Fenugreek : મેથીનું સેવન 14 દિવસ સુધી સળંગ કરવાથી શરીર પર આવી અસર થઇ શકે, જાણો

Fenugreek : મેથી પાચનશક્તિમાં વધારો કરે છે. તેમાં દ્રાવ્ય ફાઇબર પણ હોય છે જે કાર્બોહાઇડ્રેટ્સ અને સુગરના શોષણને ધીમું કરીને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરે છે. વધુમાં અહીં જાણો

Fenugreek : મેથી પાચનશક્તિમાં વધારો કરે છે. તેમાં દ્રાવ્ય ફાઇબર પણ હોય છે જે કાર્બોહાઇડ્રેટ્સ અને સુગરના શોષણને ધીમું કરીને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરે છે. વધુમાં અહીં જાણો

author-image
shivani chauhan
New Update
fenugreek

મેથી ખાવાના ફાયદા (canva)

Fenugreek : આપણા રસોડા અનેક પ્રકારના મસાલા હોય છે, આ મસાલા ન માત્ર ખોરાકના સ્વાદને વધારે પરંતુ શરદી અને ઉધરસ, અને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવી કેટલીક બિમારીઓમાં રામબાણ ઉપાય તરીકે ગણવામાં આવે છે, અહીં એવાજ એક મસાલા મેથી (fenugreek) ની વાત કરી છે જે અનેક સ્વાસ્થ્ય ફાયદાઓ પ્રદાન કરે છે, જો 14 દિવસ સુધી દરરોજ મેથી ખાવામાં આવે તો વ્યક્તિના શરીરમાં કેવી અસર થઇ શકે, જાણો એક્સપર્ટ શું કહે છે,

Advertisment
fenugreek seeds benefits
મેથી ખાવાના ફાયદા (Unsplash)

મેથી પાચનશક્તિમાં વધારો કરે છે. તેમાં દ્રાવ્ય ફાઇબર પણ હોય છે જે કાર્બોહાઇડ્રેટ્સ અને સુગરના શોષણને ધીમું કરીને બ્લડ સુગરના લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસ અથવા ઇન્સ્યુલિન પ્રતિકાર ધરાવતા લોકો માટે આ ખૂબ સારું છે. યોગા સંસ્થાના ડિરેક્ટર હંસાજી યોગેન્દ્રએ તેમની યુટ્યૂબ ચેનલમાં જણાવ્યું હતું કે, મેથીના ફાયદા જણાવ્યા હતા, તેમણે કહ્યું

મેથીના ફાયદા

  • મેથી પાચન ઉત્સેચકોને ઉત્તેજીત કરે છે, જે અપચો અથવા પેટનું ફૂલવું જેવી સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે.
  • મેથી આંતરડામાં કોલેસ્ટ્રોલના શોષણને અંકુશમાં રાખવામાં મદદ કરે છે.
  • કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને હૃદય રોગના જોખમને ઘટાડે અને વેઇટ લોસમાં અસરકારક રીતે કામ કરી શકે છે.

મેથીનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત

  • એક ચમચી મેથીને આખી રાત પાણીમાં પલાળી રાખો.
  • બીજા દિવસે સવારે ખાલી પેટ તેનું સેવન કરો.
  • બીજને પાણી સાથે ચાવવું.
Advertisment

આ પણ વાંચો: હેલ્થ ટીપ્સ : 3 દિવસ ભૂખ્યા તરસ્યા રહેવાથી શરીર પર શું અસર થશે? વેટ લોસ માટે આ રીત યોગ્ય છે? જાણો

જો 14 દિવસ દરરોજ મેથીના દાણાનું સેવન કરો તો તમારા શરીર પર આવી અસર થાય

  • જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટના ચીફ ડાયેટિશિયન, સુષ્મા પીએસએ શેર કર્યું કે મેથીના દાણાના ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે, તેને 14 દિવસ સુધી ખાવાથી શરીર પર વિવિધ અસરો થઈ શકે છે. તે ફાઇબર, પ્રોટીન, આયર્ન અને અન્ય મહત્વપૂર્ણ તત્વોથી સમૃદ્ધ છે. પાચનમાં મદદ કરવા, બ્લડ સુગરને કંટ્રોલ કરી શકે છે, વજન ઘટાડવામાં મદદ કરી શકે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે,”
  • મેથીના દાણા બ્લડ સુગર લેવલને ઘટાડવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં "હાઈપોગ્લાયકેમિક ગુણો" હોવાનું માનવામાં આવે છે. આ ડાયાબિટીસના દર્દીઓને ખાસ કરીને મદદરૂપ થઈ શકે છે.
  • મેથીના દાણાને બે અઠવાડિયામાં વારંવાર લેવાથી પાચનમાં સુધારો થવાની સાથે પાચનની સમસ્યાઓને દૂર કરવાની ક્ષમતા છે, અપચો અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે. મેથીના દાણામાં ઉચ્ચ ફાઇબર હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે.
  • હેલ્થ એક્સપર્ટેએ ભારપૂર્વક જણાવ્યું હતું કે બે અઠવાડિયા સુધી સતત મેથીના દાણાનું સેવન કરવાથી લિપિડ પ્રોફાઇલ અને કાર્ડિયોવેસ્ક્યુલર સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે. મેથીના દાણા ભૂખને કંટ્રોલ કરવામાં અને સંપૂર્ણતાની લાગણીને પ્રોત્સાહન આપવામાં કરે છે, જે વજન નિયંત્રણમાં મદદ કરી શકે છે. 14 દિવસમાં, તમારા ડાયટમાં મેથીના દાણાનો સમાવેશ કરવાથી તૃષ્ણાને નિયંત્રિત કરવામાં અને વજન ઘટાડવામાં મદદ મળી શકે છે.
  • મેથીમાં બળતરા વિરોધી ગુણધર્મો છે, જે "શરીરમાં બળતરા ઘટાડવા" માં મદદ કરી શકે છે. બે અઠવાડિયા સુધી મેથીના દાણાનું નિયમિત સેવન કરવાથી સંધિવા અને અસ્થમા જેવી બળતરાની સ્થિતિના લક્ષણો દૂર થઈ શકે છે. મેથીના દાણામાં એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો હોઈ શકે છે જે સામાન્ય આરોગ્ય અને સુખાકારીમાં સુધારો કરે છે.

આ પણ વાંચો: Papaya Benefits : દરરોજ ખાલી પેટ પપૈયું ખાવાથી શરીર પર કેવી અસર થાય? જાણો

જો કે, એ યાદ રાખવું અગત્યનું છે કે મેથીના દાણા એલર્જી હોય તો વ્યક્તિ સેવન કરવાનું ટાળવું જોઈએ. જો તેઓ વધુ સેવન કરે તો કેટલાક લોકોને ઝાડા અથવા એલર્જીક પ્રતિક્રિયા જેવી નકારાત્મક આડઅસર થઈ શકે છે. આ આડઅસરોમાં ઝાડા, ઉબકા અને પાચનતંત્રના અન્ય લક્ષણો અને ભાગ્યે જ, ચક્કર અને માથાનો દુખાવોનો સમાવેશ થાય છે.

તેથી, સુષ્માએ કહ્યું કે, ''જો તમને કોઈ સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય આવો ડાયટ પ્લાન અપનાવતા પહેલા મેડિકલ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.''

જીવનશૈલી health tips