અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મોનોટ્રોફિક ડાયટ અનુસરે છે, શું બધા માટે યોગ્ય છે?

અહીં તમને ડાયટ વિશે જણાવીશું જે પેટર્ન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પાલ મણિકમે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માહિતી આપી હતી કે આવી ડાયટ પેટર્નને મોનોટ્રોફિક ડાયટ (Monotrophic Diet) કહેવામાં આવે છે. વધુમાં અહીં જાણો

અહીં તમને ડાયટ વિશે જણાવીશું જે પેટર્ન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પાલ મણિકમે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માહિતી આપી હતી કે આવી ડાયટ પેટર્નને મોનોટ્રોફિક ડાયટ (Monotrophic Diet) કહેવામાં આવે છે. વધુમાં અહીં જાણો

author-image
shivani chauhan
New Update
Anushka Sharma Virat Kohli Diet

અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી મોનોટ્રોફિક ડાયટ અનુસરે છે, શું બધા માટે યોગ્ય છે?

અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલી (Virat Kohli) અને સુનીલ છેત્રી જેવા સ્પોર્ટ્સપર્સન અને કલાકારો સહિત અનેક સેલિબ્રિટીઓએ કંટાળો આવ્યા વિના મહિનાઓ સુધી એક પ્રકારનો ખોરાક ખાવાની કબૂલાત કરી છે. અનુષ્કાએ એક ઇન્ટરવ્યૂમાં શેર કર્યું છે કે, મારા માટે આ મુશ્કેલ બાબત નથી કારણ કે હું લગભગ દરરોજ એક જ વસ્તુ ખાઉં છું. ખાસ કરીને, જ્યારે હું કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહી છું. હું એ જ વસ્તુ ખાઉં છું. એવું ઘણી વખત બન્યું છે જ્યારે મેં ડિનર માટે એક મહિના સુધી ખીચડી અને બેઈંગન ભાજા ખાધા હોય, અથવા સતત 6 મહિના સુધી નાસ્તામાં ઇડલી સાંભર આટલું જ મેં ખાધું છે.

Advertisment

અહીં તમને ડાયટ વિશે જણાવીશું જે પેટર્ન વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ ડૉ. પાલ મણિકમે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં માહિતી આપી હતી કે આવી ડાયટ પેટર્નને મોનોટ્રોફિક ડાયટ (Monotrophic Diet) કહેવામાં આવે છે. તે ફેટ લોસ માટે એક અસરકારક છે. તે સરળ, અનુકૂળ અને સૌથી અગત્યનું છે, તમે તમારી કેટલું ખાવું તેમાં સુસંગત રહી શકો છો. આ ઉપરાંત તે તમારો થાક ઘટાડે છે અને તમને વધુ ખાવાની વૃત્તિથી બચાવે છે. પ્રી-પ્લાનિંગ કરતી વખતે, ખાતરી કરો કે તમે બધા માઈક્રો ન્યુટ્રીયન્ટ્સનો સમાવેશ કરો છો.

આ પણ વાંચો: Deepika Padukone : દીપિકા પાદુકોણ ગ્લોઈંગ સ્કિન સિક્રેટ, એકટ્રેસની ભૂતપૂર્વ ન્યુટ્રિશનિસ્ટ શું કહે છે?

ગટ હેલ્થ ન્યુટ્રિશનિસ્ટ પાયલ કોઠારીએ શેર કર્યું કે દરેક ભોજનમાં માત્ર એક જ પ્રકારનો ખોરાક લેવો એ પણ જીવન જીવવાની અને ખાવાની મિનિમલિસ્ટક રીત પર આધારિત છે.

Advertisment

આ ડાયટએ વિચાર પર આધારિત છે કે માત્ર એક જ પ્રકારનો ખોરાક ખાવાથી પાચનતંત્ર ખોરાકના કોમ્બિનેશનને સરળ બનાવવાથી પાચન પ્રક્રિયાને સરળ બનાવી શકાય છે, જેનાથી શરીર પોષક તત્વોને અસરકારક રીતે તોડી શકે છે અને શોષી શકે છે.

મોનોટ્રોફિક ડાયટના ફાયદાઓમાં સરળ પાચનનો સમાવેશ થાય છે, કારણ કે શરીરને માત્ર એક પ્રકારના ખોરાકને તોડવા માટે ચોક્કસ ઉત્સેચકો ઉત્પન્ન કરવાની જરૂર છે. એક્સપર્ટના મતે આનાથી પોષક તત્વોનું વધુ સારું શોષણ થઈ શકે છે.

એક્સપર્ટે શેર કર્યું કે ફળો, શાકભાજી અથવા ઓછું પ્રોટીન જેવા સંપૂર્ણ, પોષક-ગાઢ ખોરાક પર ધ્યાન કેન્દ્રિત કરીને, વ્યક્તિ ખાતરી કરી શકે છે કે તેઓ દરેક ભોજનમાં વિટામિન્સ, ખનિજો અને અન્ય આવશ્યક પોષક તત્વોનો કેન્દ્રિત ડોઝ મેળવી રહ્યાં છે. તમારા કેટલા પ્રમાણમાં ખાવું તે ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે.

આ પણ વાંચો: તમારી દાળને વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બનાવશે આ ચીજ, ફાયદા જાણો

મોટાભાગની વ્યક્તિ મોન્ટ્રોફિક ડાયટ સાથે તમામ પોષક તત્વો મેળવવામાં નિષ્ફળ જાય છે. તે ટૂંકા ગાળાના લાભો પ્રદાન કરી શકે છે, પરંતુ ખામીઓ ટાળવા માટે સમય જતાં વિવિધ પોષક તત્વોની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. ડાયટમાં સંતુલિત અભિગમ જાળવી રાખવો જરૂરી છે. જ્યારે મનથી કરવામાં આવે ત્યારે તે ફાયદાકારક બની શકે છે.

જીવનશૈલી health tips Virat Kohli