સાવધાન: વોટર પાર્ક કે નદી - તળાવના પાણીમાં હોય છે મગજ કોરી ખાનાર જીવલેણ જીવાણું, જાણો બીમારીના લક્ષણ અને બચાવ

Brain Eating Amoeba Case In Kerala: કેરળમાં નાગલેરિયા ફાઉલેરી નામનો સુક્ષ્મજીવાણુ મગજમાં ઘુસી જવાથી 3 લોકોના મોત થયા છે. આ જીવાણું ટ્રીટમેન્ટ ન કરાયેલા વોટર પાર્ક કે નદી - તળાવમાં હોય છે. જાણો જીવલેણ જીવાણું કેવી રીતે શરીરમાં પ્રવેશે છે, લક્ષણ અને બચવાના ઉપાય

Brain Eating Amoeba Case In Kerala: કેરળમાં નાગલેરિયા ફાઉલેરી નામનો સુક્ષ્મજીવાણુ મગજમાં ઘુસી જવાથી 3 લોકોના મોત થયા છે. આ જીવાણું ટ્રીટમેન્ટ ન કરાયેલા વોટર પાર્ક કે નદી - તળાવમાં હોય છે. જાણો જીવલેણ જીવાણું કેવી રીતે શરીરમાં પ્રવેશે છે, લક્ષણ અને બચવાના ઉપાય

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
brain eating amoeba | brain eating amoeba case in kerala | brain eating amoeba infection | Primary amebic meningoencephalitis | Naegleria fowleri

Brain Eating Amoeba Naegleria Fowleri: નાગલેરિયા ફાઉલેરી મગજ કોરી ખાનાર અમીબા છે. (Image: Freepik)

Brain Eating Amoeba Case In Kerala: કેરળમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. એક 14 વર્ષના બાળકનું મોત નાગલેરિયા ફાઉલેરી નામનો જીવલેણ અમીબા મગજમાં ઘૂસી જતાં નીપજ્યું હતું. આ અમીબાના કારણે અત્યાર સુધીમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ખતરનાક રોગને સરળ ભાષામાં મગજ ખાનાર અમીબા કહેવામાં આવે છે, જ્યારે મેડિકલ ભાષામાં તેનું નામ પ્રાઇમરી એમોબિક મેનિન્જોએન્સેફેલાઈટિસ (Primary amebic meningoencephalitis) છે. કેરળમાં છેલ્લા બે મહિનામાં દુર્લભ અને જીવલેણ ચેપને કારણે આ ત્રીજું મૃત્યુ છે.

Advertisment

હાલમાં જ કેરળમાં 14 વર્ષના બાળકના મોતનું કારણ આ અમીબા છે, જે ગંદા પાણી દ્વારા બાળકના મગજ સુધી પહોંચી અને જીવ ગુમાવ્યો. પીટીઆઈના સમાચાર મુજબ ડોક્ટરોએ જાણકારી આપી છે કે બાળકના મોતનું કારણ બ્રેઈન ઈન્ફેક્શન છે. આવો જાણીએ શું છે આ સંક્રમણ અને બીમારીના લક્ષણો? આ રોગથી કેવી રીતે બચી શકાય?

બાળકને બ્રેઇન ઇન્ફેક્શન કેવી રીતે થયું?

સૂત્રોના જણાવ્યા અનુસાર ઈ.પી. તળાવમાં સ્નાન કર્યા બાદ મૃદુલને મગજમાં ઇન્ફેક્શન થયું હતું. સાતમા ધોરણના વિદ્યાર્થીને ગત મહિને ફેરોકની સરકારી હોસ્પિટલમાં માથાના દુખાવા અને ઉલટીની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની હાલતમાં સુધારો ન થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 24 જૂને છોકરાની હાલત ગંભીર હતી.

નાગલેરિયા ફાઉલેરી શું છે?

નેગલેરિયા ફાઉલેરી એ એક સુક્ષ્મજીવાણુ છે જે સામાન્ય રીતે ટ્રીટમેન્ટ ન કરાયેલ પાણી અને જમીનમાં જોવા મળે છે. જ્યારે સ્વિમિંગ કે ડાઇવિંગ જેવી પ્રવૃત્તિઓ દરમિયાન અમીબાથી ભરપૂર પાણી નાક મારફતે મગજમાં પ્રવેશે છે ત્યારે ચેપ લાગે છે, જેના કારણે મગજમાં તીવ્ર સોજો આવે છે.

Advertisment

મગજ કોરી ખાનાર અમીબાના લક્ષણો

આ ચેપ નાગલેરિયા ફાઉલેરી દ્વારા ફેલાય છે, જેને મગજ કોરી ખાનાર અમીબા કહેવામાં આવે છે, જે તળાવો અને નદીઓના તાજા પાણીમાં રહે છે. અમીબા નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો ચેપ લાગે છે. તે નાકથી મગજ સુધી પહોંચે છે અને મગજની પેશીઓનો નાશ કરે છે, જેના કારણે મગજમાં સોજો વધી જાય છે. આ રોગના લક્ષણોની વાત કરીએ તો આ અમીબા જ્યારે મગજમાં પ્રવેશે છે ત્યારે દર્દીને તીવ્ર માથાનો દુખાવો, તાવ, ઉબકા, ઉલટી, માનસિક સ્થિતિમાં ફેરફાર અને આંચકી જેવા લક્ષણો જોવા મળે છે.

નિષ્ણાતોના મતે આ અમીબા શરીરમાં પ્રવેશ્યા બાદ શરીરની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને લકવાગ્રસ્ત કરી દે છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) અનુસાર, જે દર્દીઓને આ સમસ્યા હોય છે તેઓ લક્ષણ શરૂ થયાના 1 થી 18 દિવસની અંદર મૃત્યુ પામે છે. એક વાર લક્ષણો શરૂ થઈ જાય પછી દર્દીની સ્થિતિ ઝડપથી બગડે છે, દર્દી કોમામાં જાય છે અને લગભગ પાંચ દિવસમાં મૃત્યુ પામે છે.

આ પણ વાંચો | કસરત પછી મસલ્સમાં દુખાવો, ઉઠવા – બેસવામાં મુશ્કેલી પડે છે? દુખાવામાં રાહત માટે અપનાવો સરળ 3 રીત

નાગલેરિયા ફાઉલેરી થી કેવી રીતે બચી શકાય?

  • આ અમીબાથી બચવા માટે, તમારે તળાવો, તળાવો અથવા સ્થિર પાણીમાં કોઈપણ જગ્યાએ નહાવાનું ટાળવું જોઈએ.
  • જો તમને કાનનું કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો ઘરની બહાર વોટર પાર્કમાં સ્નાન કરવાનું ટાળો.
  • પાણીમાં ક્લોરિન હોય તો જ સ્વિમિંગ પૂલ અને વોટર થીમ પાર્કમાં સ્નાન કરો.
કેરળ જીવનશૈલી health tips