/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/can-pregnant-women-use-sunscreen.jpg)
શું પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકે?
સ્કિનકેર વાત આવે છે, ત્યારે સનસ્ક્રીન સૌથી પહેલું નામ મનમાં આવે છે. ત્વચા નિષ્ણાતો કહે છે કે સનસ્ક્રીન તમારી સ્કી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમારી સ્કીન પર એક રક્ષણાત્મક સ્તર બનાવે છે, જેના કારણે સૂર્યમાંથી આવતા હાનિકારક યુવી કિરણો સ્કીનની અંદર પહોંચી શકતા નથી. આનાથી તમને ત્વચાના ટેનથી છુટકારો મળે છે, પરંતુ ત્વચાના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે.
સનસ્ક્રીનનો ઉપયોગ હવે મોટાભાગના લોકો કરે છે, પરંતુ તેના ઘણા ફાયદા હોવા છતાં ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહિ? અહીં જાણો
પ્રેગ્નેન્સી દરમિયાન સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકાય?
હેલ્થ એક્સપર્ટ ગુંજન તનેજાના પોડકાસ્ટનો ભાગ રહેલા ડર્મેટોલોજિસ્ટ નિવેદિતા દાદુએ કહ્યું, 'ત્વચા માટે સનસ્ક્રીન ખૂબ જ મહત્વપૂર્ણ છે.' જોકે, ઘણા સંશોધનોના પરિણામો એવું સૂચવતા નથી કે પ્રેગ્નેન્સી દરમિયાન સનસ્ક્રીન સલામત છે. તેનાથી વિપરીત ગર્ભાવસ્થા દરમિયાન રસાયણ આધારિત સનસ્ક્રીનનો ઉપયોગ માતા અને બાળક બંને માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે.
ડર્મેટોલોજિસ્ટના મતે ગર્ભાવસ્થા દરમિયાન રાસાયણિક સનસ્ક્રીનમાં રહેલા રસાયણો લોહીના પ્રવાહમાં સમાઈ શકે છે અને ગર્ભ સુધી પહોંચી શકે છે અને તેના વિકાસમાં અવરોધ ઉભો કરી શકે છે.
સાચી રીત શું છે?
ડૉ. દાદુ ઉપરાંત હેલ્થલાઇનના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોનલ ફેરફારોને કારણે સ્કિન વધુ સેન્સિટિવ બની જાય છે, જે ફેસ પર કાળા ડાઘની સમસ્યા વધારી શકે છે. તે જ સમયે સૂર્યપ્રકાશમાં વધુ સમય વિતાવવાથી આ સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે, તેથી સ્કીનને યુવી કિરણોથી બચાવવી મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો: દાંત પરથી પીળાશ હટાવવાની આ 3 ઘરેલું રીત અપનાવો, દાંત ચમકવા લાગશે
સ્કિનકેર કરવાની ટિપ્સ?
રિપોર્ટ મુજબ તમે ગર્ભાવસ્થા દરમિયાન મિનરલ સનસ્ક્રીનનો ઉપયોગ કરી શકો છો. તેમાં ઝીંક ઓક્સાઇડ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ જેવા સક્રિય ઘટકો હોય છે, જે યુવી કિરણો સામે રક્ષણ આપવા માટે સ્કીનની સપાટી પર એક લેયર બનાવે છે. આ તત્વો સ્કિનમાં શોષાતા પણ નથી તેથી બાળક પર કોઈ અસર થતી નથી. ડૉ. દાદુ એમ પણ કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ફક્ત શારીરિક સનસ્ક્રીન જ સલામત છે.
સનસ્ક્રીનઓ ઉપયોગ ક્યારે ટાળવો?
સનસ્ક્રીન ખરીદતી વખતે લેબલ કાળજીપૂર્વક વાંચો. ઓક્સીબેન્ઝોન, એવોબેન્ઝોન, ઓક્ટીનોક્સેટ, હોમોસાલેટ વગેરે ધરાવતા રાસાયણિક સનસ્ક્રીન ખરીદવાનું ટાળો. આ ઉપરાંત બોડી સનસ્ક્રીન લીધા બાદ એકવાર હેલ્થ એક્સપર્ટની સલાહ ચોક્કસ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us