રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) અને જેકી ભગનાની (Jackie Bhagnani) એ તાજેતરમાં ઘરે રસોઈમાં ઘી નો ઉપયોગ કરવા અને પામ તેલ ન ખાવાની વાત કરી હતી. કર્લી ટેલ્સ સાથેની વાતચીતમાં બોલિવૂડ કપલે શા માટે આ ફેરફાર કર્યો તે શેર કર્યું. ભગનાનીએ કહ્યું”જીવનમાં સૌથી ખતરનાક વસ્તુ પામ તેલ છે. તે આત્મઘાતી છે, જેના પર સિંહે ઉમેર્યું: “તમે ઘી ખાઈ શકો છો, અમારા ઘરમાં બીજા કોઈ તેલને મંજૂરી છે, સિવાય કે તમે એવી કોઈ વસ્તુ બનાવી રહ્યા હોવ જેના માટે નારિયેળ તેલની જરૂર હોય.”પામ ઓઇલ કેમ ન ખાવું?
જેકી ભગનાનીએ પામ ઓઇલ વિશે શું કહ્યું?
પોતાના રસોડાના બગીચામાં શાકભાજી ઉગાડવા વિશે વાત કરતા, ભગનાનીએ હોસ્ટ કામિયા જાનીને કહ્યું કે તેમને એક લેખ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત વિશ્વનું કેન્સરનું કેપિટલ બની રહ્યું છે. “ઉપજમાં જંતુનાશકો, ખાતરો, અને તમે તેના વિશે કંઈ કરી શકતા નથી. અમને ખ્યાલ આવ્યો કે અમે સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને તે બધું કરી રહ્યા છીએ, પરંતુ જો ખોરાકન યોગ્ય ન હોય, તો હેલ્ધી કેવી રીતે રહી શકાય? પામ તેલમાં “અન્ય વનસ્પતિ તેલોની તુલનામાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઘણું વધારે” હોય છે.’
પામ ઓઇલ કેમ ખાવાનું ટાળવું જોઈએ?
લોર્ડ્સ માર્ક બાયોટેકના ન્યુટ્રીસ્ટનીસ્ટ સાંચી તિવારીએ indianexpress.com ને જણાવ્યું હતું કે પામ તેલમાં હાજર સંતૃપ્ત ચરબી LDL (લો-ડેન્સિટી લિપોપ્રોટીન) કોલેસ્ટ્રોલનું સ્તર વધારવા માટે કુખ્યાત છે, જે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક જેવા હૃદય રોગનું જોખમ નાટકીય રીતે વધારે છે. તે કહે છે, “ધમનીઓમાં LDL કોલેસ્ટ્રોલનું સંચય એથરોસ્ક્લેરોસિસનું કારણ બને છે, જે રક્તવાહિનીઓને સાંકડી કરે છે અને મહત્વપૂર્ણ અંગોના કાર્યને અવરોધે છે.’
ઓક્સિડાઇઝ્ડ પામ તેલના કારણે હોર્મોનલ અસંતુલન અને સંભવિત ઝેરીતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, એમ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને ન્યુટ્રિશન બાય લવનીટના સ્થાપક લવનીત બત્રાએ જણાવ્યું હતું “આનાથી પ્રજનન સમસ્યાઓ થઈ શકે છે અને લીવર, કિડની અને ફેફસાં જેવા મહત્વપૂર્ણ અંગોના સ્વાસ્થ્યને અસર થઈ શકે છે.”
પામ તેલનો ઉપયોગ કરવો જ પડે, તો ટિપ્સ ધ્યાનમાં રાખો
- તેને અન્ય કોઈપણ તેલની જેમ જ વાપરવું : તેનો ઉપયોગ ઓછો કરવો. વધુ પડતી સંતૃપ્ત ચરબીનું સેવન તમારા હૃદયના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે. ઓલિવ તેલ, માછલી, બદામ અને બીજમાંથી સ્વસ્થ ચરબીનો સમાવેશ કરીને સંતુલિત ચરબીનું સેવન કરવાનું લક્ષ્ય રાખો.
- ઓછી ગરમીમાં રસોઈ બનાવવા જેવી કે સાંતળવા અને બેક કરવા માટે પામ તેલનો ઉપયોગ કરો . તળવા જેવી ઉચ્ચ તાપમાનની પદ્ધતિઓ હાનિકારક સંયોજનો ઉત્પન્ન કરી શકે છે.
- વધુ હિટમાં રસોઈ બનાવવા માટે પામ તેલને ઓલિવ તેલ અથવા કેનોલા તેલ જેવા આરોગ્યપ્રદ તેલ સાથે ભેળવવાનું વિચારો.
- ટકાઉ પામ તેલ પસંદ કરો, જેમ કે RSPO (રાઉન્ડટેબલ ઓન સસ્ટેનેબલ પામ ઓઇલ) પ્રમાણપત્ર ધરાવતા પામ તેલ. આ પામ તેલના ઉત્પાદનની પર્યાવરણીય અને સામાજિક અસરને ઘટાડે છે.
કરણ જોહરે થોડા જ મહિનામાં 20 કિલો વજન ઘટાડ્યું, સિક્રેટ જણાવ્યું
હેલ્થ ટિપ્સ
- હેલ્ધી કુકીંગ પસંદ કરો: ઓલિવ તેલ, એવોકાડો તેલ અથવા સૂર્યમુખી તેલ જેવા અસંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધુ હોય તેવા તેલ પસંદ કરો. આ તેલમાં સંતૃપ્ત ચરબી ઓછી હોય છે અને તે હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો સહિત વિવિધ સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.
- ફૂડ લેબલ્સ વાંચો: પેકેજ્ડ ફૂડ્સ પ્રત્યે સચેત રહો અને પામ તેલ ધરાવતા ઉત્પાદનો ઓળખવા માટે ઘટકોના લેબલ્સ વાંચો. હેલ્ધી ઓઇલ ઓપ્શન શોધો અથવા શક્ય હોય ત્યારે સંપૂર્ણ, કુદરતી ઘટકોનો ઉપયોગ કરીને ભોજન બનાવવાનું વિચારો.
- ઘરે રસોઈ બનાવો: ઘરે ભોજન રાંધવાથી તમે ઉપયોગમાં લેવાતા ઘટકો પર વધુ સારી રીતે નિયંત્રણ રાખી શકો છો. વિવિધ રસોઈ તેલનો પ્રયોગ કરો અને વધારાની ચરબીની જરૂરિયાત ઘટાડવા માટે બાફવું, બેકિંગ અથવા ગ્રીલ જેવી આરોગ્યપ્રદ રસોઈ પદ્ધતિઓનો અન્વેષણ કરો.
- માહિતગાર રહો: તમારા આહાર વિશે માહિતગાર પસંદગીઓ કરવા માટે પોષણ માર્ગદર્શિકા અને ભલામણો પર અપડેટ રહો : વધુ સારા હેલ્ધી પરિણામો માટે તમારી આહારની આદતોને ઑપ્ટિમાઇઝ કરવામાં વ્યક્તિગત માર્ગદર્શન અને સહાય માટે રજિસ્ટર્ડ ડાયેટિશિયન અથવા ન્યુટ્રિશનિસ્ટનો સંપર્ક કરો.





