Aman Sehrawat In Paris Olympics: અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક મેચ પહેલા 10 કલાકમાં ઘટાડ્યું 4.6 કિલો વજન, જાણો ઝડપથી વજન ઘટાડવાની ટેકનિક

Aman Sehrawat Weight Loss In Paris Olympics 2024: અમન સેહરાવતનું વજન પેરિસ ઓલિમ્પિક 2024માં સેમીફાઈનલ મેચ બાદ વધીને લગભગ 61.5 કિલો થઈ ગયું હતું. એટલે કે ફાઇનલમાં રમવા માટે 4.6 કિલો વજન વધું હતું.

Written by Ajay Saroya
August 11, 2024 13:17 IST
Aman Sehrawat In Paris Olympics: અમન સેહરાવતે પેરિસ ઓલિમ્પિક મેચ પહેલા 10 કલાકમાં ઘટાડ્યું 4.6 કિલો વજન, જાણો ઝડપથી વજન ઘટાડવાની ટેકનિક
Aman Sehrawat In Paris Olympics: પેરિસ ઓલિમ્પિક 2024માં અમન સેહરાવતે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. (Image: @amansehrawat057)

Aman Sehrawat Weight Loss In Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય કુસ્તીબાજ અમન સેહરાવતે 57 કિગ્રા વજન વર્ગ કેટેગરીમાં 13 – 5 થી ડેરીયન ક્રૂઝને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો છે. જોકે આ જીત એટલી આસાન નહોતી. વિનેશ ફોગાટ જેમ અમન સેહરાવતના સામે ગેરલાયક ઠરવાનો ભય હતો. જો કે તેણે રાતોરાત આ પડકારને માત આપી પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેડલની સંખ્યા 6 પર પહોંચાડી દીધી હતી.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં સેમીફાઈનલ મેચ બાદ અમન સેહરાવતનું વજન વધીને લગભગ 61.5 કિલો થઈ ગયું હતું. એટલે કે ફાઇનલમાં રમવા માટે તેનું વજન 4.6 કિલો વધુ હતું. આવી સ્થિતિમાં વિનેશ ફોગાટ જેમ તેને પણ ડિસક્વોલિફાઇ ઠેરવવામાં આવી શકે છે. જોકે અમન સેહરાવતે વર્કઆઉટ અને અમુક ખાસ ટ્રિક્સ અપનાવી માત્ર 10 કલાકમાં જ 4.6 કિગ્રા વજન ઘટાડ્યું હતુ અને મેચ જીતીને બ્રોન્ઝ મેડલ જીત્યો.

અમન સેહરાવત કેવી રીતે વજન ઘટાડ્યું?

અમન સેહરાવતની વજન ઘટાડવાની ટેકનિક વિશે વાત કરતા કોચ વિરેન્દ્ર દહિયાએ એએનઆઈ ને એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, અમન સેહરાવતને આ માટે ઘણો પરસેવો પાડ્યો હતો. અમારી પાસે ફક્ત 10 કલાક હતા અને અમારે આ 10 કલાકમાં તે બધું કરવાનું હતું.

મેટ સેશન

વિરેન્દ્ર દહિયાએ જણાવ્યું હતું કે, વજન પાછું 57 કિલો સુધી લાવવા માટે, સૌથી પહેલા અમન સેહરાવતે તેના બે સિનિયર કોચના માર્ગદર્શન હેઠળ 1.5 કલાક સુધી કુસ્તી કરી હતી.

હોટ-બાથ સેશન

પરસેવો પાડીને ઝડપથી વજન ઘટાડી શકાય છે. આવી સ્થિતિમાં મેટ સેશન બાદ અમન સેહરાવતે 1 કલાક સુધી હોટ બાથ સેશન લીધું હતું.

હવે, જેમ જેમ ઘડિયાળ મધ્યરાત્રિ નજીક આવતી ગઈ તેમ તેમ લડાઈ વધુ તીવ્ર બનતી ગઈ. હોટ-બાથ સેશન લીધા બાદ પણ તેનું વજન કંટ્રોલ થયુ ન હતું.

જીમ

આ પછી અમન સેહરાવત સવારે 12:30 વાગ્યે જિમમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તે વધુ પરસેવો પાડીને વજન ઘટાડવા માટે ટ્રેડમિલ પર 1 કલાક નોન સ્ટોપ દોડ્યો હતો.

aman sehrawat, Paris Olympics 2024
aman sehrawat : ભારતીય રેસલર અમન સેહરાવતે 57 કિગ્રા ભાર વર્ગમાં શુક્રવારે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો (તસવીર – સોશિયલ મીડિયા)

વરાળ/સોના બાથ

જિમ બાદ અમન સેહરાવત 30 મિનિટનો બ્રેક લીધો હતો અને ત્યાર બાદ 5 – 5 મિનિટના 5 સ્ટીમ/સોના બાથ સેશન લીધા હતા. જો કે આમ કર્યા બાદ પણ તેનું વજન 900 ગ્રામ વધારે હતું.

રનિંગ

આ 900 ગ્રામ ઘટાડવા માટે અમન સેહરાવત ફરી એકવાર ઉઠ્યો અને તેણે 15 – 15 મિનિટના 5 રનિંગ સેશન પૂરા કર્યા.

આ દરમિયાન અમન સેહરાવત નવશેકું પાણીમાં લીંબુ અને મધ આપવામાં આવ્યા હતા, તેમજ તેણે થોડી કોફી પીધી હતી. વજન ઘટાડવા માટે અમન સેહરાવત આખી રાત એક મિનિટ પણ સૂતો ન હતો. આખરે સવારે 4:30 વાગ્યા સુધીમાં તેનું વજન 56.9 કિલો હતું.

આ પણ વાંચો | હોકી ગોલકીપર પીઆર શ્રીજેશ છે કરોડોની સંપત્તિનો માલિક, વોલ ઓફ ઇન્ડિયા ક્યાંથી કરે છે કમાણી

તમને જણાવી દઈએ કે, પેરિસ ઓલિમ્પિક 2024 માં અમન સેહરાવતના વજન ઘટાડવા અને મેડલના આ સમગ્ર સમય દરમિયાનમાં ભારતીય કોચ વીરેન્દ્ર દહિયાની સાથે જગમંદર સિંહે પણ ઘણું યોગદાન આપ્યું છે.

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ