Cycling : એકાગ્રતા વધારશે સાયકલિંગ, દરરોજ 30 મિનિટ કરો શરીરને થશે અસંખ્ય ફાયદા

Cycling : સાયકલિંગ કાર્ડિયોની જેમ તેનું સુલભ સ્વરૂપ છે, જ્યારે સાયકલિંગની સતત પ્રેક્ટિસ કરવામાં આવે ત્યારે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. હેલ્થ એક્સપર્ટ પણ તેની પરિવર્તનકારી અસર વિશે જણાવે છે કે દરરોજ 30-મિનિટ સાયકલ ચલાવવાની આદત તમારી શારીરિક અને માનસિક સુખાકારી પર અસર કરી શકે છે.

Written by shivani chauhan
August 01, 2024 07:00 IST
Cycling : એકાગ્રતા વધારશે સાયકલિંગ, દરરોજ 30 મિનિટ કરો શરીરને થશે અસંખ્ય ફાયદા
Cycling : બ્લડ પ્રેશરથી લઇ એકાગ્રતા વધારવામાં મદદ કરશે સાયકલિંગ, દરરોજ 30 મિનિટ કરો શરીરને થશે અસંખ્ય ફાયદા

Cycling : આજના સમયમાં લોકોનું બેઠાડુ જીવન વધુને વધુ સામાન્ય બનતું જાય છે. ખાસ કરીને શહેરી વસ્તીમાં તે વધારે જોવા મળે છે. જેથી રૂટિનમાં નિયમિત કસરતનો સમાવેશ કરવોએ પહેલા કરતાં વધુ નિર્ણાયક બની ગયું છે. શહેરમાં લોકો જિમ, રનિંગ અન્ય કસરત, સાયકલિંગ વગેરે કરી ફિટ રહેવાનો પ્રયાસ કરે છે, એમાંથી સાયકલિંગના ફાયદા (Benefits of Cycling) વિશે અહીં વાત કરી છે,

સાયકલિંગ કાર્ડિયોની જેમ તેનું સુલભ સ્વરૂપ છે, જ્યારે સાયકલિંગની સતત પ્રેક્ટિસ કરવામાં આવે ત્યારે અસંખ્ય સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે. હેલ્થ એક્સપર્ટ પણ તેની પરિવર્તનકારી અસર વિશે જણાવે છે કે દરરોજ 30-મિનિટ સાયકલ ચલાવવાની આદત તમારી શારીરિક અને માનસિક સુખાકારી પર અસર કરી શકે છે.

એક્સપર્ટે કહ્યું, ‘એક ફિઝિયોથેરાપિસ્ટ અને પ્રમાણિત Pilates પ્રશિક્ષક તરીકે, મે શરીર અને મન પર નિયમિત કસરતની પરિવર્તનકારી અસરો જોઈ છે. દિવસમાં માત્ર 30 મિનિટ સાયકલ ચલાવવાથી અસંખ્ય સ્વાસ્થ્ય લાભ થઇ શકે છે.’

આ પણ વાંચો: Cardio Exercise Benefits: સવારે માત્ર 10 મિનિટ આ 1 કસરત કરવાથી થશે 8 અદભુત ફાયદા, શરીર અને મગજ બંને રહેશે સ્વસ્થ

દરરોજ સાયકલિંગ કરવાના ફાયદા

શારીરિક ફેરફારો અને કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ : ડૉ. શ્રાવણી કહે છે કે દરરોજ 30 મિનિટ સાઇકલ ચલાવવાથી કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યમાં નોંધપાત્ર વધારો થાય છે. આ એરોબિક પ્રવૃત્તિ હૃદયના ધબકારા વધારે છે અને રક્ત પરિભ્રમણને પ્રોત્સાહન આપે છે, જે વધુ કાર્યક્ષમ કાર્ડિયોવેસ્ક્યુલર કાર્ય તરફ દોરી જાય છે.

ડોકટરે અમેરિકન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત રિસર્ચને ટાંક્યું છે જેમાં નિયમિત સાયકલ ચલાવવાની અસરની ચર્ચા કરવામાં આવી છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોનું જોખમ ઘટાડે છે, હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરીને, બ્લડ પ્રેશર ઘટાડીને અને લિપિડ પ્રોફાઇલને ઑપ્ટિમાઇઝ કરી છે ત્યારે હાનિકારક LDL (ઓછી-ઘનતાવાળા લિપોપ્રોટીન) બેડ કોલેસ્ટ્રોલને ઘટાડીને અને ફાયદાકારક HDL (ઉચ્ચ ઘનતાવાળા લિપોપ્રોટીન) કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે.

ડોકટરે ઉમેર્યું કે, ‘સતત સાયકલ ચલાવવાથી શરીરની ઓક્સિજનનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવાની ક્ષમતામાં વધારો કરીને એરોબિક ક્ષમતામાં વધારો થાય છે. આનાથી સહનશક્તિમાં વધારો થાય છે, જે થાક વિના લાંબા સમય સુધી શારીરિક પ્રવૃત્તિને સક્ષમ કરે છે. સમય જતાં, દૈનિક સાયકલ ચલાવવાથી નોંધપાત્ર કાર્ડિયોવેસ્ક્યુલર અને સ્નાયુબદ્ધ સહનશક્તિ વધે છે.

સ્નાયુને મજબૂતી, લવચીકતા અને એકંદર સ્વાસ્થ્ય સુધારે

દરરોજ 30 મિનિટ સાઇકલિંગ કરવાથી તમારી શક્તિ, સુગમતા અને એકંદર ફિટનેસ પર અસર કરી શકે છે

સ્નાયુઓની મજબૂતાઈ: સાયકલિંગ મુખ્યત્વે શરીરના નીચેના સ્નાયુઓને લક્ષ્ય કરે છે, જેમાં ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ, ગ્લુટ્સ અને હિપનો સમાવેશ થાય છે. નિયમિત સાયકલિંગ આ સ્નાયુઓને મજબૂત બનાવે છે, સહનશક્તિ અને એકંદર સ્નાયુ ટોન કરે છે. આ ઉપરાંત મુખ્ય સ્નાયુઓ સંતુલન અને સ્થિરતા જાળવવામાં મદદ કરે છે.

લવચીકતા: સાયકલ ચલાવવાથી લવચીકતાને સમર્થન આપે છે, ખાસ કરીને ઘૂંટણ, હિપ્સ અને પગની ઘૂંટીઓમાં લવચીકતા વધે છે. સાઇકલિંગ પહેલાં અને પછી સ્ટ્રેચિંગ રૂટિનનો સમાવેશ કરવાથી લવચીકતામાં વધારો થઈ શકે છે અને જડતા અટકાવી શકાય છે, સાંધાઓ કોમળ અને કાર્યશીલ રહે તેની ખાતરી કરી શકાય છે.

એકંદરે ફિટનેસ લેવલ : સાયકલિંગ સંપૂર્ણ શારીરિક વર્કઆઉટ પ્રદાન કરે છે જે કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્ય, સ્નાયુઓની મજબૂતાઈ અને સાંધાઓની લવચીકતાને વધારે છે. તે વજનને નિયંત્રિતમાં મદદ કરી શકે છે. જે તમને ફિટનેસ ગોલ સુધી પહોંચવામાં મદદ કરે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ અનુસાર, 30-મિનિટનું સાયકલિંગ 200-400 કેલરી બર્ન કરી શકે છે. તીવ્રતા અને વ્યક્તિના વજનના આધારે, તે તંદુરસ્ત વજન જાળવવા માટે એક ઉત્તમ કસરત છે.

આ પણ વાંચો: Deepika Padukone Pregnancy Yoga Viparita Karani : પ્રેગ્નેન્સી દરમિયાન દીપિકા પાદુકોણએ ‘વિપરિત કરણી આસન’ કર્યું, આસનની પ્રેક્ટિસ કરતી વખતે શું ધ્યાન રાખવું?

માનસિક સ્વાસ્થ્ય

દરરોજ 30 મિનિટ સાઇકલિંગ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. તે એન્ડોર્ફિન્સ અને સેરોટોનિન રિલીઝ કરે છે કે જે કુદરતી મૂડ સુધારીને તણાવ, ચિંતા અને ડિપ્રેશનને ઘટાડવામાં મદદ કરે છે. બહાર સાયકલ ચલાવવાથી સૂર્યપ્રકાશનો સંપર્ક પણ થાય છે, જે સર્કેડિયન લયને નિયંત્રિત કરવામાં અને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે.

સાયકલિંગ સહિતની નિયમિત શારીરિક પ્રવૃત્તિ મગજમાં રક્ત પ્રવાહમાં વધારો કરે છે, યાદશકિત વધારવામાં, ધ્યાન વધારવામાં અને સમસ્યા હલ કરવાની કુશળતા જેવા જ્ઞાનાત્મક કાર્યોમાં વધારો કરે છે.

સંભવિત જોખમો

અહીં દરરોજ આ કસરત કરવા સાથે સંકળાયેલા કેટલાક સંભવિત જોખમો છે, એક્સપર્ટએ જણાવ્યા મુજબ તમારે તે ટાળવા માટે કયા પરિબળો ધ્યાનમાં લેવા જોઈએ

ઈજા નિવારણ: જ્યારે સાયકલ ચલાવવી એ સામાન્ય રીતે ઓછી અસરવાળી કસરત છે, ત્યારે અયોગ્ય તકનીક અથવા વધુ પડતા ઉપયોગથી ઘૂંટણનો દુખાવો, પીઠના નીચેના ભાગમાં દુખાવો અથવા ટેન્ડિનિટિસ જેવી ઇજાઓ થઈ શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે, તમારી બાઇક યોગ્ય રીતે ફીટ થયેલ છે તેની ખાતરી કરવી જરૂરી છે, યોગ્ય મુદ્રા જાળવી રાખો અને ધીમે ધીમે તમારી સવારીની તીવ્રતા અને સમયગાળો વધારવો.

સલામતીનાં પગલાં: સલામતી હંમેશા પ્રાથમિકતા હોવી જોઈએ. માથાની ઇજાઓને રોકવા માટે હેલ્મેટ પહેરવું મહત્વપૂર્ણ છે, અને ઓછા પ્રકાશમાં લાઇટનો ઉપયોગ દૃશ્યતા વધારી શકે છે. ટ્રાફિકના નિયમોનું પાલન અને સજાગ રહેવાથી અકસ્માતો ટાળી શકાય છે.

હાઇડ્રેશન અને પોષણ : સાયકલ ચલાવતા પહેલા અને એ દરમિયાન અને પછી યોગ્ય હાઇડ્રેશન મહત્વપૂર્ણ છે. સંતુલિત આહાર જે એનર્જી લેવલ અને સ્નાયુ પુનઃપ્રાપ્તિને ટેકો આપે છે તે પણ આવશ્યક છે. ખાતરી કરો કે તમે તમારી ઊર્જાને ટકાવી રાખવા અને સ્નાયુઓના સમારકામમાં મદદ કરવા માટે કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ચરબી વાળો ખોરાક ખાઓ છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ