ભારતી સિંહે વજન ઘટાડવાની શાનદાર ટિપ્સ જણાવી, પહેલા પોતે અપનાવી રીત

Comedian Bharti Singh Weight Loss Journey : ભારતી સિંહે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેણે પોતાની ડાયેટ મેન્ટેન કરીને થોડા મહિનામાં પોતાનું વજન ઘટાડ્યું છે. જો તમે પણ તમારું વજન ઓછું કરવા માંગો છો, તો ભારતી સિંહે આપેલી આ ટિપ્સને ફોલો કરી શકો છો.

Comedian Bharti Singh Weight Loss Journey : ભારતી સિંહે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેણે પોતાની ડાયેટ મેન્ટેન કરીને થોડા મહિનામાં પોતાનું વજન ઘટાડ્યું છે. જો તમે પણ તમારું વજન ઓછું કરવા માંગો છો, તો ભારતી સિંહે આપેલી આ ટિપ્સને ફોલો કરી શકો છો.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Bharti Singh, Comedian Bharti Singh

તાની કોમેડીથી બધાને હસાવનારી ભારતી સિંહે વજન ઘટાડવા અંગેનો પોતાનો અનુભવ શેર કર્યો (તસવીર - સોશિયલ મીડિયા)

Bharti Singh Weight Loss Tips: સ્થૂળતાના કારણે મોટાભાગના લોકો પરેશાન રહે છે. લોકોને વજન ઘટાડવા માટે ઘણા ઉપાયો કરે છે. ઘણા લોકો જીમમાં જાય છે તો કેટલાક લોકો યોગ કરે છે. સાથે જ કેટલાક લોકો એવા પણ હોય છે જે સતત કસરતની સાથે ડાયેટ ઉપર પણ ધ્યાન આપે છે. પોતાની કોમેડીથી બધાને હસાવનારી ભારતી સિંહે વજન ઘટાડવા અંગેનો પોતાનો અનુભવ શેર કર્યો છે.

Advertisment

ભારતી સિંહ પાસેથી શીખો કેવી રીતે ઉતારશો વજન?

ભારતી સિંહે એક પોડકાસ્ટમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેણે પોતાની ડાયેટ મેન્ટેન કરીને થોડા મહિનામાં પોતાનું વજન ઘટાડ્યું છે. જો તમે પણ તમારું વજન ઓછું કરવા માંગો છો, તો ભારતી સિંહે આપેલી આ ટિપ્સને ફોલો કરી શકો છો.

ડાયેટ પર ખાસ ધ્યાન આપો

કોમેડિયન ભારતી સિંહે અભિનેતા ગુરમીત ચૌધરી સાથે યૂટ્યૂબ પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તેણે વજન ઘટાડવા માટે પોતાના ડિનરમાં ફેરફાર કર્યો હતો, જેના કારણે લગભગ 6-7 મહિનામાં તેનું વજન ઘટી ગયું હતું. ભારતી સિંહે વધુમાં જણાવ્યું હતું કે તેણે સાંજે 6.30 વાગ્યે પોતાનું ડિનર ખાવાનું શરૂ કર્યું હતું, જેણે તેને શાનદાર પરિણામ આપ્યું હતું.

તેણે વધુમાં જણાવ્યું હતું કે વજન ઉતાર્યા બાદ જ્યારે તેમણે સાંજે 6.30 વાગ્યાને બદલે 9.30 વાગ્યે ડિનર લેવાનું શરૂ કર્યું ત્યારે તેમને ઘણી સમસ્યાઓ થવા લાગી હતી.

Advertisment

આ પણ વાંચો - એક મહિનામાં 15 થી 20 કિલો વજન ઓછું કરવા માટે આ રહ્યો ડાયેટ ચાર્ટ

શું ડિનર જલ્દી કરવાથી વજન ઘટે છે?

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા પીએસઆરઆઇ હોસ્પિટલ નવી દિલ્હીના ડાયેટિશિયન ડો.દેબજાની બેનર્જીએ જણાવ્યું હતું કે છેલ્લા છ-સાત મહિનાથી એક જ સમયે ખાવાનું ખાવાથી શરીરમાં ઘણો બદલાવ આવે છે, જેનાથી સ્વાસ્થ્ય સારું રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે 6:30 વાગ્યે ડિનર લેવાથી પાચનશક્તિમાં સુધારો થાય છે, જેના કારણે રાત્રે સારી ઊંઘ આવે છે. ઝડપથી ખાવાનું ખાવાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે.

રાત્રે જલ્દી ખાવાથી મેટાબોલિઝમની ક્રિયા સુધરે છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાત્રે વહેલા ખાવાથી મેટાબોલિઝમ સુધરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાત્રે વહેલા ડિનર લેવાથી ઊંઘ તો સારી આવે જ છે, પરંતુ બીજા દિવસે પણ શરીરમાં એનર્જી જળવાઈ રહે છે, જેથી તમે વધુ સારી રીતે કામ કરી શકો.

જીવનશૈલી health tips celebrities મનોરંજન ન્યૂઝ