મીઠાઈ ખાવામાં અને બ્લડ સુગર લેવલ વધવામાં શું કનેકશન? એક્સપર્ટ શું કહે છે?

સ્વાદ માટે આપણી જીભ અને મોંમાં જોવા મળતી નાની ગ્રંથીઓ છે. આ જ આપણને સ્વાદ ઓળખવામાં મદદ કરે છે. મનુષ્યો જન્મથી જ મીઠાશનો સ્વાદ લઈને આવે છે. આ આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળ્યું છે. તેઓ એનર્જી માટે મીઠા ફળો અને મધ ખાતા હતા. મીઠાશ પ્રત્યેનો આ પ્રેમ આપણા શરીર અને મગજમાં સહજ છે. અહીં જાણો અભ્યાસ શું કહે છે?

સ્વાદ માટે આપણી જીભ અને મોંમાં જોવા મળતી નાની ગ્રંથીઓ છે. આ જ આપણને સ્વાદ ઓળખવામાં મદદ કરે છે. મનુષ્યો જન્મથી જ મીઠાશનો સ્વાદ લઈને આવે છે. આ આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળ્યું છે. તેઓ એનર્જી માટે મીઠા ફળો અને મધ ખાતા હતા. મીઠાશ પ્રત્યેનો આ પ્રેમ આપણા શરીર અને મગજમાં સહજ છે. અહીં જાણો અભ્યાસ શું કહે છે?

author-image
shivani chauhan
New Update
બ્લડ સુગર કંટ્રોલ કરવાની ટિપ્સ

Blood sugar level sweet craving connection

મોટાભાગના લોકોએ એવું માને છે કે આપણે મીઠાઈ ખાવાનું બંધ કરીશું, તો મીઠાઈઓ ખાવાની ઈચ્છા ધીમે ધીમે ઓછી થઈ જશે. ઘણા લોકો માને છે કે આપણે જેટલી વધુ મીઠાઈઓ ખાઈશું, તેટલી જ આપણને ફરીથી ઈચ્છા થશે. જોકે, નવા સંશોધનો દર્શાવે છે કે આ સાચું નથી. એવું તારણ કાઢ્યું છે કે મીઠાઈઓ માટેની તમારી ઈચ્છા ખરેખર બદલાતી નથી, ભલે તમે ગમે તેટલી કે ઓછી ખાઓ. અહીં જાણો આવું કેમ થાય છે?

Advertisment

મીઠાઈ ખાવાની ઈચ્છા કેમ થાય છે?

સ્વાદ માટે આપણી જીભ અને મોંમાં જોવા મળતી નાની ગ્રંથીઓ છે. આ જ આપણને સ્વાદ ઓળખવામાં મદદ કરે છે. મનુષ્યો જન્મથી જ મીઠાશનો સ્વાદ લઈને આવે છે. આ આપણા પૂર્વજો પાસેથી વારસામાં મળ્યું છે. તેઓ એનર્જી માટે મીઠા ફળો અને મધ ખાતા હતા. મીઠાશ પ્રત્યેનો આ પ્રેમ આપણા શરીર અને મગજમાં સહજ છે.

આપણા મૂડ, તણાવ અથવા ભૂખના આધારે આપણી મીઠાઈઓની ઈચ્છા વધી કે ઘટી શકે છે. પરંતુ મીઠાઈઓ ખાવાની ઈચ્છા મોટાભાગે એવી જ રહે છે. એટલે કે, થોડા સમય માટે ઘણી બધી મીઠાઈઓ ખાવાથી વધુ મીઠાઈઓ ખાવાનું મન થતું નથી. અને થોડા સમય માટે તેમને ટાળવાથી તેની ઈચ્છા ઓછી થતી નથી.

અભ્યાસમાં શું જાણવા મળ્યું?

અભ્યાસમાં ભાગ લેનારાઓનું કેટલાક મહિનાઓ સુધી ટેસ્ટ કરવામાં આવ્યું. કેટલાકે ખૂબ મીઠો ખોરાક ખાધો, કેટલાકે થોડો અને કેટલાકે ખૂબ ઓછો. જોકે, બધા જૂથોમાં મીઠાઈઓ પ્રત્યેની તેમની પસંદગી સમાન રહી. મારા તબીબી અનુભવ પરથી આ વાત વિશ્વસનીય છે. પુખ્ત વયના લોકોમાં, મીઠાઈ અને ખારા જેવા મૂળભૂત સ્વાદ માટેની પસંદગીઓ સરળતાથી બદલાતી નથી, સિવાય કે જ્યારે તેઓ બીમાર પડે અથવા અમુક દવાઓ લેવાનું શરૂ કરે.

Advertisment

આનો અર્થ શું થાય?

જો તમને મીઠાઈઓ ખૂબ ભાવે છે, તો તમારે સ્વસ્થ રહેવા માટે ખાંડનું પ્રમાણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. વધુ પડતી સુગર સ્થૂળતા, ડાયાબિટીસ અને દાંતની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. એક મહિના માટે સુગર સંપૂર્ણપણે છોડી દેવાથી તમારા ગળ્યું ખાવાની ઈચ્છા ગાયબ થઈ જશે તેવી અપેક્ષા રાખશો નહીં.

મીઠાઈઓ ટાળવાનો પ્રયાસ કરવાને બદલે, તમારા સેવનને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. કેક અથવા મીઠાઈઓને બદલે ફળો પસંદ કરો. મોટી મીઠાઈઓને બદલે ઓછી માત્રામાં મીઠાઈઓ ખાઓ. પીણાં અને પેકેજ્ડ નાસ્તામાં છુપાયેલી ખાંડ માટે ફૂડ લેબલ તપાસો.

ખાંડ ઓછી કરવી હંમેશા તમારા સ્વાસ્થ્ય માટે સારી છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તમારા જીવનમાંથી મીઠાઈઓ સંપૂર્ણપણે દૂર કરી દો. હંમેશા તેને સંયમિત રીતે ખાવાનો પ્રયાસ કરો.

ડાયાબિટીશ જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર health tips