Health Tips : શિયાળામાં કાજુ ખાવા ફાયદાકારક છે? દરરોજ 1 મુઠ્ઠી કાજુ ખાવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? જાણો

Cashews Benefits And Disadvantages : કાજુ લોકપ્રિય ડ્રાયફ્રૂટસ છે. હોમિયોપેથિક ડોક્ટર લોકેન્દ્ર ગૌરનું કહેવું છે કે, દરરોજ 1 મુઠ્ઠી જેટલા કાજુ ખાવાથી શરીરમાં ઊર્જા વધે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ ટાળવામાં મદદ કરે છે.

Cashews Benefits And Disadvantages : કાજુ લોકપ્રિય ડ્રાયફ્રૂટસ છે. હોમિયોપેથિક ડોક્ટર લોકેન્દ્ર ગૌરનું કહેવું છે કે, દરરોજ 1 મુઠ્ઠી જેટલા કાજુ ખાવાથી શરીરમાં ઊર્જા વધે છે, બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે અને કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું જોખમ પણ ટાળવામાં મદદ કરે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Cashews Benefits | Cashews Side Effects | Cashews | Cashews Disadvantages | dryfruits benefits

Cashews Benefits And Side Effects : કાજુ ખાવાના ફાયદા અને ગેરફાયદા (Photo: Freepik)

Cashews Benefits And Disadvantages : કાજુ એક ડ્રાયફૂટ્સ છે, જેનું તબીબી નામ એનાકાર્ડિયમ ઓક્સિડેન્ટેલ (Anacardium occidentale) છે. તે એક લોકપ્રિય ડ્રાયફ્રૂટ છે જે લોકો કાચા, શેકેલા અને નાસ્તા તરીકે, મીઠાઈમાં, ગ્રેવીમાં અથવા મિક્સ ડ્રાયફૂટ્સ સાથે ખાય છે. કાજુનો સ્વાદ અદ્ભુત છે. મીઠા અને ક્રંચી કાજુમાં હાજર પોષક તત્વોની વાત કરીએ તો, તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન ઇ, વિટામિન કે અને વિટામિન બી 6 જેવા પોષક તત્વો હોય છે. આ સાથે જ તેમાં ઝિંક, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ અને સેલેનિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે. આ બધા પોષક તત્વો શરીરને પોષણ આપે છે, હાડકાંને મજબૂત બનાવે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

Advertisment

કાજુમાં હાજર મોનોસેચ્યુરેટેડ ચરબી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં અને હૃદય રોગોને રોકવામાં પણ મદદરૂપ થઈ શકે છે પરંતુ મર્યાદિત માત્રામાં. તેના એન્ટીઓકિસડન્ટ ગુણધર્મો શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવે છે.

હોમિયોપેથિક ડોક્ટર લોકેન્દ્ર ગૌર કહે છે કે, જે લોકોનું વજન વધારે હોય છે તેઓ જો કાજુનું મર્યાદિત સેવન કરે તો તેમની વજન ઘટાડવાની કોશિશ સરળ બનાવી શકે છે. દરરોજ એક મુઠ્ઠી જેટલા કાજુ ખાવાથી શરીરમાં ઊર્જા વધે છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે અને કેન્સર જેવા જીવલેણ રોગના જોખમને પણ ટાળે છે. હવે એવો સવાલ ઉભો થાય છે કે, જો શિયાળામાં દરરોજ 1 મુઠ્ઠી કાજુનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? શું દરરોજ કાજુ ખાવાથી શરીર પર કોઈ આડઅસર થાય છે?

હૃદય તંદુરસ્ત રાખે છે

કાજુમાં મોનો સેચ્યુરેટેડ ફેટ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે અને હૃદયની ધમનીઓને સ્વસ્થ રાખે છે. શિયાળામાં નિયમિતપણે મર્યાદિત માત્રામાં કાજુ ખાવું સલામત અને હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisment

વજન નિયંત્રણમાં રહે છે

કાજુમાં ફાઇબર, પ્રોટીન અને હેલ્ધી ફેટ હોય છે જે પેટને ભરેલું રાખે છે, જે વધુ પડતું ખાવાની આદત ઘટાડે છે. તે ચયાપચયને ટેકો આપે છે અને શરીરને લાંબા સમય સુધી ઉર્જા આપે છે. દરરોજ એક મુઠ્ઠીભર કાજુ વજન ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ કાજુનું સેવન કરવાથી ભૂખ પર નિયંત્રણ રાખવામાં મદદ મળે છે.

હાડકાં મજબૂત બનાવે છે

કાજુ કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસનો સારો સ્ત્રોત છે, જે હાડકાની તાકાત વધારે છે. તેમાં રહેલું કોપર હાડકાની ઘનતા જાળવવામાં અને સાંધાને મજબૂત રાખવામાં મદદ કરે છે. નિયમિત સેવન નબળાઇ, અસ્થિભંગ અને હાડકાના રોગોને રોકવામાં મદદરૂપ છે જે વૃદ્ધત્વ સાથે થાય છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે

કાજુમાં ઝિંક, વિટામિન બી 6 અને એન્ટીઓકિસડન્ટો હોય છે જે રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે. તે શરીરને ચેપ સામે લડવામાં અને મુક્ત રેડિકલ્સ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે. શિયાળામાં કાજુનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે તેમજ વાયરલ અને બેક્ટેરિયલ રોગોનું જોખમ ઓછું થાય છે.

મગજ માટે પણ ફાયદાકારક છે

કાજુમાં હેલ્ધી ફેટ, મેગ્નેશિયમ, આયર્ન અને વિટામિન બી 6 હોય છે, જે મગજના કાર્યમાં વધારો કરે છે. તે મેમરી, ફોકસ અને મૂડમાં સુધારો કરે છે. તેમાં રહેલું ટ્રિપ્ટોફન તણાવ ઘટાડવામાં અને સેરોટોનિનનું સ્તર વધારવામાં મદદ કરે છે. કાજુનું નિયમિત સેવન માનસિક ઉર્જા અને એકાગ્રતા જાળવી રાખે છે.

કાજુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે?

જાણીતા કાર્ડિયોલોજિસ્ટ અને સાઉલ હાર્ટ સેન્ટરના સ્થાપક અને ડિરેક્ટર અને એઈમ્સના ભૂતપૂર્વ સલાહકાર ડો.વિમલ છાજરના જણાવ્યા અનુસાર, કાજુને તંદુરસ્ત નાસ્તો માનવામાં આવે છે, પરંતુ કેટલીક ખાસ બાબતો છે જે જાણવાની જરૂર છે. કાજુમાં ઘણી ચરબી એટલે કે ટ્રાઇગ્લિસરાઇડ હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

કાજુના સેવનથી કિડની પર પણ અસર પડે છે. કાજુમાં ઓક્સાલેટ્સ અને કેટલાક ઝેરી સંયોજનો પણ હોય છે જેમ કે એનહાઇડ્રાઇડ્સ, જે કિડનીની પથરી બનવાનું કારણ બની શકે છે અને આયર્નના શોષણને અટકાવીને ગેસ અથવા પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી, કાજુનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ, જેમ કે દરરોજ એક મુઠ્ઠી જ સેવન કરવું જોઇએ. આમ કુલ મળીને રાજુ સંપૂર્ણપણે બિનઆરોગ્યપ્રદ નથી, પરંતુ તેનું મર્યાદિત સેવન સૌથી સલામત વિકલ્પ છે.

જીવનશૈલી health tips