અખાત્રીજ પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને દૂધીના હલવાનો ભોગ ધરાવો, અહીં જાણો સરળ રેસીપી

Akshay Tritiya 2025 : અક્ષય તૃતીયાના દિવસે તમે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને દૂધીના હલવાનો ભોગ અર્પણ કરી શકો છો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે

Akshay Tritiya 2025 : અક્ષય તૃતીયાના દિવસે તમે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને દૂધીના હલવાનો ભોગ અર્પણ કરી શકો છો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Dudhi no halwo recipe, Dudhi no halwo

અક્ષય તૃતીયાને હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે (તસવીર -સોશિયલ મીડિયા)

Akshay Tritiya 2025 : અક્ષય તૃતીયાને હિંદુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. અક્ષય તૃતિયાનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ છે, જેના કારણે આ દિવસને અક્ષય ફલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય અખાત્રીજ પણ કહેવાય છે.

Advertisment

આ ભોગ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને અર્પણ કરો

અક્ષય તૃતીયાના દિવસે તમે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને દૂધીના હલવાનો ભોગ અર્પણ કરી શકો છો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં તેને ખાવાથી શરીર ઠંડુ રહે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેને ડુંગળી અને લસણ વિના તૈયાર કરવામાં આવે છે, જે ભોગ લગાવવા માટે પરફેક્ટ છે.

દૂધીનો હલવો બનાવવા માટેની સામગ્રી

  • બે કપ શેણેલી દૂધી
  • 1 લિટર દૂધ
  • ત્રણ મોટી ચમચી ઘી
  • અડધો કપ ખાંડ
  • એલાઇચીનો પાવડર
  • બદામ, કાજુ, કિશમિશ (ડ્રાયફ્રૂટ્સ)
  • તુલસીનું પાન

આ પણ વાંચો - દાળ કે શાકભાજીમાં નીબું નીચોવીને ખાવાથી થાય છે આ 5 ફાયદા, જાણો કેવી રીતે

Advertisment

ઘરે દૂધીનો હલવો કેવી રીતે બનાવવો?

દૂધીનો હલવો બનાવવા માટે તમે સૌપ્રથમ દૂધીને છીણી લો. હવે તેને ઘી માં શેકી લો. હવે તેમાં દૂધ ઉમેરો અને મધ્યમ આંચ પર રાંધો અને દૂધીને સંપૂર્ણપણે ઓગાળી લો. તેમાં ખાંડ ઉમેરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો. આ પછી તેમાં એલાઇચીનો પાવડર અને સમારેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરો. થોડા સમય સુધી તેને પકાવ્યા બાદ ગેસ બંધ કરી દો. આ રીતે તમે દૂધીનો હલવો તૈયાર કરી શકો છો. તમે તેને પૂજાના વાસણમાં રાખીને તેની ઉપર તુલસીનું પાન ઉમેરો અને ભગવાનને ભોગ અર્પણ કરી શકો છો.

દૂધીનો હલવો ખાવાના ફાયદા

ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ભોગ અર્પણ કર્યા પછી તમે પણ આ ગ્રહણ કરી શકો છો. તે પાચન માટે ઘણું સારું છે. તેમાં ફાઇબરની માત્રા એકદમ સારી હોય છે. તે લો-કેલરી પણ હોય છે, જે વજન વધવાથી પણ રોકે છે.

રેસીપી અક્ષય તૃતીયા તહેવાર જીવનશૈલી ધર્મ ભક્તિ