/indian-express-gujarati/media/media_files/2025/12/26/diabetes-control-tips-2025-12-26-11-34-51.jpg)
Blood Sugar Control Tips In Gujarati : ડાયાબિટીસ દર્દી માટે કુદરતી રીતે બ્લડ શુગર લેવલ કન્ટ્રોલ કરવાની રીત. Photograph: (Freepik)
Diabetes Diet Tips In Gujarati : ડાયાબિટીઝ એ એક ગંભીર મેટાબોલિક ડિસઓર્ડર છે, જેને અવગણવો શરીરના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. લાંબા ગાળા સુધી અનિયંત્રિત બ્લડ શુગર હૃદય રોગ, કિડની ફેલ્યોર, ચેતાતંત્રને નુકસાન અને ફેફસાની સમસ્યાઓનું જોખમ વધારી શકે છે. તેથી, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવું આવશ્યક છે.
ડાયાબિટીઝ કન્ટ્રોલ કરવાનો અર્થ એ નથી કે તમારે ખાવાનું છોડી દેવું અથવા ભૂખ્યા રહેવું. યોગ્ય સમયે યોગ્ય આહારનું સેવન કરવાથી બ્લડ શુગર કુદરતી રીતે નિયંત્રિત કરી શકાય છે. તેમા દિવસની શરૂઆત એટલે કે સવારનો નાસ્તો સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડાયાબિટીસ કન્ટ્રોલ કરવા માટે સવારે યોગ્ય શરૂઆત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, સવારનો પ્રથમ આહાર નાસ્તો માત્ર ચયાપચયને સક્રિય કરે છે એટલું જ નહીં, પરંતુ દિવસભર બ્લડ શુગરમાં વધઘટને પણ ઓછી કરે છે. ખાસ વાત એ છે કે જો કેટલાક સુપરફૂડનું સેવન સવારે ખાલી પેટે કરવામાં આવે તો સ્વાદુપિંડ કુદરતી રીતે ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે અને બ્લડ શુગર આખો દિવસ બેલેન્સમાં રહી શકે છે. ચાલો જાણીએ વૈજ્ઞાનિક રીતે ફાયદાકારક ત્રણ ચીજ, જે સવારે ખાલી પેટે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે.
મેથી દાણા કુદરતી રીતે બ્લડ શુગર કન્ટ્રોલ કરશે
મેથી દાણા ડાયાબિટીઝને નિયંત્રિત કરવા માટે સૌથી જૂનો અને સૌથી અસરકારક ઘરેલું ઉપાય છે. તેમાં હાજર દ્રાવ્ય ફાઇબર કાર્બોહાઇડ્રેટનું પાચન ધીમું કરે છે, જે ધીમે ધીમે લોહીમાં ગ્લુકોઝને મુક્ત કરે છે. સંશોધન મુજબ, દરરોજ મેથીના દાણાનું સેવન કરવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે અને ફાસ્ટિંગ બ્લડ શુગરમાં સુધારો થાય છે. જર્નલ ઓફ ડાયાબિટીસ એન્ડ મેટાબોલિક ડિસઓર્ડર્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, મેથીના દાણામાં હાજર સંયોજનો શરીરમાં ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા વધારે છે. આનો અર્થ એ છે કે શરીરના કોષો લોહીમાં હાજર ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં સક્ષમ છે, જે બ્લડ શુગર લેવલ ઘટાડે છે.
કેવી રીતે સેવન કરવું:
રાતે એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણાને પલાળી રાખો. પહેલા સવારે ખાલી પેટે તે પાણી પીવો અને પછી પલાળેલા મેથી દાણાને ચાવીને ખાઓ, આખો દિવસ ડાયાબિટીસ કન્ટ્રોલમાં રહેશે.
તજ નેચરલ ઇન્સ્યુલિન જેમ અસર કરશે
તજ માત્ર સ્વાદ જ નથી વધારતી, પરંતુ તે બ્લડ શુગર કન્ટ્રોલ કરવામાં પણ ખૂબ અસરકારક માનવામાં આવે છે. તેમાં હાજર બાયોએક્ટિવ સંયોજનો શરીરમાં ઇન્સ્યુલિનની જેમ કાર્ય કરે છે અને કોષોને ગ્લુકોઝનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે. તજ કાર્બોહાઇડ્રેટના તૂટવાની પ્રક્રિયાને ધીમી પાડે છે, જેથી જમ્યા બાદ બ્લડ શુગર લેવલ અચાનક ન વધે.
જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશનમાં પ્રકાશિત સંશોધન અનુસાર, તજમાં 'મિથાઇલ હાઇડ્રોક્સી ચાલ્કોન પોલિમર' (MHCP) નામનું એક ખાસ સંયોજન હોય છે. આ સંયોજન સીધું તમારા કોષો પર ઇન્સ્યુલિન રિસેપ્ટર્સને સક્રિય કરે છે, જેના કારણે કોષો લોહીના પ્રવાહ માંથી ગ્લુકોઝને શોષવાનું શરૂ કરે છે. આ કારણોસર તેને 'નેચરલ ઇન્સ્યુલિન' કહેવામાં આવે છે.
કેવી રીતે સેવન કરવું:
સવારે ખાલી પેટ પર નવશેકા પાણી સાથે અડધી ચમચી તજ પાવડરનું સેવન કરો. તેને ઓટ્સ, ગ્રીક દહીં અથવા સ્મૂધીઝ સાથે મિક્સ કરી શકાય છે.
ચિયા સીડ ફાઇબર અને ઓમેગા 3નું પાવરહાઉસ
ચિયા સીડ ડાયાબિટીસના દર્દીઓ માટે સુપરફૂડ માનવામાં આવે છે. તેમાં ફાઇબર, પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જ્યારે ચિયાના સીડને પાણીમાં પલાળી દેવામાં આવે છે, ત્યારે તે જેલ જેવું લેવલ બનાવે છે, જે પાચનની ગતિ ધીમી કરે છે. જર્નલ ઓફ ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજી અનુસાર, ચિયા સીડમાં લગભગ 34-40% ડાયેટરી ફાઇબર હોય છે. આને કારણે બ્લડ શુગર ધીમે ધીમે વધે છે અને લાંબા સમય સુધી એનર્જી જાળવી રાખે છે.
કેવી રીતે સેવન કરવું
1 ચમચી ચિયાના સીડ પાણી અથવા લો ફેટ દૂધમાં આખી રાત પલાળી રાખો. સવારે તેને પુડિંગ્સ, સ્મૂધી અથવા ઓટ્સ સાથે ખાઓ.
નિષ્કર્ષ
ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે દવાઓની સાથે સાથે યોગ્ય જીવનશૈલી અને સ્માર્ટ ડાયેટ પ્લાન ખૂબ જ જરૂરી છે. જો તમે સવારની શરૂઆત મેથીના બીજ, તજ અને ચિયાના સીડ જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક સાથે કરો છો, તો બ્લડ શુગર લેવલ આખો દિવસ કુદરતી રીતે નિયંત્રણમાં રાખી શકાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us