બ્લડ સુગર અચાનક વધી જાય છે? દવા કે ઇન્જેક્શનની જરૂર નથી, આટલું કરો

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે આ સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. હવેથી જ્યારે તમારા સુગર લેવલમાં વધારો થાય, ત્યારે સ્ટ્રેસ લીધા વગર આટલું કરો, તમને ફરક લાગશે.

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે આ સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. હવેથી જ્યારે તમારા સુગર લેવલમાં વધારો થાય, ત્યારે સ્ટ્રેસ લીધા વગર આટલું કરો, તમને ફરક લાગશે.

author-image
shivani chauhan
New Update
diabetes control with walking

ડાયાબિટીસના દર્દીઓ માટે ચાલવાના ફાયદા હેલ્થ ટિપ્સ। diabetes patients walking benefits blood sugar controlling tips in gujarati Photograph: (Freepik)

ડાયાબિટીસ (diabetes) ના દર્દીઓ દ્વારા સામનો કરવામાં આવતો મુખ્ય પડકાર એ છે કે ભોજન પછી કે અન્યથા બ્લડ સુગર (blood sugar) ના સ્તરમાં અનિયંત્રિત વધારો. આવા કિસ્સાઓમાં સામાન્ય અભિગમ તાત્કાલિક દવાનો આશરો લેવાનો છે. પરંતુ ઝડપી ચાલવાથી બ્લડ સુગરને વધુ અસરકારક રીતે ઘટાડવામાં મદદ મળી શકે છે, એમ એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. ફ્લોરેન્સ કોમિટે જણાવ્યું હતું.

Advertisment

બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે ચાલવું એ સૌથી સરળ અને અસરકારક રસ્તો છે. હવેથી જ્યારે તમારા સુગર લેવલમાં વધારો થાય, ત્યારે તણાવ વગર 15-20 મિનિટ ચાલવાનો પ્રયાસ કરો, અને તમને ફરક લાગશે.

જમ્યા પછી 10 મિનિટ આ કામ કરો, બ્લડ સુગર લેવલ હંમેશા રહેશે કંટ્રોલમાં

ચાલવું કેવી રીતે ફાયદાકારક છે?

કસરત દરમિયાન, શરીરના સ્નાયુઓને વધુ ઊર્જાની જરૂર પડે છે. શરીર સૌપ્રથમ સ્નાયુઓ અને યકૃતમાં સંગ્રહિત ખાંડનો ઉપયોગ ઊર્જા માટે કરે છે. જ્યારે સ્નાયુઓ ચાલતી વખતે સંકોચાય છે, ત્યારે તેઓ લોહીમાંથી ગ્લુકોઝ શોષવામાં વધુ સારી રીતે સક્ષમ હોય છે. આ ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં અને બ્લડ સુગર લેવલને ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. સ્નાયુઓ શરીરના કાર્બોહાઇડ્રેટ સ્ટોરેજ સાઈટ તરીકે કાર્ય કરે છે. તેથી, સ્નાયુઓ જેટલી વધુ ગતિ કરે છે, તેટલી ઝડપથી શરીરમાંથી વધારાની ખાંડ દૂર થાય છે.

Advertisment

રિસર્ચ સૂચવે છે કે ચાલવાનો સમય બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મોટી ભૂમિકા ભજવે છે. જમ્યા પછી તરત જ બેસવાને બદલે 30 થી 45 મિનિટ સુધી ઝડપી ચાલવાથી તમારા બ્લડ સુગર લેવલમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત 2018નો અભ્યાસ પણ આ સ્ટોરી ને સમર્થન આપે છે. જો કે, જમ્યા પછી તરત જ મધ્યમ કસરત પાચનતંત્રને અસર કરી શકે છે, તેથી મધ્યમ ચાલવાની ભલામણ કરવામાં આવે છે.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

ચાલવું દરેક માટે ફાયદાકારક છે, પરંતુ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સાવધાની રાખવી જરૂરી છે. ખતરનાક રીતે ઊંચા બ્લડ સુગર લેવલ ધરાવતા લોકો (ખાસ કરીને ટાઇપ 1 ડાયાબિટીસ ધરાવતા લોકો) એ સખત કસરત ટાળવી જોઈએ. આનાથી કીટોએસિડોસિસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. ખૂબ જ ઓછા બ્લડ સુગર લેવલ ધરાવતા લોકોએ કસરત ટાળવી જોઈએ. આનાથી બેહોશ થઈ શકે છે.

ડાયાબિટીસ વગરના લોકો માટે ફાયદાકારક

ભોજન પછી ચાલવું એ માત્ર ડાયાબિટીસના દર્દીઓ માટે જ નહીં, પણ સ્વસ્થ કોઈપણ વ્યક્તિ માટે પણ ફાયદાકારક છે. આ આદત હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં, સ્નાયુઓની શક્તિ વધારવામાં અને માનસિક સુખાકારી વધારવામાં મદદ કરી શકે છે.