/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Chanakya-Niti.jpg)
Chanakya Niti In Gujarati: ચાણક્ય નીતિ.
Chanakya Niti In Gujarati: પતિ પત્નીના સંબંધ પ્રેમ, વિશ્વાસ અને સમજણ પર ટકેલા હોય છે. પરંતુ ઘણી વખત અજાણતાં પતિ આવી કેટલીક વાતો બીજાને કહી દે છે, જેનાથી સંબંધોમાં અંતર આવી શકે છે. આચાર્ય ચાણક્ય માનતા હતા કે કેટલીક વસ્તુઓ ફક્ત પતિ-પત્ની વચ્ચે જ રહેવી જોઈએ. પતિ આ વાતો ગુપ્ત રાખે તો સંબંધોમાં મધુરતા રહે છે અને પતિ-પત્નીનું માન પણ જળવાઈ રહે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે પત્ની વિશેની કઈ વસ્તુઓ છે, જેના વિશે તમારે અન્ય લોકો સાથે વાત કરવાનું ટાળવું જોઈએ.
પતિ પત્નીના પ્રેમ વિશે કોઈની સાથે ચર્ચા ન કરવી
જો તમારી પત્ની તમને ખૂબ જ પ્રેમ કરતી હોય તો તેને બીજા સાથે શેર કરવાની જરૂર નથી. આચાર્ય ચાણક્યનું કહેવું છે કે આનાથી કેટલાક લોકોને ઈર્ષા થઈ શકે છે અને ક્યારેક લોકો સંબંધોમાં ગેરસમજ ઉભી કરવાનો પણ પ્રયાસ કરી શકે છે. સુખી દાંપત્ય જીવનને ખાનગી રાખવું વધુ સારું છે.
પત્નીના પીયરની વાતો ખાનગી રાખો
દરેક પરિવારની કોઈ ને કોઈ અંગત વાત હોય છે. જો પત્નીએ તમારી સાથે તેના પીયર વિશે કોઇ વાત કહી છે, તો તે બીજાને કહેવાનું ટાળો. આ તમારી પત્નીને ખરાબ તો લાગે જ છે સાથે જ તમારું સન્માન પણ ઘટાડી શકે છે. લગ્ન પછી પતિ-પત્ની બંનેએ એકબીજાના પરિવારનું સન્માન કરવું જોઈએ.
પત્નીની ખરાબ આદત અન્ય વ્યક્તિને ન જણાવો
જો તમારી પત્નીને કોઈ ખરાબ આદત હોય, જેમ કે ગુસ્સો કરવો, વધારે ખર્ચ કરવો, અથવા કોઈના વિશે વારંવાર ફરિયાદ કરવી, તો તેના વિશે અન્ય કોઇ વ્યક્તિને કહેવું નથી. આચાર્ય ચાણક્યના મતે દરેક મનુષ્યમાં કેટલીક ખામીઓ હોય છે, તે બીજી વ્યક્તિને કહેવાથી સંબંધો નબળા પડી શકે છે. પરસ્પર વાતચીત દ્વારા આ આદતોને સુધારવાનો પ્રયાસ કરવો વધુ સારું રહેશે.
પત્નીના આરોગ્ય વિશે વાત ન કરવી
જો પત્નીનું સ્વાસ્થ્ય સારું ન હોય કે કોઈ શારીરિક નબળાઈ હોય તો બીજા કોઈને કહેવાની જરૂર નથી. આવું કરવાથી પત્નીને ખરાબ લાગી શકે છે અને કેટલાક લોકો તેનો ફાયદો પણ ઉઠાવી શકે છે. દાંપત્યજીવનમાં પતિ-પત્ની એકબીજાનો સહારો બને, એકબીજાની નબળાઈઓને ઉજાગર ન કરે.
પત્નીનો ભૂતકાળ
દરેક મનુષ્યનો ભૂતકાળ હોય છે. જો લગ્ન પહેલા પત્નીના જીવનમાં કોઈ બીજું હતું અથવા તેની અમુક જુની વાતો છે, તો પછી તેની ચર્ચા કોઈ બીજા સાથે કરવી યોગ્ય નથી. તેનાથી પત્નીને માત્ર પરેશાની જ નથી થઈ શકતી, પરંતુ સંબંધોમાં પણ તિરાડ પડી શકે છે. એટલે ભૂતકાળ ભૂલી આગળ વધવું એ ડહાપણભર્યું છે.
(Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની સચોટતા અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us