ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક કેટલી ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે?

લાલ ખારેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 અને એન્ટીઑકિસડન્ટ્સ જેવા ઘટકો વિપુલ પ્રમાણમાં હોય છે. એક્સપર્ટ શું કહે છે?

Written by shivani chauhan
June 28, 2025 07:00 IST
ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક કેટલી ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે?
ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક કેટલી ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે?

લાલ ખારેક અથવા તાજી ખજૂર (Fresh Dates) જેને આપણે “ખલેલા” તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે. ખલેલા ચોમાસામાં આવે છે તે તેના અસંખ્ય સ્વાસ્થ્ય ફાયદા માટે જાણીતા છે, પરંતુ ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે શું ડાયાબિટીસના દર્દીઓ પણ આ ફળનો આનંદ માણી શકે છે. અહીં જાણો ડાયાબિટીસના દર્દીઓ ખલેલા ખાઈ શકે? નિષ્ણાતો શું કહે છે?

ખલેલા વિશે (Fresh Dates)

લાલ ખારેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન બી6 અને એન્ટીઑકિસડન્ટ્સ જેવા ઘટકો વિપુલ પ્રમાણમાં હોય છે. આ બધા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જોકે, ખલેલામાં નેચરલ સુગરનું પ્રમાણ પણ ઊંચું હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ચિંતાનો વિષય બની શકે છે.

ખલેલાનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) શું છે?

કોઈપણ ખોરાક ખાધા પછી તે બ્લડ સુગરને કેટલી ઝડપથી વધારે છે તે ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) દ્વારા માપવામાં આવે છે. 70 કે તેથી વધુ GI ધરાવતા ખોરાકને ઉચ્ચ GI ખોરાક ગણવામાં આવે છે, જ્યારે 55 કે તેથી ઓછા GI ધરાવતા ખોરાકને ઓછું GI ધરાવતા ખોરાક ગણવામાં આવે છે. ખલેલાનો GI તેના પ્રકાર અને કેટલા પાકા છે તેના આધારે અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ તે મધ્યમથી ઉચ્ચ GI શ્રેણીમાં આવે છે.

ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક ખાઈ શકે? શું કાળજી રાખવી?

નિષ્ણાતોના મતે, ડાયાબિટીસના દર્દીઓ મર્યાદિત માત્રામાં ખલેલા ખાઈ શકે છે, પરંતુ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે:

  • માત્રાનું નિયંત્રણ: સૌથી મહત્વની બાબત એ છે કે ખલેલાનું સેવન ઓછી માત્રામાં કરવું. એક કે બે ખલેલાથી વધુ ન ખાવા જોઈએ. વધુ પડતા ખલેલા બ્લડ સુગરના લેવલમાં ઝડપથી વધારો કરી શકે છે.
  • ફાઈબર યુક્ત ખોરાક સાથે: ખલેલાને બદામ, અખરોટ જેવા ફાઈબર અને પ્રોટીન યુક્ત ખોરાક સાથે લેવાથી સુગરના શોષણની પ્રક્રિયા ધીમી પડે છે અને બ્લડ સુગરમાં એકાએક વધારો થતો અટકે છે.
  • બ્લડ સુગર પર નજર: ખલેલા ખાધા પછી તમારા બ્લડ સુગરના સ્તર પર નજર રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને લાગે કે ખલેલા ખાવાથી તમારી સુગરમાં અસામાન્ય વધારો થાય છે, તો તેનું સેવન ટાળવું જોઈએ.
  • ડૉક્ટરની સલાહ: કોઈપણ નવા ખોરાકને તમારા આહારમાં શામેલ કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર અથવા ડાયેટિશિયન સાથે સલાહ લેવી શ્રેષ્ઠ છે. તેઓ તમારી વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ અને ડાયાબિટીસના નિયંત્રણના આધારે યોગ્ય માર્ગદર્શન આપી શકે છે.
  • ખલેલા પસંદ કરો: સૂકી ખજૂરની તુલનામાં ખલેલા અથવા લીલી ખજૂરમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તેની ગ્લાયસેમિક અસર થોડી ઓછી હોઈ શકે છે, જોકે આમાં બહુ મોટો તફાવત નથી.

Fresh Dates | ખલેલા : સ્વાસ્થ્યનો ખજાનો ! જાણો તેના અઢળક ફાયદા

ડાયાબિટીસના દર્દીઓ લાલ ખારેક અથવા ખલેલાનું સેવન અત્યંત કાળજીપૂર્વક અને મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. સંતુલિત આહાર, નિયમિત વ્યાયામ અને ડૉક્ટરની સલાહ મુજબ દવાઓનું સેવન ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે અત્યંત આવશ્યક છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ