Peeled vs Unpeeled Apple : સફરજન છાલ સાથે ખાવા જોઈએ કે છાલ વગર? એક્સપર્ટે કહ્યું..

Peeled vs Unpeeled Apple : છાલ વગરના સફરજન ડાયેટરી ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત છે. તમે હેલ્થી નાસ્તા તરીકે અથવા તમારા રોજિંદા ફળોના સેવનના ભાગ રૂપે છાલ વગરના સફરજનનો આનંદ માણી શકો છો. વધમાં અહીં વાંચો.

Peeled vs Unpeeled Apple : છાલ વગરના સફરજન ડાયેટરી ફાઇબર, વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત છે. તમે હેલ્થી નાસ્તા તરીકે અથવા તમારા રોજિંદા ફળોના સેવનના ભાગ રૂપે છાલ વગરના સફરજનનો આનંદ માણી શકો છો. વધમાં અહીં વાંચો.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Peeled vs Unpeeled Apple which one is beneficial for health (Freepik)

છાલવાળું છાલ વગરનું સફરજન કયું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે (ફ્રીપિક)

''દરરોજ સફરજન ખાવાથી ડોક્ટરથી દૂર રહેવાય'' આ આપણે સાંભળ્યું છે, સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ગુણકારી માનવામાં આવે છે. ઘણા લોકો સફરજનની છાલ સાથે તેને ખાવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો છાલ વગર.જોકે તબીબી રીતે, યોગ્ય રીતે ધોયેલા અને છાલ વગરના સફરજનનું સેવન કરવું વધુ ફાયદાકારક છે, જાણો હેલ્થ એક્સપર્ટ શું કહે છે?

Advertisment

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈના રજિસ્ટર્ડ ડાયટિશિયન અને ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ. ઉષાકિરણ સિસોદિયાએ જણાવ્યું હતું કે , ''સફરજનના વિટામિન સી મોટો ભાગ છાલમાં હોય છે. "તેથી, છાલને દૂર કરવાથી પોષક મૂલ્યનું નુકસાન થઈ શકે છે. છાલમાં અન્ય ઘણા પોષક તત્ત્વો અને એન્ટીઑકિસડન્ટો પણ હોય છે, જે ઓક્સિડેટીવ તાણ સામે લડવા માટે જાણીતા છે અને ક્રોનિક રોગોને રોકવામાં મદદ કરી શકે છે. જો કે, તેને દૂર કરવા માટે સફરજનને સારી રીતે ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, કોઈપણ જંતુનાશક દવાઓ અથવા મીણ કે જેનો ઉપયોગ છૂટક વેપારીઓ સફરજનને ચમકદાર બનાવવા માટે કરે છે.''

આ પણ વાંચો: Weight Loss Recipe : આ હેલ્થી રેસિપી વેઇટ લોસ અને ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક સાબિત થશે

રેજુઆ એનર્જી સેન્ટર, મુંબઈના ન્યુટ્રિશનિસ્ટ ડૉ. નિરુપમા રાવે સમર્થન આપ્યું અને શેર કર્યું કે ''છાલ વગરના સફરજન ડાયેટરી ફાઈબર,વિટામિન્સ અને એન્ટીઑકિસડન્ટનો સારો સ્ત્રોત છે. તમે હેલ્થી નાસ્તા તરીકે અથવા તમારા રોજિંદા ફળોના સેવનના ભાગ રૂપે છાલ વગરના સફરજનનો આનંદ માણી શકો છો."

Advertisment

શું તમારે છાલવાળા સફરજન ન ખાવા જોઈએ?

ડૉ. રાવના મતે, છાલવાળા સફરજન એવા લોકો ખાઈ શકે જેમને છાલને પચવામાં તકલીફ હોય અથવા નરમ ટેક્સચર પસંદ હોય.

તમને હજી પણ સફરજનના ગર્ભના પોષક લાભો મળે છે. તમે તમારા આહારના ભાગ રૂપે પ્રમાણસર માત્રામાં સફરજનની છાલ મેળવી શકો છો.

આ પણ વાંચો: Cancer Tests In Women : 8 કેન્સરના ટેસ્ટ દરેક સ્ત્રીએ તેમની સ્વાસ્થ્યની સુખાકારી માટે કરાવવા જોઈએ, અહીં જાણો

છેવટે, છાલ સાથેના અને છાલ વગરના બંને સફરજન તમારા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તે વ્યક્તિગત પસંદગી અને આહારની જરૂરિયાતોની બાબત છે. જો તમે છાલનો આનંદ માણો છો અને તેને સહન કરી શકો છો, તો છાલ વગરના સફરજન વધારાના ફાઇબર અને પોષક તત્વો પ્રદાન કરે છે.

કેટલા સફરજન ખાવા?

દિવસમાં એક મધ્યમ સાઈઝનું સફરજન એ સામાન્ય ભલામણ છે. સફરજન હેલ્થ માટે ફાયદાકારક હોવા છતાં તમારા રોજિંદા આહારમાં 1-2 મધ્યમ કદના સફરજનનો સમાવેશ કરવો શ્રેષ્ઠ છે. માત્ર એક ફળ પર આધાર ન રાખતા ઘણા ફળો અને શાકભાજીનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips