/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Diabetes-Diet-Tips.jpg)
Diabetes Diet Tips: ડાયાબિટીસ દર્દીએ કાજુનું સેવન કરવામાં સાવધાની રાખવી જોઇએ. (Photo: Freepik)
Diabetes Diet Tips: ડાયાબિટીસ એક એવો રોગ છે જેને કાબૂમાં રાખવાનો સૌથી પહેલો રસ્તો આહાર પર નિયંત્રણ રાખવાનો છે. આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ કે જેમાં કાર્બ્સ ઓછા અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય. વધારે મીઠાશ અને તેલયુક્ત ખોરાક ડાયાબિટીઝ દર્દીઓના શરીરમાં બ્લડ સુગર લેવલ ઝડપથી વધારે કરે છે. ડાયાબિટીઝ દર્દીઓ એવા ખોરાકનું સેવન કરે છે જેમાં ખાંડને નિયંત્રિત કરવા માટે ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ કાર્બોહાઇડ્રેટથી ભરપૂર આહાર તમારા બ્લડ સુગર લેવલને કેટલી ઝડપથી વધારે છે તેનું માપ છે.
ડાયાબિટીસના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને શરીરમાં નબળાઈ પણ વધારે હોય છે, આ લોકો માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું ખૂબ જરૂરી છે. હેલ્ધી ફૂડનું નામ લેતા જ આપણા મનમાં જે ખાવાની ચીજોના નામ યાદ આવે છે તે છે ડ્રાયફ્રૂટ્સ એટલે કે સૂકામેવા. ડ્રાયફ્રૂટની વાત કરીએ તો કાજુ એવા ડ્રાયફ્રૂટ્સ છે જે સ્વાદમાં મીઠા અને વધુ કેલરી ધરાવે છે. ડાયાબિટીસના દર્દીઓ ઘણીવાર આ ડ્રાયફ્રૂટ ખાવાનું ટાળે છે.
ક્લિનિકલ ડાયેટિશિયન ગરિમા ગોયલે જણાવ્યું હતું કે એક નાનો બાઉલ (75 ગ્રામ) કાજુ ખાવાથી બલ્ડ સુગર લેવલ ખૂબ જ ઓછા પ્રમાણમાં વધે છે. 75 ગ્રામ કાજુના બાઉલમાં લગભગ 20 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમા 3 ગ્રામ ડાયેટરી ફાઇબર હોય છે, જેનાથી કુલ કાર્બોહાઈડ્રેટ 17 ગ્રામ થઈ જાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે 75 ગ્રામ કાજુમાં કેલરી 440 Kcal છે. આનો અર્થ એ થયો કે આ હાઈ કેલરી કાજુનું સેવન કરવાથી બ્રેડ અને પાસ્તા જેવા હાઈ-કાર્બોહાઇડ્રેટવાળા આહારની તુલનામાં બ્લડ સુગર લેવલ નીચી કે મધ્યમ ગતિથી વધે છે.
કાજુનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ કેટલો છે?
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કાજુ એક ડ્રાયફ્રૂટ છે જેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 22થી ઓછો છે, જે વધારે નથી. કાજુમાં હાજર લો કાર્બોહાઇડ્રેટ સામગ્રી પણ કાજુને નીચા ગ્લાયકેમિક લોડની શ્રેણીમાં મૂકે છે. કાજુનો નીચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ડાયાબિટીઝના દર્દીઓ માટે વધુ સારી પસંદગી બનાવે છે.
પ્રોટીન અને ચરબીથી ભરપૂર
કાજુમાં પ્રોટીન અને ફેટ ભરપૂર પ્રમાણમાં એટલે કે 14 ગ્રામ અને 34 ગ્રામ હોય છે. આ પોષક તત્વો બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. પ્રોટીન અને તંદુરસ્ત ચરબી પાચનને ધીમું કરે છે અને ખોરાકની તૃષ્ણાઓને નિયંત્રિત કરે છે. તેના સેવનથી વધુ ભૂખ નિયંત્રિત કરી શકાય છે. કાજુમાં રહેલા ઉત્કૃષ્ટ બળતરા વિરોધી સંયોજનો ડાયાબિટીસના દર્દીઓમાં મેટાબોલિક નિયંત્રણ માટે શ્રેષ્ઠ પસંદગી બનાવે છે.
મેગ્નેશિયમ વિપુલ પ્રમાણ
ગોયલે કહ્યું કે કાજુમાં મેગ્નેશિયમ હોય છે જે ગ્લુકોઝ ચયાપચય અને ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મેગ્નેશિયમ શરીરના કોષોને બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરવા માટે ઇન્સ્યુલિન હોર્મોનનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે.
કાજુ ડાયાબિટીસ દર્દી માટે ફાયદાકારક છે?
નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, એક વાટકી કાજુ ડાયાબિટીઝ દર્દીઓ માટે થોડુંક વધારે હોઈ શકે છે. એક વાટકી કાજુ બ્લડ શુગર વધારી શકે છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ તેની માત્રાનું ધ્યાન રાખવું જોઈએ. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કાજુના વધુ પડતા સેવનથી બ્લડ સુગર વધી શકતું નથી, પરંતુ તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધી શકે છે, જેના કારણે વજન વધી શકે છે. જો તમે કાજુ વધારે ખાતા હોવ તો બ્લડ સુગર લેવલ સામાન્ય રાખવા માટે તમારે ફાયબરથી ભરપૂર કે પ્રોટીનયુક્ત ખોરાક જેવા કે વેજિટેબલ સલાડ, દહીં વગેરે સાથે કાજુ ખાવા જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us