Cyclone Biparjoy : સાઈક્લોન બિપરજોયને લઈને નિષ્ણાતોએ સલામત રહેવા માટે આ આરોગ્યને લગતા પગલાં શેર કર્યા

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય (Cyclone Biparjoy) ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો તેમજ પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી ધારણા છે અને 15 જૂન, 2023ના રોજ માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની ધારણા છે.

Cyclone Biparjoy: ચક્રવાત બિપરજોય (Cyclone Biparjoy) ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો તેમજ પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી ધારણા છે અને 15 જૂન, 2023ના રોજ માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની ધારણા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
cyclone biparjoy

ચક્રવાત બિપરજોય લેન્ડફોલ કરે તેવી અપેક્ષા છે; જુહુ બીચ, મુંબઈની તસવીર (અમિત ચક્રવર્તી દ્વારા એક્સપ્રેસ તસવીર)

ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે ચક્રવાત બિપરજોય હવે અત્યંત ચક્રવાતી વાવાઝોડામાં તીવ્ર બની ગયું છે. તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશો તેમજ અડીને આવેલા પાકિસ્તાનના દરિયાકાંઠાને પાર કરે તેવી ધારણા છે અને 15 જૂન, 2023ના રોજ માંડવી અને કરાચી વચ્ચે લેન્ડફોલ થવાની ધારણા છે. જેમ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટની સમીક્ષા બેઠકમાં વરિષ્ઠ અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓ સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સ્થળાન્તરિત અને આવશ્યક સેવાઓ જેવી કે પાવર, ટેલિકોમ્યુનિકેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરેની જાળવણી સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલાં લીધા છે.

Advertisment

પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું કે, “ બિપરજોય ચક્રવાત નજીક આવતાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી . અમારી ટીમો સંવેદનશીલ વિસ્તારોમાંથી સલામત સ્થળાંતર સુનિશ્ચિત કરી રહી છે અને આવશ્યક સેવાઓની જાળવણી સુનિશ્ચિત કરી રહી છે. દરેકની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું.''

આ પણ વાંચો: Weight Loss Tips : આ 7 હેલ્થી બ્રેકફાસ્ટ, જે અંશુલા કપૂરની ડાયટ પેટર્નનો ભાગ છે, વેઇટ લોસ કરવામાં તમને થશે મદદગાર

Advertisment

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) એ ચક્રવાત દરમિયાન ઘરની અંદર અને બહાર કેવી રીતે સુરક્ષિત રહી શકાય તેના માર્ગદર્શિકા સાથે એક ટ્વિટ પણ મોકલ્યું છે.

,

ચક્રવાત દરમિયાન અને પછી અનુસરવાનાં ખાસ પગલાં

ઘરની અંદર

  • ઇલેક્ટ્રીકલ મેઇન્સ, ગેસ સપ્લાય બંધ કરો
  • દરવાજા અને બારીઓ બંધ રાખો
  • જો તમારું ઘર અસુરક્ષિત હોય, તો શરૂ થાય તે પહેલાં જ બહાર નીકળો
  • રેડિયો/ટ્રાન્ઝિસ્ટર સાંભળો
  • ક્લોરીનેટેડ પાણીપીઓ
  • ફક્ત ઓફોસીયલ ચેતવણી પર આધાર રાખો

બહાર

  • ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં પ્રવેશશો નહીં
  • તૂટેલા ઈલેક્ટ્રીક થાંભલા અને વાયરો અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓનું ધ્યાન રાખો
  • શક્ય તેટલું જલ્દી સુરક્ષિત આશ્રય મેળવો

ડૉ. અંત્યામી દાશે, ડેપ્યુટી ડાયરેક્ટર, આરોગ્ય અને પોષણ, બાલ રક્ષા ભારત (સેવ ધ ચિલ્ડ્રન) તરફ ધ્યાન દોર્યું કે, “જેમ જેમ ચક્રવાત બિપરજોય લેન્ડફોલ ઝોનની નજીક આવી રહ્યું છે, ત્યારે અમે બધા હાઈ એલર્ટ પર છીએ - બાળકો, યુવાનો અને તેમના પરિવારો, સરકારી અને બિન-સરકારી કલાકારો અને મીડિયા. અમુક સાવચેતી રાખવાનો આ યોગ્ય સમય છે.''

આ પણ વાંચો: Health Tips : પેકેજ્ડ દહીં અને ઘરે બનાવેલું દહી, આ બે માંથી તમારે કયું પસંદ કરવું જોઈએ? અહીં જાણો વિગતવાર

સ્વચ્છતાને પ્રાધાન્ય આપો : સાબુ અને ચોખ્ખા પાણીથી નિયમિત હાથ ધોવા સહિત યોગ્ય સ્વચ્છતા પ્રથાઓ અને સ્વચ્છતાનાં પગલાં અનુસરવામાં આવે છે તેની ખાતરી કરો. જ્યારે પાણી ઉપલબ્ધ ન હોય ત્યારે આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરો.

પાણીના સ્ત્રોતોને સુરક્ષિત કરો: પૂરના પાણી અને કાટમાળથી થતા દૂષણને રોકવા માટે પાણીના સ્ત્રોતોને સુરક્ષિત અને આવરી લેવા માટે પગલાં લો. યોગ્ય કન્ટેનરમાં સ્વચ્છ પાણીનો સંગ્રહ કરો.

દવાઓનો પૂરતો પુરવઠો સુનિશ્ચિત કરો: હાલની બીમારીઓ માટે અને ચક્રવાત દરમિયાન અને પછી પાણીજન્ય રોગોને સંબોધવા માટે ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન (ORS) સહિત આવશ્યક દવાઓનો પૂરતો સ્ટોક રાખો.

સારી રીતે સંતુલિત ફૂડ સપ્લાઇય તૈયાર કરો: સંતુલિત કટોકટી ફૂડ સપ્લાઇય તૈયાર કરો જેમાં નાશ ન પામે તેવી વસ્તુઓનો સમાવેશ થાય છે જે આવશ્યક મેક્રોન્યુટ્રિઅન્ટ્સ, વિટામિન્સ અને ખનિજો પ્રદાન કરે છે.

શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, ખોરાક બનાવતા પહેલા અથવા ખાતા પહેલા સાબુ અને ગરમ અથવા જીવાણુનાશિત પાણીથી તમારા હાથ ધોવા. શારદા હોસ્પિટલના એમડી (ઇન્ટરનલ મેડિસિન) ડૉ. શ્રેય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે બાળકોના હાથ વારંવાર (હંમેશા ભોજન પહેલાં) ધોવા.

જો તમારા પાણીનો પુરવઠો ક્ન્ટામીનેટેડ હોઈ, તો સલામત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા પાણી શુદ્ધિકરણ માટે આપવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરો, ડેશે જણાવ્યું હતું. ડૉ શ્રીવાસ્તવે ઉમેર્યું હતું કે, “1 ગેલન પાણી દીઠ 1/8 ચમચી ઘરગથ્થુ બ્લીચ મિક્સ કરીને ધોવા માટે પાણીને જંતુમુક્ત કરો. તેને 30 મિનિટ સુધી રહેવા દો. જો પાણી વાદળછાયું હોય, તો 1 ગેલન પાણી દીઠ 1/4 ચમચી ઘરગથ્થુ બ્લીચના દ્રાવણનો ઉપયોગ કરો.

ડૉ શ્રીવાસ્તવે મદદ કરી શકે તેવા કેટલાક વધારાના પગલાંની યાદી આપી,

  • મેલેરિયાથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
  • ઉકાળેલું પાણી પીઓ.
  • દૂષિત ખોરાક ન ખાવો .
  • ઈલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાનું ટાળો.
  • પોટેબલ વોટરપ્રૂફ બેગમાં અમુક આવશ્યક ચીજવસ્તુઓ સાથે ફર્સ્ટ-એઇડ કીટ તૈયાર રાખો જે કટોકટીમાં લઈ શકાય છે
  • જો તમે ઈજાગ્રસ્ત હો, બીમાર હોવ તો મેડિકલ કેર મેળવો
  • હાઈડ્રેટેડ રહો
બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips ગુજરાત