/indian-express-gujarati/media/media_files/2026/01/16/face-washing-2026-01-16-09-04-50.jpg)
ચહેરાને કઈ વસ્તુથી ધોવો જોઈએ Photograph: (freepik)
Face care tips: હવામાન ગમે તે હોય ચહેરો ધોવો હંમેશા જરૂરી છે. સુંદર અને સ્વચ્છ ત્વચા જાળવવા માટે તમારે દિવસમાં ઓછામાં ઓછા 2 થી 3 વખત તમારા ચહેરાને યોગ્ય રીતે સાફ કરવો જોઈએ. રાત્રિના સમયે સ્કીન કેરની દિનચર્યાનું પાલન કરવું પણ જરૂરી છે. લોકો ઘણીવાર તેમની ત્વચાને સાફ કરવા માટે સ્કિન ક્લીન્ઝર અથવા ફેસ વોશનો ઉપયોગ કરે છે. આ ચહેરાને ઊંડાણપૂર્વક સાફ કરવામાં મદદ કરે છે.
તમારા ચહેરા પર સતત કેમિકલ આધારિત ઉત્પાદનો લગાવવાને બદલે, તમારે ક્યારેક કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. બજારમાં ઘણી બધી સ્કીન કેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ હોવા છતાં, કુદરતી વસ્તુઓનો ઉપયોગ હંમેશા ફાયદાકારક રહે છે. ફેસ વોશને બદલે સવારે ઉઠ્યા પછી ચહેરો ધોવા માટે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરો જેથી અદભુત ચમક આવે. ચાલો તેના વિશે વધુ જાણીએ.
સવારે ઉઠ્યા પછી તમારે શેનાથી ચહેરો ધોવા જોઈએ?
તમે સવારે ચણાના લોટથી તમારો ચહેરો ધોઈ શકો છો. આ ફક્ત મૃત ત્વચાના કોષોને દૂર કરતું નથી, પરંતુ તે ડાઘ, કરચલીઓ અને વધારાનું તેલ પણ દૂર કરે છે. તમે ચણાના લોટનો ઉપયોગ ફેસવોશ તરીકે કરી શકો છો જેથી તમારી ત્વચા ચમકી શકે.
ચણાના લોટમાં થોડી હળદર અને દહીં મિક્સ કરો અને તેને તમારા ચહેરા પર લગાવો. આ મિશ્રણને તમારા ચહેરા પર બે મિનિટ માટે હળવા હાથે માલિશ કરો. થોડીવાર રહેવા દો. પછી સાદા પાણીથી ધોઈ લો.
ચણાના લોટથી ચહેરો ધોવાના ફાયદા
સવારે ચણાના લોટથી ચહેરો ધોવાથી ગંદકી દૂર થાય છે અને ખુલ્લા છિદ્રોને ઓછા કરવામાં મદદ મળે છે.
ચણાનો લોટ તમારા ચહેરા પરથી નાના વાળ પણ દૂર કરે છે, જે પિગમેન્ટેશનથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
તમે ટેનિંગ ઘટાડવા માટે સવારે ચણાના લોટનો ફેસ પેક પણ લગાવી શકો છો.
આ પણ વાંચોઃ- Pumpkin Seeds Benefits for Weight Loss: વજનને ઝડપથી ઓછું કરવું છે? તો ડાયટમાં સામેલ કરો કોળાના બીજ, કેમ ખાવા જોઈએ?
ડિસ્ક્રીમર: આ લેખમાં આપેલી સલાહ અને સૂચનો ફક્ત સામાન્ય માહિતી માટે છે. કોઈપણ પ્રશ્નો અથવા ચિંતાઓ માટે નિષ્ણાતની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us