/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Indoor-plants.jpg)
Indoor Plants : ઘરની અંદર અમુક છોડ રાખવાથી રૂમ ઠંડો રહે છે અને હવા પણ શુદ્ધ થાય છે. (Photo: Freepik)
Indoor plants that absorb heat: ઉનાળામાં ગરમી દિવસે દિવસે વધી રહી છે. કાળઝાળ તડકા અને ગરમ હવાથી સૌ કોઈ પરેશાન છે. નોકરી ધંધા પરથી ઘરે પરત આવનાર વ્યક્તિ ઘરમાં શાંતિ અને આરામ શોધે છે. ઉનાળામાં ઘરે પહોંચ્યા બાદ ઠંડો માહોલ હોય તો ઉંઘ પણ સારી આવે છે.ઘણીવાર લોકો ઘરને ઠંડુ કરવા માટે એસી-કૂલરની મદદ લે છે. તે તરત જ ઓરડાને ઠંડો કરે છે, જો કે બીજી બાજુ ઉનાળામાં કમરતોડ લાઇટ બિલ આવે છે. ઉપરાંત એસી અને એર કુલરનો વધારે ઉપયોગ સ્વાસ્થ્ય પણ બગાડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે અમુક કુદરતી પદ્ધતિઓ અપનાવવી જોઈએ જેથી એસી-કુલર વગર પણ ઘરને ઠંડુ રાખી શકાય. આ માટે તમે ઘરમાં કેટલાક છોડ વાવી શકો છો. અહીં અમે તમને કેટલાક એવા છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ઘરની ગરમીને શોષી લેશે. તે વાતાવરણમાં હવાને પણ શુદ્ધ કરશે.
ઉનાળામાં ઘરને ઠંડુ રાખતા છોડ
સ્નેક પ્લાન્ટ
સ્નેક પ્લાન્ટ ઘરની હવાને સાફ અને ઠંડક આપવાનું પણ કામ કરે છે. આ પ્લાન્ટ રાત્રે ઓક્સિજન પણ છોડે છે. માટે આ પ્લાન્ટ ઘરમાં રાખવા માટે બેસ્ટ છે. તેને લગાવવાથી રૂમનું તાપમાન કંટ્રોલ થાય છે. એટલું જ નહીં, આ છોડ ગરમી શોષવામાં સક્ષમ છે.
એરિકા પામ
ઉનાળામાં ઘરને ઠંડુ રાખવા માટે તમે એરિકા પામ લગાવી શકો છો. તેનાથી ઘર કુદરતી રીતે ઠંડુ રહેશે. તેને લગાવ્યા બાદ તમે રૂમના તાપમાનમાં ફરક અનુભવશો.
તુલસી
આમ તો તુલસીનો છોડ મોટેભાગે તમામ હિન્દુ ઘરોમાં જોવા મળે છે. તેનું ધાર્મિક મહત્વ ઘણું છે. પરંતુ શું તમે જાણો છો કે ઉનાળામાં તુલસીનો છોડ ઘરનું તાપમાન ઘટાડવામાં પણ મદદ કરે છે. તે કુદરતી હ્યુમિડિફાયરની જેમ કામ કરે છે. તેને લગાવવાથી તાપમાનમાં ભેજ રહે છે.
સ્પાઇડર પ્લાન્ટ
ઉનાળામાં તમે તમારા ઘરમાં સ્પાઇડર પ્લાન્ટ પણ લગાવી શકો છો. તે હવાને સાફ કરે છે. આ સાથે ઉનાળાના દિવસોમાં ભેજ જળવાઈ રહે છે. રૂમનું તાપમાન ઠંડુ રાખે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us