મિનિટ કસરત કરવી અને તમારી પ્લેટમાં ફળ, ડ્રાયફ્રૂટ્સ, શાકભાજી, પ્રોટીન અને આખા અનાજ જેમ કે બાજરી, જુવાર વગેરે નો સમાવેશ થાય છે.

જીવનશૈલી health tips