Health Tips: ગોળના નામ ઝેર ખાય છે લોકો, કિડનીને નુકસાન, ખાદ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું કડવું સત્ય

Adulterated Jaggery Side Effects: ગોળ ખાવાથી શરીરને ફાયદો થાય છે. જો કે હાલ બજારમાં ભેળસેળવાળો ગોળ વેચાય છે. તેમા વોશિંગ સોડા અને મેટનીલ યલો જેવા હાનિકારક કેમિકલો હોય છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે.

Adulterated Jaggery Side Effects: ગોળ ખાવાથી શરીરને ફાયદો થાય છે. જો કે હાલ બજારમાં ભેળસેળવાળો ગોળ વેચાય છે. તેમા વોશિંગ સોડા અને મેટનીલ યલો જેવા હાનિકારક કેમિકલો હોય છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Adulterated Jaggery Side Effects | Jaggery

Adulterated Jaggery Side Effects: ભેળસેળવાળો ગોળ ખાવાથી કિડનીને નુકસાન થઇ શકે છે. (Photo: Canva)

Adulterated Jaggery Side Effects: ગોળ સામાન્ય રીતે ખાંડ કરતા વધુ સારો વિકલ્પ માનવામાં આવે છે, કારણ કે તે કાચા અને અનપ્રોસેસ્ડ સ્વરૂપમાં હોય છે. તેમાં આયર્નનું પ્રમાણ વધારે હોવાને કારણે તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગોળ આયર્ન, ખનિજ અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી સમૃદ્ધ છે જે પાચનમાં સુધારો કરે છે. ગોળ ખાવાથી એનીમિયાની સારવાર થાય છે. ગોળ સુગર લેવલ વધવાનું જોખમ ઉભું પેદા કર્યા વગર એનર્જી લેવલમાં સુધારો કરે છે. માનવામાં આવે છે કે, ગોળનું નિયમિત સેવન હિમોગ્લોબિન લેવલ સુધારે છે અને લિવરને સ્વસ્થ રાખે છે. પરંતુ શું તમે જાણો છો, ભેળસેળવાળો ગોળ ખાવું સ્વાસ્થ્ય માટે જોખમી છે.

Advertisment

તાજેતરના અહેવાલો સૂચવે છે કે બજારમાં હાનિકારક કેમિકલ વાળું ભેળસેળયુક્ત ગોળ વેચવામાં આવી રહ્યો છે. આ ભેળસેળવાળા ગોળમાં વોશિંગ સોડા અને મેટનીલ યલો જેવા હાનિકારક કેમિકલો હોય છે જે કિડનીને નુકસાન પહોંચાડે છે. આ ગોળનું સેવન કરવાથી કિડનીમાં ઝેર જમા થઈ શકે છે.

ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) વિભાગ દ્વારા તાજેતરના નિરીક્ષણમાં જાણવા મળ્યું છે કે ભેળસેળવાળા ગોળનું બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવા અને શરીરમાંથી ઝેર દૂર કરવા માટે આ ખોરાકને આરોગ્ય માટે ઝેરી બનાવે છે. બેંગલુરુમાં એફડીએની તપાસમાં બહાર આવ્યું છે કે કેટલાક વિક્રેતાઓ જથ્થામાં વધારો કરવા માટે ગોળમાં વોશિંગ સોડા અને ચાક પાવડર ભેળવી રહ્યા હતા.

મેટાનિલ યલો ઉમેરવાથી ગોળનો રંગ કૃત્રિમ સોનેરી-પીળો થઈ જાય છે. આ ભેળસેળ તહેવારો દરમિયાન વધે છે, ખાસ કરીને જ્યારે માંગ વધારે હોય છે. તપાસમાં બેંગલુરુની દુકાનોમાં અસુરક્ષિત પેકેજિંગ પણ બહાર આવ્યું છે, જ્યાં દૂધ અને તેલ જેવી ખાદ્ય ચીજોને સિંગલ-યુઝ પ્લાસ્ટિક શીટ્સમાં પેક કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે આ પ્લાસ્ટિક શીટ્સ ગરમ કરતા પહેલા ખોરાકમાં ફેથલેટ, બિસ્ફેનોલ્સ અને ડાયોક્સિન જેવા ઝેરી રસાયણો મુક્ત કરે છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે.

Advertisment

ગોળમાં રહેલા કેમિકલ કિડનીને નુકસાન પહોંચાડી શકે છે

સફાઈ અને ઔદ્યોગિક હેતુઓ માટે વપરાતું આલ્કલાઈન કેમિકલ, વોશિંગ સોડાનું સેવન કરવામાં આવે ત્યારે આરોગ્યને લગતી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. તેનું સેવન કરવાથી મોં, ગળા અને પેટમાં બળતરા થાય છે, તેમજ ઊલટી, ઝાડા અને પાચનતંત્રની પેશીઓમાં બળતરા થાય છે.

મેટાનિલ યલો એક કૃત્રિમ ફૂડ કલર રંગ છે જે આરોગ્ય માટે મોટો ખતરો છે. રિસર્ચગેટ પર પ્રકાશિત સંશોધન સૂચવે છે કે તેનાથી ઉબકા, ઊલટી, પેટમાં દુખાવો અને ઝાડા થઈ શકે છે. તે યકૃત અને કિડની ટેક્સિન, મહત્વપૂર્ણ અવયવોમાં ઓક્સિડેટીવ તાણ અને ચેતાતંત્ર પર વિપરીત અસરોનું કારણ બની શકે છે. કાચી શેરડીનો રસ અથવા તાડના રસને ઉકાળવાની પ્રક્રિયામાં અશુદ્ધિઓ આવી શકે છે. સ્ટોર કરવાની ખરાબ પદ્ધતિ દરમિયાન ગોલ સીસું અને હાનિકારક ભારે ધાતુઓના સંપર્કમાં આવી શકે છે.

કિડનીને ગોળથી થતા નુકસાનથી કેવી રીતે બચાવવી?

ભેળસેળવાળા ગોળ ખાવાથી બચવા માટે, તમારે સારી બ્રાન્ડનો ગોળ અને ફક્ત ઓર્ગેનિક ગોળ ખરીદવો જોઈએ. ગોળને હવાચુસ્ત ડબ્બામાં સ્ટોર કરી તમે ગોળને ખરાબ થવાથી બચાવી શકો છો. શુદ્ધ ગોળ સામાન્ય રીતે ઘેરા બદામી રંગનો દેખાય છે, જ્યારે ભેળસેળવાળો ગોળ ચમકદાર પીળો અથવા સફેદ રંગનો હોય છે.

જીવનશૈલી health tips