Gaur Gopal Das Fitness Diet Plan : 51 વર્ષની ઉંમરે પણ ફિટ અને ચુસ્ત રહેવાનું રહસ્ય ગૌર ગોપાલ દાસે જણાવ્યું, આ ડાયેટ પ્લાનને કરે છે ફોલો

Gaur Gopal Das Daily Fitness Routine: મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસ 51 વર્ષના થઈ ગયા છે, પરંતુ તેઓ હજુ પણ ફિટ અને હેલ્ધી છે. તેમણે પોતે ફિટ અને હેલ્ધી રહેવાનું રહસ્ય જણાવ્યું છે

Gaur Gopal Das Daily Fitness Routine: મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસ 51 વર્ષના થઈ ગયા છે, પરંતુ તેઓ હજુ પણ ફિટ અને હેલ્ધી છે. તેમણે પોતે ફિટ અને હેલ્ધી રહેવાનું રહસ્ય જણાવ્યું છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Gaur Gopal Das, Gaur Gopal Das Fitness Diet Plan. ગૌર ગોપાલ દાસ

મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસ (તસવીર - સોશિયલ મીડિયા)

51 Years Gaur Gopal Das Diet Plan For Fitness, Stay Young : મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસ 51 વર્ષના થઈ ગયા છે, પરંતુ તેઓ હજુ પણ ફિટ અને હેલ્ધી છે. તે પોતાની ઉંમરથી 10 વર્ષ નાના દેખાવા માટે કોઈ ખાસ પ્રયાસ કરતા નથી, પરંતુ તેમની લાઈફસ્ટાઈલ જ તેમની ફિટનેસને જાળવી રાખે છે.

Advertisment

ઘણા લોકો જાણવા માંગે છે કે તેમના ચહેરા પર ગ્લો, આત્મવિશ્વાસ, સ્થિરતા અને ફિટનેસ પાછળનો જાદુ શું છે. તે કોઈ મોંઘા ડાયેટ પ્લાનને ફોલો કરતા નથી, મોંઘા જીમમાં જતા નથી. તે એક સામાન્ય માણસની જેમ રહે છે અને પોતાના ખાનપાન અને લાઇફસ્ટાઇલનું ખાસ ધ્યાન રાખે છે. ગૌર ગોપાલ દાસે પોતે ફિટ અને હેલ્ધી રહેવાનું રહસ્ય જણાવ્યું છે.

મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસના મતે તેઓ પાંચ વાતોમાં માને છે. જેમાં ભોજન, વ્યાયામ, ધ્યાન, માનસિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વચ્છતાનો સમાવેશ થાય છે. તેમણે પોતે જે 'સાધુ' જીવનશૈલી અપનાવી છે પણ આજના ભાગદોડભર્યા સમયમાં માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય આપી શકે છે.

ધ્યાનના રુપમાં ભોજન

ગૌર ગોપાલ દાસના જણાવ્યા મુજબ જમતી વખતે તે મોબાઈલ, ટીવી, ચેટિંગથી દૂર રહે છે અને માત્ર ભોજન પર ધ્યાન આપે છે. ખોરાકને યોગ્ય રીતે ચાવવાથી પાચનમાં મદદ મળે છે અને શરીરમાં તેનું શોષણ યોગ્ય રીતે થાય છે. આ રીતે ભોજનનો સંબંધ માત્ર પેટ સુધી જ સીમિત નથી રહેતો, પરંતુ મન સાથે પણ જોડાઈ જાય છે. તે માત્ર સ્વાસ્થ્ય માટે જ સારું નથી, પરંતુ માનસિક શાંતિ માટે પણ સારું છે. આવું ભોજન ખાવાથી વધુ પડતું ખાવાથી બચી શકાય છે અને પાચનક્રિયા પણ સારી રહે છે.

Advertisment

સાત્વિક આહાર

ગૌર ગોપાલ દાસના કહેવા પ્રમાણે તેઓ સાત્વિક આહાર લે છે. તેમને તેલયુક્ત, મસાલેદાર, ચટપટું ખોરાક ખાવાનો મોહ થતો થતી. તેમનો આહાર સાદો હોય છે, પરંતુ તેમાં પોષણનો અભાવ હોતો નથી. શાકભાજી, ફળો, અનાજ અને રોટલી જેવા પરંપરાગત ખોરાક તેમના આહારના મુખ્ય ઘટકો છે. તેમના આહારથી શરીરને જરૂરી પોષણ તો મળે જ છે, સાથે સાથે મન પણ હળવું અને સંતુષ્ટ રહે છે. સાત્વિક ભોજન ત્વચા, વાળ અને પાચન પર સકારાત્મક અસર કરે છે.

આ પણ વાંચો - વરસાદની સિઝનમાં ઘરે આવતી જીવાતને કેવી રીતે ભગાડવી? અપનાવો આ આસાન ઘરેલું ટિપ્સ

સમયસર ખાઓ અને થોડું ખાઓ

તેમણે કહ્યું કે પેટ ભરીને ખાવું ખોટું છે. તમારે ફક્ત 75 ટકા ખોરાક જ ખાવો જોઈએ. બાકીનો 25 ટકા ખાલી રાખવાથી પાચનમાં સુધારો થાય છે અને શરીર પર તણાવ થતો નથી. તે 25-30 મિનિટમાં શાંતિથી જમે છે અને પોતાનો ખોરાક ત્યાં સુધી ચાવે છે જ્યાં સુધી તે પાણી જેવો પાતળો ના થઈ જાય. જો તમે તેને ટેવ બનાવો છો, તો તમારું વજન નિયંત્રણમાં રહે છે, અપચોથી બચાવ થાય છે અને એનર્જી રહે છે.

બ્રહ્મ મુહૂર્તની શિસ્ત

ગૌર ગોપાલદાસનો દિવસ સૂર્યોદય પહેલાં શરૂ થાય છે. સવારે વહેલા ઉઠીને ધ્યાન, પ્રાર્થના, યોગ અને વોક કે સરળ કસરતો કરે છે. આ સમય દરમિયાન વાતાવરણ શાંત અને પ્રેરણાદાયક હોય છે. સવારે શરીર શારીરિક રીતે તૈયાર હોય છે એટલું જ નહીં, મન પણ શાંત અને એકાગ્ર હોય છે. આ ટેવ માત્ર તંદુરસ્તી સુધારવા માટે જ નહીં, પરંતુ માનસિક સ્થિરતા માટે પણ અમૂલ્ય છે.

મન માટે ઉપવાસ

ગૌર ગોપાલ દાસ કહે છે કે જેમ ખોરાક પચે નહીં ત્યારે અપચો થાય છે, તેવી જ રીતે અનિચ્છનીય માહિતી માથા પર તણાવ વધારે છે. એટલે જ તે મેન્ટલ ડાયટ ફોલો કરે છે એટલે કે નેગેટિવ વસ્તુઓ, હિંસક કન્ટેન્ટ, ગોસિપથી પોતાને દૂર રાખે છે. તેમનું કહેવું છે કે જે રીતે આપણે આપણા ઘરની સફાઈ કરીએ છીએ, તેવી જ રીતે આપણે પણ આપણા મગજને નિયમિત રીતે સાફ કરવું જોઈએ.

જીવનશૈલી health tips