/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/gallstone.jpg)
પિત્તાશયની પથરી થવાના કારણો અને લક્ષણો જાણો
Gallstones : ઘણા લોકોને પાચનને લગતી સમસ્યા હોય છે, ગેસ, અપચો, ઝાડા તો ક્યારેક પેટમાં ઉપર જમણી બાજુએ દુખાવો થતો હોય છે, એ દુખાવો અસહ્ય અને સતત થાય તો ચેતવું જરૂરી છે, જો પિત્તાશયમાં પથરી હોઈ તોપણ આવું બની છે, પરંતુ પિત્તાશયની પથરી શું છે? પથરી થવાના કારણો અને લક્ષણો અને લક્ષણો જાણો,
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/gallstone-cause.jpg)
પિત્તાશયની પથરી શું છે?
પિત્તાશયની પથરી એ પિત્તાશયમાં રચાય છે, પિત્તાશય તમારા યકૃત(લીવર) હેઠળનું એક નાનું અંગ છે.પિત્તાશય પાચનમાં મદદ કરવા માટે પિત્તને સંગ્રહિત કરે છે અને મુક્ત કરે છે, જે તમારા લીવરમાં બનેલું પ્રવાહી છે. પિત્ત યકૃતમાંથી કોલેસ્ટ્રોલ અને બિલીરૂબિન (શરીર જ્યારે લાલ રક્ત કોશિકાઓને તોડે છે ત્યારે બિલીરૂબિન બનાવે છે) જેવા કચરો પણ વહન કરે છે. જ્યારે સંતુલન બહાર હોય ત્યારે આ વસ્તુઓ પિત્તાશયની પથરી બનાવી શકે છે.
આ પણ વાંચો: Dengue : વરસાદના લીધે ડેન્ગ્યુના કેસોમાં વધારો, મગજ અને નર્વસ સિસ્ટમ પર ડેન્ગ્યુની ગંભીર અસર થઇ શકે? જાણો
પિત્તાશયની પથરી રેતીના દાણાથી લઈને ગોલ્ફ બોલ સુધીની હોઈ શકે છે. કોઈને એક મોટી પથરી અથવા સેંકડો નાના પથરી હોઈ શકે છે. કેટલાક લોકોને બન્ને પ્રકારની પથરી હોઈ શકે છે. તમને જ્યાં સુધી દુખાવો ન થાય અને પિત્ત નળીને અવરોધિત ન કરે ત્યાં સુધી કદાચ ખબર પડશે નહિ.
પિત્તાશયની પથરી થવાના લક્ષણો
- પાંસળીની નીચે તમારા પેટની ઉપર જમણી બાજુએ દુખાવો
- તમારી છાતી, જમણા ખભા અથવા પીઠમાં દુખાવો
- પેટમાં દુખાવો
- ઉબકા કે ઉલટી થવી
- અપચો, હાર્ટબર્ન અને ગેસ સહિત અન્ય પાચન સમસ્યાઓ થવી
આ પણ વાંચો: Health Tips : શું દૂધ ખરેખર કફ થવાનું કારણ બની શકે? એક્સપર્ટ શું કહે છે?
પિત્તાશયની પથરી થવાના કારણો
પિત્તાશયમાં પથરી શાના કારણે થાય છે તેની ખાતરી ડૉક્ટરોને નથી, પરંતુ તે ત્યારે થઈ શકે છે જ્યારે:
તમારા પિત્તમાં ખૂબ કોલેસ્ટ્રોલ છે. તમારા શરીરને પાચન માટે પિત્તની જરૂર છે. તે સામાન્ય રીતે કોલેસ્ટ્રોલને ઓગાળે છે. પરંતુ તે ક્રિયા થતી નથી ત્યારે વધારાનું કોલેસ્ટ્રોલ એકઠું થઈ શકે છે અને પથરી બને છે.
તમારા પિત્તમાં બિલીરૂબિન ખૂબ વધારે છે. યકૃત રોગ, ચેપ અને રક્ત વિકૃતિઓ જેવી સમસ્યાઓના લીધે તમારા યકૃત ખૂબ બિલીરૂબિન બનાવી શકે છે.
તમારું પિત્તાશય બધી રીતે ખાલી થતું નથી અને પથરી બનાવી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us