Healthy Recipe : બાજરીમાંથી બનાવો આ હેલ્થી અને ટેસ્ટી વાનગી, જાણો રેસિપી

Healthy Recipe : બાજરાનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાયકેમિક કંટ્રોલ સુનિશ્ચિત કરવા માટે એક સારો વિકલ્પ છે.વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
Updated : September 13, 2023 08:02 IST
Healthy Recipe : બાજરીમાંથી બનાવો આ હેલ્થી અને ટેસ્ટી વાનગી, જાણો રેસિપી
બાજરીના ઢોસા (અસપ્લેશ)

ભારતભરમાં ઇન્ટરનેશનલ મિલેટ યરની ઉજવણી થઇ રહી છે, મિલેટના સ્વાસ્થ્ય ફાયદાઓ જાણ્યા પછી આપણા માંથી કેટલાક લોકોએ ડાયટમાં રેગ્યુલર મિલેટ લેવાનું શરુ કર્યું છે, અહીં મિલેટમાંથી બનાવેલ યુનિક ડોસાની રેસિપી શેર કરી છે, નાસ્તાના એક સરળ વિકલ્પ તરીકે, જ્યારે પણ સમય ઓછો હોય ત્યારે ક્રિસ્પી મિલેટ ડોસા બનાવી શકો છો,આ ઢોસા પળવારમાં બનાવી શકાય છે અને તેને વધારે મહેનત કરવાની જરૂર નથી. હકીકતમાં, આથોની પણ જરૂર નથી.

બાજરીના ક્રિસ્પી ડોસા આ રીતે બનાવશો?

હોમ શેફ રેણુકા સાલુંકેની એક રેસીપી છે જે તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

સામગ્રી

2 કપ – બાજરીનો લોટ1 ચમચી – લસણ, વાટેલી ડુંગળી ઝીણીસમારેલી ગાજરલીલા મરચાંકાળા મરી પાવડરમીઠું જીરું ધાણાજીરું પાણી – 3 કપ તેલ લગાવવા માટે .

આ પણ વાંચો: Health Tips : શું કપાલભાતી તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે? આ રીતે કરો આસન

મેથડ

  • એક બાઉલમાં, બધી સામગ્રી ઉમેરો. મીઠું સ્વાદ પ્રમાણ નાખો. પાણી ઉમેરો અને મિક્સ કરો.
  • તેને 15 મિનિટ માટે ઢાંકી રાખો.
  • હવે એક ડોસા પેનમાં થોડું તેલ ફેલાવો. અને બેટર રેડવું. તેને બંને બાજુ પકવા દો.
  • આનંદ માણો!

2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે,નિષ્ણાતો સૂચવે છે કે ચોખા અથવા ઘઉં જેવા મુખ્ય અનાજની તુલનામાં, બાજરી વધુ સારા પોષણ મૂલ્યની દ્રષ્ટિએ વધારાના ફાયદા ધરાવે છે.

મેક્રોન્યુટ્રિઅન્ટ્સ ઉપરાંત, તેઓ વિટામિન બી6, રિબોફ્લેવિન, આયર્ન, ઝિંક અને મેગ્નેશિયમ જેવા વિટામિન અને ખનિજોની સારી માત્રાથી પણ ભરેલા છે. ક્લિનિકલ ડાયેટિશિયન ગરિમા ગોયલે જણાવ્યું હતું કે, “ઘઉંથી વિપરીત, બાજરી ગ્લુટેન-ફ્રી છે, તેથી સેલિયાક રોગ ધરાવતા લોકો માટે વધુ સારો વિકલ્પ છે.”

ગોયલે ઉમેર્યું હતું કે, બાજરા ગ્લાયકેમિક ઇન્ડેક્સમાં ઓછું હોવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે ગ્લાયકેમિક નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે એક સારો વિકલ્પ છે. ઓલરાઉન્ડર બાજરાનો વિવિધ વાનગીઓમાં સરળતાથી ઉપયોગ કરી શકાય છે અને અન્ય અનાજને બદલી શકાય છે.ગોયલે કહ્યું કે, “રસોઈમાં કોઈ ફેરફાર કર્યા વિના,તમે ઘઉંની રોટલીના બદલે બાજરાનો રોટલો બનાવી શકો છો. ભાટિયા હોસ્પિટલ મુંબઈના મુખ્ય આહાર નિષ્ણાત ઝોયા સુર્વેએ જણાવ્યું હતું કે બાજરામાં રહેલા જટિલ કાર્બોહાઈડ્રેટ્સ ધીમે ધીમે ઉર્જા મુક્ત કરે છે, જે લોહીના પ્રવાહમાં ગ્લુકોઝનું સતત પ્રકાશન સુનિશ્ચિત કરે છે અને અચાનક સ્પાઈક્સ અને ક્રેશને અટકાવે છે.

આ પણ વાંચો: Health Tips : પૂરતી ઊંઘ નથી મળતી? તમને ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ વધી શકે છે, અહીં જાણો

નારાયણ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ગુરુગ્રામના વરિષ્ઠ આહારશાસ્ત્રી મોહિની ડોંગરેએ જણાવ્યું હતું કે બાજરીના ઢોસા, મોતી બાજરીમાંથી બનાવવામાં આવે છે, તે ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરી શકે છે . “તે ડાયેટરી ફાઇબરનો સારો સ્ત્રોત છે, જે પાચનમાં મદદ કરી શકે છે અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.”

તમારા ડાયટમાં બાજરાની વાનગીનો સમાવેશ કરવાથી લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરવામાં, હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં અને તેના જટિલ કાર્બોહાઇડ્રેટ્સને કારણે ઉર્જા પ્રદાન કરવામાં મદદ મળી શકે છે, ડોંગરેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “માત્ર યાદ રાખો કે વિવિધ પ્રકારના ખોરાક સાથે સંતુલિત આહાર એકંદર આરોગ્યની ચાવી છે.”

કોણ પોતાના આહારમાં સામેલ કરી શકે?

સર્વે અનુસાર, તમારા આહારમાં બાજરીના ઢોસાનો સમાવેશ શાકાહારી લોકો માટે ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે, કારણ કે તે તેમની આયર્ન અને પ્રોટીનની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં ફાળો આપે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ