Breast Cancer Awareness Month :સ્તન કેન્સરની બીમારી સંબંધિત આ 8 માન્યતાઓ દૂર કરવી જરૂરી

Breast Cancer Awareness Month : જ્યારે સ્તન કેન્સરની વાત આવે ત્યારે ડોક્ટર સાથે સચોટ માહિતી લેવી મહત્વપૂર્ણ છે. આ માન્યતાઓને દૂર કરવાથી અને તથ્યોને સમજવાથી વ્યક્તિઓને તેમના સ્તન સ્વાસ્થ્ય અને કેન્સરના જોખમ વિશે માહિતગાર નિર્ણયો લેવાની શક્તિ મળે છે.

Breast Cancer Awareness Month : જ્યારે સ્તન કેન્સરની વાત આવે ત્યારે ડોક્ટર સાથે સચોટ માહિતી લેવી મહત્વપૂર્ણ છે. આ માન્યતાઓને દૂર કરવાથી અને તથ્યોને સમજવાથી વ્યક્તિઓને તેમના સ્તન સ્વાસ્થ્ય અને કેન્સરના જોખમ વિશે માહિતગાર નિર્ણયો લેવાની શક્તિ મળે છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Breast Cancer Awareness Month health tips(Pexel)

સ્તન કેન્સર જાગૃતિ મહિનો આરોગ્ય ટીપ્સ (પેક્સેલ્સ)

સ્તન સ્વાસ્થ્ય વિશે જાગૃતિ લાવવા, સ્તન કેન્સરના લક્ષણો, નિવારણ અને વહેલા નિદાન વિશે શિક્ષણ વધારવા માટે ઓક્ટોબર મહિનો સમગ્ર વિશ્વમાં સ્તન કેન્સર જાગૃતિ મહિના તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 1985 માં, અમેરિકન કેન્સર સોસાયટીએ સ્તન કેન્સર સામેની લડાઈમાં જાહેર સંશોધનને આગળ વધારવા માટે આ વૈશ્વિક ચળવળની શરૂઆત કરી હતી.

Advertisment

તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે ભારતમાં મહિલાઓમાં ખાસ કરીને શહેરી વિસ્તારોમાં સ્તન કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. ફરીદાબાદની અમૃતા હોસ્પિટલના બ્રેસ્ટ ઓન્કોલોજીના કન્સલ્ટન્ટ ડૉ. શિવેતા રાઝદાન, ચિંતાજનક આંકડાઓ પર પ્રકાશ પાડે છે: ભારતમાં દર વર્ષે સ્તન કેન્સરના અંદાજે 100,000 કેસનું નિદાન થાય છે. દેશમાં કેન્સરના તમામ કેસોમાં સ્તન કેન્સરનો હિસ્સો 13.5 ટકા છે , મૃત્યુ દર 10.6 ટકા છે.

આ પણ વાંચો: Apple Cider Vinegar VS Lemon Juice : એપલ સીડર વિનેગર કે લીંબુનો રસ, વજન ઘટાડવા માટે વધુ ક્યુ સારું?

ઇન્ટરનેટના યુગમાં, સ્તન કેન્સર વિશે ઘણી બધી ખોટી માહિતી ફેલાઈ રહીછે. આ મુદ્દાને ઉકેલવા માટે, અમે રામ મનોહર લોહિયા હોસ્પિટલના વરિષ્ઠ સર્જન અને મૈયા સોશિયલ ચેન્જ ફ્રન્ટ ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડૉ. દિવ્યા સિંહ જે એક્સપર્ટ છે તેમણે સ્તન કેન્સર સાથે સંકળાયેલી આઠ સામાન્ય માન્યતાઓને દૂર કરે છે, અહીં વાંચો

Advertisment

1)માન્યતા: માત્ર સ્ત્રીઓને જ સ્તન કેન્સર થઈ શકે છે

જ્યારે સ્તન કેન્સર સ્ત્રીઓમાં વધુ પ્રચલિત છે, તે ઓળખવું મહત્વપૂર્ણ છે કે પુરુષો પણ આ રોગ વિકસાવી શકે છે. વાસ્તવમાં, ઓછી જાગરૂકતા અને સ્તનમાં ગાંઠોને અવગણવાને કારણે પુરૂષો સ્ત્રીઓ કરતાં 25 ટકા વધુ મૃત્યુદરનો સામનો કરે છે.

2)માન્યતા: મોટા સ્તનો ધરાવતી સ્ત્રીઓમાં સ્તન કેન્સર વધુ જોવા મળે છે

સ્તનની સાઈઝ અને કેન્સરના જોખમ વચ્ચે કોઈ સંબંધ નથી, જો કે મોટા સ્તનોની તપાસ કરવી ક્યારેક વધુ પડકારજનક બની શકે છે. જોકે સ્થૂળતા અને સ્તનની સાઈઝ સ્તન કેન્સરનું જોખમ વધારી શકે છે.

3)માન્યતા: માત્ર મોટી ઉંમરની સ્ત્રીઓને જ સ્તન કેન્સર થાય છે

સ્તન કેન્સરનું જોખમ વય સાથે વધે છે, તે નાની સ્ત્રીઓ સહિત તમામ ઉંમરની સ્ત્રીઓને અસર કરી શકે છે. નાની એજની સ્ત્રીઓમાં સ્તન કેન્સર વધુ આક્રમક હોય છે, જે નિયમિત તપાસ અને ટેસ્ટ દ્વારા વહેલાસર નિદાનને નિર્ણાયક બનાવે છે.

4) માન્યતા: સ્તન કેન્સર હંમેશા કૌટુંબિક ઇતિહાસ સાથે જોડાયેલું છે

સ્તન કેન્સરનો કૌટુંબિક ઈતિહાસ તમારા જોખમમાં વધારો કરી શકે છે, ત્યારે મોટા ભાગના લોકોને સ્તન કેન્સરનું નિદાન થયું હોય તેઓનો કોઈ પારિવારિક ઈતિહાસ હોતો નથી. આંકડાકીય રીતે, સ્તન કેન્સરનું નિદાન કરાયેલ વ્યક્તિઓમાંથી માત્ર 10 ટકા લોકોમાં આ રોગનો પારિવારિક ઇતિહાસ છે. કૌટુંબિક ઈતિહાસ હોવાને કારણે વહેલા કે વધુ વખત તપાસની જરૂર પડી શકે છે, પરંતુ તે તમને સ્તન કેન્સર થવાની બાંયધરી આપતું નથી.

આ પણ વાંચો: White Butter vs Yellow Butter | સફેદ માખણ vs યલો બટર : સફેદ અને પીળા માખણ વચ્ચે શું તફાવત છે? ફિટ રહેવા માટે કયું ખાવું જોઈએ?

5)માન્યતા: સ્તન કેન્સરમાં ગાંઠ હંમેશા પીડાદાયક હોય છે :

બધા સ્તન કેન્સર પીડાનું કારણ નથી. ઘણા કેસો પીડારહિત હોય છે, ખાસ કરીને પ્રારંભિક તબક્કામાં. સ્તનમાં દુખાવો અથવા અસ્વસ્થતા એ એક લક્ષણ હોઈ શકે છે.

6) માન્યતા: બ્રા પહેરવાથી સ્તન કેન્સર થઈ શકે છે
બ્રા કે અન્ય કોઈપણ કપડાથી કેન્સર થતું નથી. એવું માનવામાં આવે છે કે બ્રા પહેરવાથી, ખાસ કરીને અંડરવેયર સ્ટાઈલ, સ્તનમાંથી લસિકા પ્રવાહીના પ્રવાહને પ્રતિબંધિત કરી શકે છે, જેના કારણે પેશીઓમાં ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. જો કે, કોઈ પુરાવા આ સિદ્ધાંતને સમર્થન આપતા નથી.

7)માન્યતા: મેમોગ્રામ સ્તન કેન્સરનું કારણ બની શકે છે અથવા તેને ફેલાવી શકે છે
સ્તન કેન્સરની પ્રારંભિક તપાસ માટે મેમોગ્રામ એ સૌથી અસરકારક સાધન છે. જ્યારે મેમોગ્રામને કિરણોત્સર્ગના ખૂબ જ ઓછા ડોઝની જરૂર હોય છે, ત્યારે આ રેડિયેશનના સંપર્કથી નુકસાન થવાનું જોખમ અત્યંત ઓછું છે.

8)માન્યતા: સ્તનમાં ગાંઠ હંમેશા કેન્સર હોય છે
સ્તનમાં કોઈપણ નવા ગઠ્ઠાનું મૂલ્યાંકન હેલ્થકેર પ્રોફેશનલ દ્વારા થવુ જોઈએ, પરંતુ તમામ સ્તનની ગાંઠ કેન્સરગ્રસ્ત હોતી નથી. ઘણા સ્તન ગઠ્ઠો, જેમ કે કોથળીઓ અથવા ફાઈબ્રોડેનોમાસ, સૌમ્ય (કેન્સર વિનાના) હોય છે. ડોક્ટર ગાંઠની પ્રકૃતિ નક્કી કરવા માટે પરીક્ષણો કરી શકે છે.

જ્યારે સ્તન કેન્સરની વાત આવે ત્યારે ડોક્ટર સાથે સચોટ માહિતી અને પરામર્શ મહત્વપૂર્ણ છે. આ માન્યતાઓને દૂર કરવાથી અને તથ્યોને સમજવાથી વ્યક્તિઓને તેમના સ્તન સ્વાસ્થ્ય અને કેન્સરના જોખમ વિશે માહિતગાર નિર્ણયો લેવાની શક્તિ મળે છે.

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips