શું પગની એડી વારંવાર ફાટી જાય છે? શરીરમાં વિટામિનની ઉણપને લીધે હોઈ શકે, જાણો

પગની એડીમાં તિરાડ થવાના કારણો | પગની એડીની તિરાડની સમસ્યા ફક્ત ઋતુ બદલાવાને કારણે જ નહીં, પણ શરીરમાં પોષક તત્વોના અભાવને કારણે પણ થાય છે. હાથ અને પગની શુષ્કતા, ગંદકી, ખરાબ ત્વચાની દિનચર્યા અને હોર્મોનલ ફેરફારો હીલ્સને અસર કરી શકે છે.

Written by shivani chauhan
August 27, 2025 15:01 IST
શું પગની એડી વારંવાર ફાટી જાય છે? શરીરમાં વિટામિનની ઉણપને લીધે હોઈ શકે, જાણો
cracked heel issue

Cracked Heels Home Remedies In Gujarati | શિયાળો હોય કે ઉનાળો, એડીઓમાં તિરાડ પડવી માત્ર ખરાબ જ નથી લાગતી પણ પીડા અને બળતરા પણ પેદા કરી શકે છે. ઘણા લોકો તેને ફક્ત સ્કિનની ડ્રાયનેસ અને ગંદકી સાથે સંબંધિત સમસ્યા માને છે. પરંતુ એક્સપર્ટના મતે, શરીરમાં પોષક તત્વોનો અભાવ પણ આ માટે જવાબદાર હોઈ શકે છે. ખાસ કરીને આયર્નની ઉણપને એડીઓમ તિરાડ પડવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે.

આયર્નની ઉણપને લીધે પગની એડીમાં તિરાડ પડે છે?

શરીરમાં હિમોગ્લોબિન ઉત્પન્ન કરવા ઉપરાંત, આયર્ન સ્કિનના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે સ્કિનમાં ભેજ જાળવવા અને કોલેજન લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે.જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય છે, ત્યારે સ્કિન ડ્રાય, ખરબચડી અને નબળી બની જાય છે. આ જ કારણ છે કે એડીઓ ફાટવા લાગે છે અને ક્યારેક તેમાં ઊંડી તિરાડો પડી જાય છે અને લોહી પણ નીકળવા લાગે છે.

આયર્ન કોલેજનના નિર્માણમાં પણ મદદ કરે છે, જે સ્કિનને હેલ્ધી રાખવા માટે જરૂરી છે. જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય છે, ત્યારે સ્કિનની ક્વોલિટી નબળી પડવા લાગે છે અને તિરાડની સમસ્યા વધુ ગંભીર બની જાય છે. આયર્નની ઉણપના લક્ષણો વારંવાર એડી ફાટવી, સ્કિનની ડ્રાયનેસ વધવી, હોઠ અને હાથ-પગ ફાટવા, વાળ ખરવા, થાક અને નબળાઈનો સમાવેશ થાય છે.

શું ખાવાથી આયર્નની ઉણપ પુરી થાય?

તિરાડ પડતી એડીઓ ટાળવા માટે, તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવાથી પગની એડીમાં તિરાડ પડવાની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ મળે છે. આયર્નની ઉણપને દૂર કરવા માટે, સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે લીલા પાંદડાવાળા શાકભાજી, ફળો, બદામ અને બીજ (બદામ,કાજુ, સૂર્યમુખી અને કોળાના બીજ), આખા અનાજ અને કઠોળ (રાજમા, ચણા, મસૂર, જુવાર, બાજરી) વગેરેનો તમારા ડાયટમાં સમાવેશ કરો.

જે લોકો નોન વેજ ખાય છે તેઓ તેમના આહારમાં ઈંડા, માછલી અને ચિકનનો સમાવેશ કરી શકે છે. આ ઉપરાંત, આયર્નના વધુ સારા શોષણ માટે, વ્યક્તિએ નારંગી, લીંબુ, જામફળ વગેરે જેવા વિટામિન-સીથી ભરપૂર ફળોનું પણ સેવન કરવું જોઈએ.

શું ડાયેટિંગ કે કસરત વગર તમારું વજન ઘટી રહ્યું છે? અવગણશો નહીં, તે આ રોગોની નિશાની હોઈ શકે!

સ્કિનકેર ટિપ્સ

  • ડાયટ ઉપરાંત, પગની એડીની તિરાડ પડતી રોકવા માટે કેટલાક ઘરેલું ઉપાયોનો પણ ઉપયોગ કરી શકાય છે. એડીઓ પર નિયમિતપણે મોઇશ્ચરાઇઝર લગાવો.
  • હુંફાળા પાણીમાં મીઠું ઉમેરો અને તમારા પગને 10 મિનિટ સુધી પલાળી રાખો. સૂતા પહેલા નાળિયેર તેલ અથવા ઘીથી માલિશ કરો. તમારા પગની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ