Green Turmeric : લીલી હળદર ખાવાના 10 ફાયદા, આ સમસ્યામાંથી મળશે રાહત

Green Turmeric (લીલી હળદર) Health Benefits: શિયાળામાં તમને લીલી હળદર બજારમાં ખુબ જોવા મળે છે. લીલી હળદર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તમને તેના વિશે જાણકારી આપી રહ્યા છીએ

Green Turmeric (લીલી હળદર) Health Benefits: શિયાળામાં તમને લીલી હળદર બજારમાં ખુબ જોવા મળે છે. લીલી હળદર ખાવાથી ઘણા ફાયદા થાય છે. તમને તેના વિશે જાણકારી આપી રહ્યા છીએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
green turmeric, green turmeric health benefits

લીલી હળદર ખાવાથી ઘણા ફાયદા થાય છે (તસવીર - સોશિયલ મીડિયા)

Green Turmeric (લીલી હળદર) Health Benefits: શિયાળામાં તમને લીલી હળદર બજારમાં ખુબ જોવા મળે છે. આપણે હળદરનો ઉપયોગ મસાલા તરીકે જ કરીએ છીએ. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તે એક દવા પણ છે. તેનો ઉપયોગ ઘણા રોગોને દૂર કરવા માટે થઈ શકે છે. હળદર ત્વચા અને પાચન સંબંધી રોગોને દૂર કરી શકે છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લીલી હળદરના ફાયદા.

Advertisment

સાંધાના દુખાવામાં રાહત આપે છે

લીલી હળદરમાં કરક્યૂમિન નામનું એક ખાસ તત્વો હોય છે. જે યુરિક એસિડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. આ સિવાય લીલી હળદરમાં એન્ટીબાયોટિક ગુણ પણ હોય છે. જે સાંધાના દુખાવામાં રાહત આપે છે અને સોજામાં રાહત આપે છે.

ઈમ્યુનિટી વધારે છે

લીલી હળદર ઈમ્યુનિટી વધારે છે. લીલી હળદરને તમે સલાડ તરીકે સેવન કરી શકો છો. લીલી હળદર ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેથી શરીરને થતા કોઈ પણ ઇન્ફેક્શન સામે રક્ષણ મળી શકે છે.

શરીરમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરે છે

લીલી હળદર બ્લડ પ્યૂરીફાયબરનું પણ કામ કરે છે. આ શરીરમાં રહેલાં ટોક્સિન્સ પણ દૂર કરે છે અને બ્લડ ક્લોટ થતાં રોકે છે.

Advertisment

ડાયાબિટીસ માટે ફાયદાકારક

ડાયાબિટીસના દર્દીઓ માટે લીલી હળદરનું સેવન બેસ્ટ છે. તે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

આ પણ વાંચો -  લીલું લસણ ખાવાના 10 ફાયદા અને મહત્વ

સ્કિન માટે ફાયદાકારક

લીલી હળદર સ્કિન માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ગળાના ઇન્ફેક્શનમાં ઉપયોગી

લીલી હળદર ગળાના અને સ્કિનના ઇન્ફેક્શનમાં લીલી હળદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

કબજિયાતની સમસ્યા દૂર કરે છે

જે લોકોને પાચનની સમસ્યા રહેતી હોય તેમણે લીલી હળદર ખાવી જોઈએ. તેમાં રહેલું ડાયટરી ફાયબર ડાઈજેશન બૂસ્ટ કરે છે અને અપચો અને કબજિયાતની સમસ્યા દૂર કરે છે.

બ્લડપ્રેશર સામે રક્ષણ

લીલી હળદરમાં પોટેશિયમ હોય છે. શિયાળામાં રોજ લીલી હળદર ખાવાથી બ્લડપ્રેશર અને હાર્ટ ડિસીઝ સામે રક્ષણ મળે છે.

લોહીની કમીની સમસ્યા દૂર થાય છે

લીલી હળદરમાંથી ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી રહે છે. તે શરીરમાં રેડ બ્લડ સેલ્સ વધારે છે. તેને રોજ શિયાળામાં ખાવાથી શરીરમાં લોહીની કમીની સમસ્યા દૂર થાય છે.

અલ્ઝાઇમર જેવા રોગો સામે રક્ષણ

હળદરમાં રહેલું કર્ક્યુમિન બેસ્ટ એન્ટીઓક્સિડેન્ટ છે. જેના કારણે આર્થ્રાઈટિસ અને અલ્ઝાઇમર જેવા રોગો સામે રક્ષણ કરે છે

જીવનશૈલી health tips