/indian-express-gujarati/media/media_files/2026/02/09/coconut-oil-for-feet-2026-02-09-14-53-53.jpg)
ફાટેલી એડીઓ માટે નાળિયેર તેલ Photograph: (freepik)
Coconut oil for feet: બદલાતા હવામાનની અસર ઘણીવાર પગની ત્વચા પર દેખાય છે. ક્યારેક, આનાથી પગમાં દુખાવો અને શુષ્કતા આવી શકે છે, જેના કારણે પગની એડીઓ ફાટવા લાગે છે અને દુખાવો થાય છે. આમાંથી રાહત મેળવવા માટે લોકો બજારની મોંઘીદાટ ક્રીમ અને લોશનનો ઉપોયગ કરે છે. જોકે, તમે નાળિયેર તેલ સહિત કેટલાક સરળ ઘરેલું ઉપાયોને અનુસરીને પણ રાહત મેળવી શકો છો.
નાળિયેર તેલનો ઉપયોગ કરો
નાળિયેર તેલને કુદરતી મોઇશ્ચરાઇઝર માનવામાં આવે છે. તે ત્વચામાં ઊંડે સુધી પ્રવેશ કરે છે, તેને પોષણ આપે છે અને ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ એડીઓને નરમ પાડે છે અને ધીમે ધીમે શુષ્કતા ઘટાડે છે.
નાળિયેર તેલ એડીઓ પર કેવી રીતે લગાવવું?
નાળિયેર તેલ એડીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. સૂતા પહેલા, તમારા પગને હૂંફાળા પાણીથી ધોઈ લો અને તેને સારી રીતે સૂકવી લો. પછી, થોડું નાળિયેર તેલ ગરમ કરો અને તેને એડી અને તળિયા પર હળવા હાથે માલિશ કરો. આનાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને દિવસનો થાક ઓછો થાય છે. નાળિયેર તેલ લગાવ્યા પછી મોજાં પહેરો જેથી તમારા પગ ભેજવાળા રહે.
આ રીતે કાળજી લો
જો તમે તિરાડવાળી એડીમાંથી મૃત ત્વચા દૂર કરવા માંગતા હો, તો તમે નાળિયેર તેલમાં કોફી પાવડર ભેળવીને સ્ક્રબ તૈયાર કરી શકો છો. આ મિશ્રણને તમારા પગ પર લગાવો અને લગભગ 10 મિનિટ સુધી હળવા હાથે ઘસો. આનાથી સંચિત ગંદકી અને મૃત ત્વચા સરળતાથી દૂર થશે.
નાળિયેર તેલ ઉપરાંત, એલોવેરા પગની સંભાળમાં પણ ઉપયોગી છે. એલોવેરા જેલમાં ઠંડક અને હીલિંગ ગુણધર્મો છે, જે તિરાડવાળી ત્વચાને શાંત કરવામાં મદદ કરે છે. સૂતા પહેલા તમારા પગના તળિયા પર જેલ લગાવો અને મોજાં પહેરો. સવારે ઉઠ્યા પછી તમારા પગ ઠંડા પાણીથી ધોઈ લો.
ડિસ્ક્લેમર: આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી છે. કોઈપણ સમસ્યા અથવા પ્રશ્નો માટે નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us