જામફળ કે જામફળના પાન? બ્લડ સુગર કંટ્રોલ શું સારું?

તમારા આહારમાં મોટા ફેરફારો કરતા પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરો, ખાસ કરીને જો તમને ડાયાબિટીસ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય.

તમારા આહારમાં મોટા ફેરફારો કરતા પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરો, ખાસ કરીને જો તમને ડાયાબિટીસ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
બ્લડ સુગર કંટ્રોલ કરવા માટેની ટિપ્સ

guava leaves for blood sugar control

ફળ શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. જોકે, આરોગ્ય નિષ્ણાતો સહમત છે કે જામફળ (guava) જેવા કેટલાક વૃક્ષોના પાંદડાઓમાં એવા પોષક તત્વો હોય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તો, ચાલો નિષ્ણાતોને જ પૂછીએ કે જામફળ કે જામફળના પાંદડા બ્લડ સુગર કંટ્રોલ માટે વધુ સારા છે કે નહીં.

Advertisment

જામફળ (Guava)

દિલ્હીની સીકે બિરલા હોસ્પિટલના ડૉ. નરેન્દ્ર સિંગલાએ જણાવ્યું હતું કે જામફળમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ બને છે. જોકે, તેમણે કહ્યું કે પાકેલા જામફળ વધુ માત્રામાં ખાવાથી બ્લડ સુગરનું સ્તર વધી શકે છે.

જામફળના પાન

  • ડૉ. સિંગલાએ જણાવ્યું હતું કે જામફળના પાન આંતરડામાં ગ્લુકોઝ શોષણને અટકાવવા અને ઇન્સ્યુલિન પ્રોડકશનને ઉત્તેજીત કરવાની ક્ષમતાને કારણે લોહીમાં બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમણે સૂચવ્યું કે જામફળના પાન ઉકાળેલા પાણીમાં અથવા તેના રસમાં પી શકાય છે.
  • બ્લડ સુગર ઘટાડે : પ્રાણીઓ અને મનુષ્યો પર કરવામાં આવેલા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે જામફળના પાન રક્ત ખાંડના સ્તરને ઘટાડી શકે છે.
  • ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારે : જામફળના પાન ઇન્સ્યુલિન સંવેદનશીલતા સુધારવામાં મદદ કરી શકે છે, જેનાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.
  • એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો: જામફળના પાન એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે ઓક્સિડેટીવ તણાવ અને બળતરા સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
Advertisment

સાવચેતીનાં પગલાં

તમારા આહારમાં મોટા ફેરફારો કરતા પહેલા તમારા ડૉક્ટર સાથે વાત કરો, ખાસ કરીને જો તમને ડાયાબિટીસ કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય.
જામફળ ખાવાથી બ્લડ સુગર લેવલ ન વધે તેની ખાતરી કરવા માટે નિયમિતપણે બ્લડ સુગરનું ટેસ્ટ કરો.

ડૉ. સિંગલાએ જણાવ્યું હતું કે લોકોએ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવા માટે તેમના આહારમાં જામફળના પાનનો સમાવેશ કરવાનું વિચારવું જોઈએ.ડૉ. સિંગલાએ સ્પષ્ટતા કરી કે "ગ્લુકોઝ શોષણને અટકાવવા અને ઇન્સ્યુલિન ઉત્પાદનને ઉત્તેજીત કરવાની ક્ષમતાને કારણે ગાવના પાન બ્લડ સુગર કંટ્રોલ માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. જો સંયમિત માત્રામાં ખાવામાં આવે તો જામફળ સંતુલિત આહારનો ભાગ પણ બની શકે છે.'

ડાયાબિટીશ ડાયાબિટીસ માટે આહાર health tips