Paracetamol | તાવ આવે ત્યારે ખાલી પેટ પેરાસીટામોલ લેવાથી શરીર પર કેવી અસર થાય?

એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલ લેવાથી સંતાનમાં ઓટીઝમ અને ધ્યાન-ખાધ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર સહિત ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર થવાની શક્યતા વધી શકે છે.

Written by shivani chauhan
September 12, 2025 07:00 IST
Paracetamol | તાવ આવે ત્યારે ખાલી પેટ પેરાસીટામોલ લેવાથી શરીર પર કેવી અસર થાય?
Can you take paracetamol on an empty stomach

Paracetamol | આપણે ભારતીયો નાની નાની સમસ્યાઓના ઉકેલ માટે પેરાસિટામોલ પર થોડા વધારે પડતા નિર્ભર છીએ. પેરાસિટામોલ દવાની દુકાનમાં સરળતાથી મળી રહે છે, અને સસ્તું પણ છે. જોકે વધુ પડતું પેરાસિટામોલ (paracetamol) લેવાથી જોખમો પણ વધી શકે છે. તાવ આવે ત્યારે ખાલી પેટ ઘણા લોકો પેરાસિટામોલ હોય છે, પરંતુ શું ખાલી પેટ આ દવા લઇ શકાય?

તાવ આવે ત્યારે ખાલી પેટ પેરાસીટામોલ લઇ શકાય?

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલના ફાર્મડી, ક્લિનિકલ ફાર્માસિસ્ટ, ડૉ. કપિલ અડવાણીએ જણાવ્યું હતું કે લોકો પેરાસિટામોલને સંપૂર્ણપણે હાનિકારક માનીને પીવે છે કારણ કે તે સરળ રીતે ઉપલબ્ધ છે પરંતુ શરીરને તે નુકશાન થઇ શકે છે. નિયમિત સેવનથી લીવરને નુકસાન થઈ શકે છે, કિડની પર તાણ આવી શકે છે અને બ્લડ પ્રેશરમાં પણ ખલેલ પહોંચી શકે છે.

ઘણીવાર, આપણે આપણી સમસ્યાઓ દૂર કરવા માટે જાતે દવા કરવાનો અને ગોળીઓ લેવાનો પ્રયાસ કરીએ છીએ. પરંતુ આમ કરવાથી આપણા શરીરને લાંબા ગાળાનું નુકસાન થઈ શકે છે. Indianexpress.com એ આરોગ્ય નિષ્ણાત સાથે વાત કરી અને તાવ દરમિયાન ખાલી પેટે પેરાસિટામોલ લેવાથી શું થાય છે તે જણાવ્યું

તેમણે સમજાવ્યું કે “તાવ માટે ખાલી પેટ પેરાસીટામોલ લેવાનું સામાન્ય રીતે સલામત માનવામાં આવે છે અને તેના પરિણામે લક્ષણોમાં ઝડપી રાહત મળી શકે છે, કારણ કે ખાલી પેટ તેનું લોહીના પ્રવાહમાં શોષણ ઝડપથી થાય છે. જોકે પેરાસીટામોલ મુખ્યત્વે લીવર દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે, ખાલી પેટે તેનું સેવન ભલામણ કરેલ માત્રામાં લેવામાં આવે ત્યારે લીવર પર તાણનું જોખમ વધારતું નથી, ન તો તે જઠરાંત્રિય બળતરાને ઉત્તેજિત કરે છે જે ઘણીવાર આઇબુપ્રોફેન જેવા NSAIDs સાથે સંકળાયેલ હોય છે.’

ડૉ. અડવાણીના જણાવ્યા મુજબ, યુકેમાં NHS સહિત અસંખ્ય તબીબી વ્યાવસાયિકો અને આરોગ્ય સંસ્થાઓ ખાલી પેટે પેરાસીટામોલ લેવાનું સમર્થન કરે છે, જે પેટની લાઇનિંગ પર તેની હળવી અસર અને તીવ્ર પરિસ્થિતિઓમાં દુખાવો અને તાવ ઝડપથી દૂર કરવાના ફાયદા પર પ્રકાશ પાડે છે. તેમ છતાં તેમણે ચેતવણી આપી હતી કે જે વ્યક્તિઓ ઉબકાની સંભાવના ધરાવે છે તેઓ ગોળી ખોરાક સાથે લેવાનું પસંદ કરી શકે છે.

વધારે માત્રામાં પેરાસીટામોલ લેવાથી શું થાય?

“પેરાસીટામોલ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવાઓમાંની એક છે . પુખ્ત વયના લોકો માટે મહત્તમ માત્રા દરરોજ ચાર ગ્રામ છે (આશરે આઠ 500-મિલિગ્રામ ગોળીઓ). પરંતુ તે દૈનિક મહત્તમ માત્રા છે, દૈનિક ઉપયોગ માટે સૂચન નથી. કમનસીબે, ઘણા લોકો તેને અઠવાડિયામાં ઘણી વખત વિચાર્યા વિના લે છે,” તેમણે શેર કર્યું કે વર્ષ 2019 ના અભ્યાસ મુજબ, લાંબા ગાળાના ઉપયોગ, ભલામણ કરેલ મર્યાદામાં પણ જો પ્રમાણ વધી જાય તો લીવર એન્ઝાઇમનું સ્તર વધારી શકે છે, જે લીવર તણાવ દર્શાવે છે. જે લોકો દારૂ પીવે છે, પહેલાથી જ લીવરની બીમારીઓ ધરાવે છે અથવા ઓછું વજન ધરાવે છે તેમના માટે લીવરને નુકસાન એક ગંભીર જોખમ છે.

તાવ માટે ખાલી પેટે પેરાસિટામોલ લેવાથી શરીર પર આવી અસર થાય

ડૉ. અડવાણીના મતે, 2022ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 4 ગ્રામ/દિવસના દરે બે અઠવાડિયા સુધી પેરાસિટામોલ લેવાથી હાઈ બ્લડ પ્રેશર વધી જાય છે. તેમણે 2015ના એક જૂના અભ્યાસનો ઉલ્લેખ કર્યો હતો જેમાં નિયમિત ઉપયોગ (બે-ચાર ગ્રામ/દિવસ) ને પેટ ખરાબ થવા સાથે જોડવામાં આવ્યો હતો, અને ત્રણ ગ્રામથી વધુ માત્રામાં ગેસ્ટ્રિક રક્તસ્રાવનું જોખમ વધારે છે.

જ્યારે પેરાસીટામોલ સાર્વત્રિક રીતે સલામત લાગે છે, તેમણે ઉલ્લેખ કર્યો કે અમુક લોકોએ સાવધાની રાખવાની જરૂર છે,

  • લીવર રોગ ધરાવતા લોકો અથવા વારંવાર દારૂ પીનારાઓ: સામાન્ય માત્રા પણ જોખમી હોઈ શકે છે.
  • ઓછા વજનવાળા વ્યક્તિઓ (<50 કિગ્રા): પ્રમાણભૂત માત્રા વધુ પડતી હોઈ શકે છે.
  • કિડનીની બીમારી ધરાવતા લોકો: સંચિત નુકસાન થવાની સંભાવના વધુ હોય છે.
  • સગર્ભા સ્ત્રીઓ: લાંબા સમય સુધી ઉપયોગ બાળકના હૃદયના વિકાસ માટે સંભવિત જોખમો સાથે સંકળાયેલ છે.
  • લોહી પાતળા કરનાર (જેમ કે વોરફેરિન) લેતા દર્દીઓ: લાંબા ગાળાના ઉપયોગથી રક્તસ્ત્રાવનું જોખમ વધી શકે છે.

એક્સપર્ટ કહે છે, “પુખ્ત વયના લોકો માટે દૈનિક મહત્તમ 4 ગ્રામની માત્રાને વટાવી દેવા જેવી મુખ્ય મુશ્કેલીઓ ટાળવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આનાથી લીવરની ઝેરી અસર થઈ શકે છે, વધુ માર્ગદર્શન માટે તમારે તમારા ડૉક્ટર અથવા ફાર્માસિસ્ટનો સંપર્ક કરવો જોઈએ.

Pregnancy Health Tips | ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલ લેવાથી નવજાત શિશુઓને આડઅસર થઇ શકે?

એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે, ગર્ભાવસ્થા દરમિયાન પેરાસિટામોલ લેવાથી સંતાનમાં ઓટીઝમ અને ધ્યાન-ખાધ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડર સહિત ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર થવાની શક્યતા વધી શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ