Diabetes Diet Tips: ડાયાબિટીસ દર્દી માટે આ 5 શાકભાજી દવા જેટલા અસરકારક, બ્લડ શુગર લેવલ નોર્મલ રાખશે

Diabetes Friendly Vegetables : ડાયાબિટીસ દર્દી એ બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવા આહારની કાળજી રાખવી જરૂરી છે. અહીં 5 શાકભાજીની વિગત આપી છે, જેનું સલાહ, સૂપ કે શાક બનાવીને સેવન કરી શકાય છે, જે બ્લડ શુગર લેવલ નોર્મલ રાખવામાં મદદરૂપ થાય છે.

Diabetes Friendly Vegetables : ડાયાબિટીસ દર્દી એ બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવા આહારની કાળજી રાખવી જરૂરી છે. અહીં 5 શાકભાજીની વિગત આપી છે, જેનું સલાહ, સૂપ કે શાક બનાવીને સેવન કરી શકાય છે, જે બ્લડ શુગર લેવલ નોર્મલ રાખવામાં મદદરૂપ થાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Diabetes Friendly Vegetables | Diabetes Diet tips | blood sugar control tips

Diabetes Friendly Vegetables : ડાયાબિટીસ માટે ફાયદાકારક શાકભાજી. (Photo : Freepik)

Diabetes Friendly Vegetables Name And Benefits : ડાયાબિટીસ એક ગંભીર બીમારી છે, જેનું સૌથી મોટું કારણ ખરાબ આહાર શૈલી, નબળી જીવનશૈલી અને સતત તણાવ માનવામાં આવે છે. આ રોગમાં શરીરમાં બ્લડ શુગર લેવલ સામાન્ય કરતા વધી જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન બનાવી શકતું નથી અથવા ઇન્સ્યુલિન યોગ્ય રીતે કામ કરતું નથી. ઇસ્યુલિનની આ અછત અથવા વિક્ષેપને કારણે લોહીમાં ગ્લુકોઝ એકઠું થવા લાગે છે અને શુગર લેવલ વધે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે શુગર લેવલ કન્ટ્રોલમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને આ માટે યોગ્ય આહાર અને જીવનશૈલી સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Advertisment

રજિસ્ટર્ડ ફાર્માસિસ્ટ ડો.જાવેદ ખાને જણાવ્યું હતું કે ડાયાબિટીસના દર્દીઓ માટે તેમના આહારની કાળજી રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કેટલાક શાકભાજીને સૂપ, સલાડ અને બાફીને ખાવામાં આવે તો શરીરને પૂરતું પોષણ મળશે એટલું જ નહીં પણ બ્લડ શુગર લેવલ પણ કન્ટ્રોલમાં રહેશે. જો ડાયાબિટીસના દર્દીઓ શિયાળામાં દરરોજ અમુક શાકભાજી ખાય છે, તો તેઓ લોહીમાં શુગર લેવલ સરળતાથી સામાન્ય કરી શકે છે. આ તમામ શાકભાજી ફાઇબર, એન્ટીઓકિસડન્ટો અને લો જીઆઈ (ગ્લાયકેમિક ઇન્ડેક્સ) ગુણધર્મોથી ભરપૂર છે, જે બ્લડ શુગર લેવલ ઝડપથી વધતું અટકાવે છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસ દર્દીએ કયા શાકભાજીનું સેવન કરવું જોઇએ જેનાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે.

ગાજર ખાઓ (Carrots)

ગાજર ખાવામાં મીઠા હોય છે પરંતુ તેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે અને ફાઇબરથી સમૃદ્ધ હોય છે, જે બ્લડ શુગર લેવલ સામાન્ય રાખવામાં મદદરૂપ છે. ગાજરનું જીઆઈ લગભગ 30 હોય છે, એટલે કે ગાજર ખાવાથી બ્લડ ગ્લુકોઝ ખૂબ જ ધીમે ધીમે વધે છે. તેમાં હાજર બીટા કેરોટિન આંખો, ત્વચા અને રોગપ્રતિકારક શક્તિને શરીરમાં વિટામિન એમાં રૂપાંતરિત કરીને મજબૂત બનાવે છે. 100 ગ્રામ ગાજરમાં, લગભગ 2.8 ગ્રામ ફાઇબર હોય છે જે ખાંડના શોષણને ધીમું કરે છે. શિયાળામાં, ડાયાબિટીસના દર્દીઓએ બ્લડ શુગર લેવલ સામાન્ય રાખવા માટે સલાડ, સૂપ, સ્મૂધી, બાફીને અથવા ઓલિવ ઓઇલમાં સહેજ રાંધીને ગાજર ખાઇ શકાય છે. તેને ચિકન અથવા ફીશ જેવા પ્રોટીનથી ભરપૂર ખોરાક સાથે ખાવાથી બ્લડ શુગર વધુ સારી રીતે નિયંત્રણમાં રહે છે.

ડુંગળી ખાવાથી ઇન્સ્યુલિનની સંવેદનશીલતા વધે છે (Onions)

ડુંગળીમાં સલ્ફર સંયોજનો અને ક્વેર્સેટિન હોય છે, જે બળતરા ઘટાડે છે અને ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં વધારો કરે છે. ડુંગળીનું જીઆઈ પણ ખૂબ ઓછું હોય છે, તેથી તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલમાં વધારો થતો નથી. તે વિટામિન સી, ફાઇબર અને પોટેશિયમનો સારો સ્રોત પણ છે. ડાયાબિટીસના દર્દીઓ સલાડમાં, શાકભાજી સાથે, ચિકન અને ફીશ સાથે મિક્સ કરીને અથવા ઓછા તેલમાં રાંધેલી ડુંગળી ખાઈ શકે છે. ટામેટા, પાલક અને લસણ સાથે ડુંગળીનું સલાડ ડાયાબિટીસમાં ખૂબ ફાયદાકારક છે.

Advertisment

શલગમ (Turnips)

શલગમ એ મૂળાનો એક પ્રકાર છે. શલગમ ગોળ અને ગુલાબી રંગના હોય છે. શલગમ ઓછી કેલરી અને ઉચ્ચ ફાઇબરવાળી શાકભાજી છે, જે બ્લડ શુગર લેવલને ધીમે ધીમે વધવા દે છે. જો તેને લાંબા સમય સુધી રાંધવામાં આવે તો જીઆઈ થોડો વધે છે, તેથી તેને બાફીને ખાવું વધુ સારું હોય છે. તેમાં વિટામિન સી, ફોલેટ, કેલ્શિયમ અને પોટેશિયમની સારી માત્રા હોય છે. શલગમને બાફેલા સૂપમાં, કચુંબરમાં અથવા ગાજર, ડુંગળી અને પાલક જેવા શાકભાજી સાથે ઉમેરીને કરીને પણ ખાઈ શકાય છે.

બટાકા કરતાં શક્કરિયા વધુ સારો વિકલ્પ (Sweet Potatoes)

શક્કરિયામાં સફેદ બટાટા કરતા ઓછો જીઆઈ હોય છે. તેમાં ફાઇબર, વિટામિન એ, સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રણમાં રાખે છે. તેમાં મીઠાશ કુદરતી હોય છે અને બ્લડ શુગર લેવલમાં ઝડપથી વધારો કરતા નથી. શક્કરિયા શેકી, બાફીને ખાઇ શકાય છે.

આ પણ વાંચો | બદામ 1 દિવસમાં કેટલી ખાવી જોઇએ? શું વધારે બદામ ખાવાથી નુકસાન થાય છે? જાણો

લસણ શ્રેષ્ઠ ઇન્સ્યુલિન બૂસ્ટર (Garlic)

લસણમાં એલિસિન નામનું એક વિશેષ તત્વ હોય છે જે ઇન્સ્યુલિનના સ્ત્રાવમાં સુધારો કરે છે. તેનું સેવન કરવાથી ફાસ્ટિંગ બ્લડ ગ્લુકોઝ ઘટે છે અને એચબીએ 1 સી પણ નિયંત્રણમાં રહે છે. તે બળતરા ઘટાડીને ડાયાબિટીઝની ગૂંચવણોને પણ ઘટાડે છે. લસણ શાકભાજીના મસાલામાં ક્રશ કરીને અથવા ભોજન રંધાઈ ગયા બાદ પણ ઉમેરી શકાય છે. લસણને વધારે ફ્રાય ન કરવા નહીં, તેનાથી તેના ફાયદા ઓછા થઈ જાય છે.

ડાયાબિટીશ જીવનશૈલી ડાયાબિટીસ માટે આહાર health tips