રોજ વાટકી દાડમ ખાશો તો થશે અઢળક ફાયદા ! અહીં જાણો

દાડમ તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતા છે, દાડમ જો તમે દરરોજ ખાલી પેટ 1 વાટકી સેવન કરો છો, તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થશે,દાડમ ન માત્ર શરીરને મજબૂત બનાવે પરંતુ આયર્નની ઉણપને દૂર કરવામાં પણ ફાયદાકારક ગણાય છે, અહીં જાણો

Written by shivani chauhan
June 28, 2025 18:48 IST
રોજ વાટકી દાડમ ખાશો તો થશે અઢળક ફાયદા ! અહીં જાણો
Pomegranate | રોજ વાટકી દાડમ ખાશો તો થશે અઢળક ફાયદા ! અહીં જાણો

ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેથી, ડોકટરો પણ તેને તમારા આહારમાં સામેલ કરવાની ભલામણ કરે છે. તેમાં જોવા મળતા તત્વો ફક્ત તમારા શરીરને ઘણા પોષક તત્વો જ પૂરા પાડતા નથી, પરંતુ તેનું સેવન તમને ઘણી બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. દાડમ (Pomegranate) માં પોલીફેનોલ્સ, વિટામિન સી અને અન્ય એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ થાય છે.

દાડમ તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતા છે, દાડમ જો તમે દરરોજ ખાલી પેટ 1 વાટકી સેવન કરો છો, તો તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભો થશે,દાડમ ન માત્ર શરીરને મજબૂત બનાવે પરંતુ આયર્નની ઉણપને દૂર કરવામાં પણ ફાયદાકારક ગણાય છે, અહીં જાણો

રોજ વાટકી દાડમ ખાવાના ફાયદા

  • યાદશક્તિ વધે : જો તમારી યાદશક્તિ નબળી હોય તો તમે દરરોજ દાડમનું સેવન કરી શકો છો. આ યાદશક્તિ વધારવામાં મદદ કરી શકે છે.
  • આયર્ન : જે લોકોને એનિમિયા છે તેમણે દાડમનું સેવન ચોક્કસ કરવું જોઈએ, કારણ કે દાડમ આયર્નનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.
  • પાચન : પાચનતંત્રની સમસ્યાઓ ધરાવતા લોકો માટે પણ દાડમ ખાવાથી ફાયદો થઈ શકે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરી શકે છે.
  • સોજો : દાડમમાં બળતરા વિરોધી ગુણધર્મો જોવા મળે છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે.
  • સ્કિન : દરરોજ એક વાટકી દાડમ ખાવાથી તમારી ત્વચા અંદરથી ચમકતી અને સ્વચ્છ બને છે.
  • હૃદય સ્વસ્થ રહે : દાડમમાં રહેલા ગુણધર્મો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે. જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરી શકે છે. તેથી, તેનું સેવન હૃદયને સ્વસ્થ બનાવવામાં પણ મદદ કરે છે.
  • બ્લડ પ્રેશર : જે લોકોને બીપીની સમસ્યા હોય તેમના માટે દાડમનું સેવન ફાયદાકારક બની શકે છે. દાડમના ફળ કે જ્યુસનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
  • રોગપ્રતિકારક શક્તિ : નબળી રોગપ્રતિકારક શક્તિનો અર્થ એ છે કે તમે સરળતાથી રોગોનો ભોગ બની શકો છો. જો તમે પણ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હો, તો તમે દરરોજ 1 વાટકી દાડમનું સેવન કરી શકો છો. તેમાં પોલીફેનોલ્સ, વિટામિન સી અને અન્ય એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થાય છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ