Diwali 2025 : સાદગીથી લઇને રોનક સુધી, દિવાળી પર આ રીતે ઘરની સજાવટ કરો, જુઓ ટોપ આઇડિયાઝ

Diwali Decoration Ideas For Home : દિવાળી પર દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર સૌથી ખાસ અને અલગ દેખાય. આવી સ્થિતિમાં જો તમે પણ આ ખાસ અવસર પર તમારા ઘરને સજાવટ કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક આઈડિયા લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો

Diwali Decoration Ideas For Home : દિવાળી પર દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર સૌથી ખાસ અને અલગ દેખાય. આવી સ્થિતિમાં જો તમે પણ આ ખાસ અવસર પર તમારા ઘરને સજાવટ કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક આઈડિયા લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
diwali decoration ideas for home

Diwali 2025 : દિવાળી પર આ રીતે ઘરની સજાવટ કરો (ફોટો- પિન્ટરેસ્ટ)

Diwali Decoration Ideas For Home : 20 ઓક્ટોબરેને સોમવારના રોજ દેશભરમાં દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ માટે લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ દિવસે ઘરની સફાઈથી લઈને ઘરની સજાવટ સુધી કરે છે. લોકો તેમના ઘરોમાં લાઇટ પણ લગાવે છે.

Advertisment

દિવાળી પર દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમનું ઘર સૌથી ખાસ અને અલગ દેખાય. આવી સ્થિતિમાં જો તમે પણ આ ખાસ અવસર પર તમારા ઘરને સજાવટ કરવા માંગો છો, તો અમે તમારા માટે કેટલાક આઈડિયા લાવ્યા છીએ, જેને તમે ફોલો કરી શકો છો.

ઘરની સજાવટ કેવી રીતે કરવી?

  • દિવાળીના દિવસે ઘરને સજાવવા માટે પહેલા મુખ્ય દરવાજાને સજાવો. આ માટે તમે દરવાજા પર રંગબેરંગી ફૂલોની માળા અથવા ગુલદસ્તો મૂકી શકો છો.
  • તમે દિવાલોને હળવા રંગની લાઇટ અથવા મીણબત્તીઓથી રોશની કરો. તે ઘરને શાંત અને સુંદર લુક આપે છે.
Advertisment
  • રસોડા અને ડાઇનિંગ એરિયામાં નાના-નાના દીવા અને ટેબલ ડેકોર રાખીને પણ તહેવારનો માહોલ બનાવી શકાય છે.
  • લિવિંગ રુમમાં મોટા કદની સ્કાયલાઇટ્સ અથવા એલઇડી લાઇટ્સ લગાવીને માહોલને વધારે આકર્ષક બનાવી શકાય છે. આ સિવાય વોલ ડેકોરમાં ગોલ્ડન ડેકોરેશન પણ ઘરને ખૂબસૂરત લુક આપે છે.
  • દિવાળીની સજાવટમાં ટેક્સચર અને રંગોનું યોગ્ય સંતુલન ખૂબ જ મહત્વપૂર્ણ છે. હળવા રંગો સાથે એક-બે ચમકદાર રંગો મિક્સ કરીને ઘરને આકર્ષક બનાવી શકાય છે.

આ પણ વાંચો - કાળી ચૌદસ 2025 ક્યારે છે, કેમ ઉજવવામાં આવે છે, જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

  • આ ઉપરાંત, ઘરના નાના ખૂણામાં હાથથી બનાવેલા દીવાઓ, રંગબેરંગી મણકા અને પેઇન્ટેડ ટેરાકોટા વસ્તુઓને સજાવીને તહેવારની સુગંધ દરેક ખૂણામાં લઈ જઈ શકાય છે.
  • તમે ઘરની બાલ્કનીમાં સુંદર-સુંદર લાઇટ્સ પણ લગાવી શકો છો. તેનાથી તમારા ઘરની સુંદરતા વધુ વધશે.
તહેવાર જીવનશૈલી diwali