Breakfast : આ યુનિક સફરજન અને નાળિયેરનું સલાડ શા માટે હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન ગણી શકાય?

Breakfast : ન્યુટ્રિશનિસ્ટ કિરણ કુકરેજાએ "આંતરડાના સ્વાસ્થ્ય માટે બ્રેકફાસ્ટ રેસીપી" શેર કરી છે જે સલાડ રેસિપી છે અને થોડી વારમાં તૈયાર કરી શકાય છે.

Breakfast : ન્યુટ્રિશનિસ્ટ કિરણ કુકરેજાએ "આંતરડાના સ્વાસ્થ્ય માટે બ્રેકફાસ્ટ રેસીપી" શેર કરી છે જે સલાડ રેસિપી છે અને થોડી વારમાં તૈયાર કરી શકાય છે.

author-image
shivani chauhan
New Update
breakfast Gut healthy breakfast recipe morning health tips gujarati

Breakfast : હેલ્ધી બ્રેકફાસ્ટ રેસીપી (Canva)

Breakfast : સવારનો નાસ્તો (Breakfast) એ દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજનમાંનું એક છે. તે પૌષ્ટિક હોવો જરૂરી છે, જેથી આપણા શરીરને દિવસભર એનર્જી મળતી રહે. પરંતુ રોજ રોજ નવા હેલ્થી નાસ્તાના ઓપ્શન મળવા મુશ્કેલ છે તેથી જો પણ સવારના નાસ્તા રેસીપી શોધી રહ્યા છો, તો અહીં ન્યુટ્રિશનિસ્ટએ બ્રેકફાસ્ટ રેસીપી શેર કરી છે.

Advertisment

ન્યુટ્રિશનિસ્ટ કિરણ કુકરેજાએ "આંતરડાના સ્વાસ્થ્ય માટે બ્રેકફાસ્ટ રેસીપી" શેર કરી છે જે કચુંબર રેસીપી છે અને થોડી વારમાં તૈયાર કરી શકાય છે.

breakfast Gut healthy breakfast recipe morning health tips gujarati
Breakfast : હેલ્ધી બ્રેકફાસ્ટ રેસીપી (canva)

આ પણ વાંચો: Skin Care : અપર લિપ્સ માટે પાર્લર ન જાઓ, આ ઘરગથ્થુ ઉપચાર સાથે ઘરે કરો, થશે અસરકારક સાબિત

રેસિપી

સામગ્રી :

  • 1 નંગ - છીણેલું સફરજન
  • એક કપ - દાડમ
  • 1/2 કપ - છીણેલું નારિયેળ
  • અડધું - લીંબુનો રસ
  • 1/2 ચમચી - મરી પાવડર
  • 1/2 ચમચી - આમચૂર પાવડર
Advertisment

મેથડ : બધી સામગ્રી છીણેલું સફરજન, દાડમ, છીણેલું નારિયેળ, લીંબુનો રસ, મરી પાવડર અને આમચૂર પાવડર બરોબર મિક્ષ કરો.

શું આ હેલ્થી નાસ્તા છે?

હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, નારિયેળ, સફરજન, દાડમ, લીંબુનો રસ, મરી પાઉડર અને આમચૂરનો ઉપયોગ કરીને બનેલ રેસીપી ખાસ કરીને આંતરડાના સ્વાસ્થ્ય માટે છે.

નારિયેળ : એક્સપર્ટ અનુસાર, નારિયેળમાં પ્રોટીન, ફાઇબર અને આવશ્યક ખનિજો જેવા કે આયર્ન, મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમ વિપુલ પ્રમાણમાં હોય છે જે વિવિધ શારીરિક કાર્યો જેમ કે કોલાજ ઉત્પાદન, બ્લડ સુગર કંટ્રોલ અને ચયાપચય માટે જરૂરી છે. તેમાં ખાંડ પણ ઓછી હોય છે અને તેમાં ચરબીનું પ્રમાણ વધુ હોવાથી તેના પોષક મૂલ્યમાં ઘટાડો થતો નથી કારણ કે તે પ્લાન્ટ બેઝડ છે.

સફરજન : તેમાં દ્રાવ્ય ફાઇબર, એન્ટીઑકિસડન્ટો અને પોટેશિયમ અને વિટામિન્સ જેવા ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. પેક્ટીન, પ્રોટીન જે પ્રીબાયોટિક તરીકે કામ કરે છે તે સારા બેક્ટેરિયાને ખવડાવે છે. આંતરડાના માઇક્રોબાયોમમાં, કબજિયાતમાં રાહત આપે છે અને લોહીમાં લો-ડેન્સિટી લિપોપ્રોટીન (એલડીએલ) અથવા ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

આ પણ વાંચો: Ripe Pomegranates : પાકેલા દાડમની પસંદગી આ રીતે કરો, જાણો એક્સપર્ટ પાસેથી ટિપ્સ

દાડમ : દાડમમાં વિટામિન સી અને આયર્નનું પ્રમાણ વધુ હોવાથી તે ખાવા માટે સ્વસ્થ છે. તે ખાસ કરીને એનિમિયાના દર્દીઓ માટે સારા છે કારણ કે તેઓ હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.

આ સલાડને ગાર્નિશ કરવા માટે, લીંબુનો રસ (વિટામિન સીથી ભરપૂર), કાળા મરી (જેમાં પિપરીન, બળતરા વિરોધી સંયોજન હોય છે) અને આમચૂર પાવડર (વિટામીન A, B6, C અને Dથી ભરપૂર) જેવા મસાલા અત્યંત અસરકારક છે કારણ કે તેઓ પાચન, પોષક તત્ત્વોના શોષણમાં મદદ કરે છે, અને રક્ત પરિભ્રમણ, જ્યારે ઝેરને પણ બહાર કાઢે છે. તેઓ કિડનીના સ્વાસ્થ્યને વેગ આપે છે અને હૃદયના રોગોને દૂર રાખે છે.

તેથી, આ એક પૌષ્ટિક નાસ્તો છે અને સ્વાદથી પણ ભરપૂર છે, અને દિવસની સારી શરૂઆત કરવા માટે યોગ્ય નાસ્તો છે!

જીવનશૈલી health tips