Health Tips : પેકેજ્ડ દહીં અને ઘરે બનાવેલું દહી, આ બે માંથી તમારે કયું પસંદ કરવું જોઈએ? અહીં જાણો વિગતવાર

Health Tips : ઘણા લોકો ઘરે બનાવેલ દહીંનો (homemade curd) ઉપયોગ કરે છે, અન્ય લોકો પેકેજ્ડ દહીં (Packaged curd) પર આધાર રાખે છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ, શું તે તંદુરસ્ત છે?

Health Tips : ઘણા લોકો ઘરે બનાવેલ દહીંનો (homemade curd) ઉપયોગ કરે છે, અન્ય લોકો પેકેજ્ડ દહીં (Packaged curd) પર આધાર રાખે છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ, શું તે તંદુરસ્ત છે?

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
Packaged curd vs homemade curd:

પેકેજ્ડ દહીં અને હોમમેઇડ દહીં:

દહીં ખાસ કરીને આપણા ભારતમાં ઘણા લોકોના ભોજનમાં વિશેષ સ્થાન ધરાવે છે. ભલેને તાજગી આપનારા નાસ્તા તરીકે માણવામાં આવે અથવા નિયમિત ભોજન સાથે ખાવામાં આવે, દહીં એ ઘણા પ્રકાર અને હેલ્થ બેનેફિટ્સ ધરાવે છે જે ભારતીય રસોઈની પરંપરાઓમાં એક પ્રિય સ્થાન ધરાવે છે. આ ક્રીમી અને ટેન્ગી ડેરી ડિલાઈટ માત્ર તેના સ્વાદ માટે જ પસંદ નથી પરંતુ તેના અસંખ્ય સ્વાસ્થ્ય લાભો માટે પણ તેનું સેવન કરવામાં આવે છે. પ્રોબાયોટીક્સથી ભરપૂર, દહીં પાચન સ્વાસ્થ્યને ટેકો આપે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે . તેઓ કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સ જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે, જે દહીં કોઈપણ આહારમાં પોષક તરીકે ઉમેરી શકાય છે.

Advertisment

જ્યારે ઘણા લોકો તેમના ઘરે જમાવવું અથવા સ્ટાર્ટરનો ઉપયોગ કરીને દહીં તૈયાર કરે છે, અન્ય લોકો પેકેજ્ડ દહીં પર આધાર રાખે છે જે બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે. પરંતુ, ક્યુ તંદુરસ્ત છે? આને સંબોધતા, ભક્તિ કપૂર, એક ન્યુટ્રિશનિસ્ટ, ઇન્સ્ટાગ્રામ પર શેર કરવા ગયા કે પેકેજ્ડ દહીં અને હોમમેઇડ દહીં વચ્ચે નિર્ણય કરતી વખતે, પ્રોબાયોટિક સામગ્રીને ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે.

નિષ્ણાતે જણાવ્યું હતું કે, “પેક્ડ દહીં, કરિયાણાની દુકાનોમાં જોવા મળે છે, તેની શેલ્ફ લાઇફ વધારવા અને હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવા માટે પેસ્ટ્યુરાઇઝેશનમાંથી પસાર થાય છે. જ્યારે પેસ્ટ્યુરાઇઝેશન દહીંને સુરક્ષિત બનાવે છે, તે પ્રોબાયોટિક સામગ્રીને પણ અસર કરે છે,”પ્રોસેસ છેલ્લે પ્રોડકશનમાં પ્રોબાયોટિક્સ સહિતના ફાયદાકારક બેક્ટેરિયાની સંખ્યાને ઘટાડી શકે છે.

Advertisment

આ પણ વાંચો: Herbal tea : આ હર્બલ ટી તમને એસિડિટી, માઇગ્રેઇન અને ઉબકાથી રાહત આપી શકે છે, અહીં જાણો રેસિપી

પરિણામે, પેક કરેલા દહીંમાં પ્રોબાયોટિક સામગ્રી હોમમેઇડ દહીંની તુલનામાં ઓછી હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, "તેથી, જો તમારો ઉદ્દેશ્ય સક્રિય પ્રોબાયોટીક્સનું સેવન કરવાનો છે , તો ઘરે બનાવેલું દહીં વધુ સારી પસંદગી છે.''

હોમમેઇડ દહીંની વાત કરીએ તો, તેમણે નોંધ્યું કે તેઓ તમને આથોની પ્રક્રિયા પર વધુ કંટ્રોલ આપે છે, “આ તમને દહીંમાં સક્રિય પ્રોબાયોટિક બેક્ટેરિયાની વધારે સાંદ્રતાની ખાતરી કરવા સક્ષમ બનાવે છે. પરિણામે, હોમમેઇડ દહીં પ્રોબાયોટીક્સ સાથે સંકળાયેલા ફાયદા પહોંચાડવાની શક્યતા વધારે છે, જેમ કે આંતરડાના સ્વાસ્થ્ય અને પાચનને પ્રોત્સાહન આપવું.''

જો કે, આનો અર્થ એ નથી કે તમારે પેકેજ્ડ દહીંને સંપૂર્ણપણે છોડી દેવું જોઈએ કારણ કે તે હજુ પણ સંતુલિત આહારનું મૂલ્યવાન ઘટક બની શકે છે. કપૂરે કહ્યું હતું કે, “તે પ્રોટીન અને કેલ્શિયમના સારા સ્ત્રોત તરીકે કામ કરે છે. જ્યારે પેશ્ચ્યુરાઇઝેશનને કારણે પ્રોબાયોટિક સામગ્રી ઓછી હોઈ શકે છે, તે હજુ પણ કેટલાક પોષક લાભો પ્રદાન કરે છે. જો સગવડ અથવા ઉપલબ્ધતા તમારા માટે પ્રાથમિકતા છે, તો પેકેજ્ડ દહીં એક અનુકૂળ વિકલ્પ બની શકે છે.''

નિષ્કર્ષમાં, ન્યુટ્રિશનિસ્ટે કહ્યું કે પેકેજ્ડ દહીં અને હોમમેઇડ દહીં વચ્ચેની પસંદગી તમારી પ્રાથમિકતાઓ અને ઇચ્છિત પ્રોબાયોટિકના સેવન પર આધારિત છે. તેમણે કહ્યું હતું કે, “જો સક્રિય પ્રોબાયોટીક્સની ખાસ માંગ કરવામાં આવે તો, હોમમેઇડ દહીં એ આદર્શ વિકલ્પ છે. જો કે, જો સગવડતા પ્રાધાન્ય આપે છે, તો પેક્ડ દહીં હજુ પણ પોષક મૂલ્ય પ્રદાન કરી શકે છે, ભલે પ્રોબાયોટિક સામગ્રી ઓછી હોય. પેક્ડ દહીં પસંદ કરતી વખતે ઘટકોની સૂચિ તપાસવાની ખાતરી કરો અને ઓછી પ્રક્રિયા અને કુદરતી ઘટકોને પ્રાધાન્ય આપતી બ્રાન્ડ પસંદ કરો.''

આ પણ વાંચો: Arsenic Contamination : આર્સેનિક દૂષણવાળો ખોરાક અને પાણી વૈશ્વિક જાહેર આરોગ્યની ચિંતા, આર્સેનિક કેવી રીતે કેન્સરનું કારણ બને છે? જાણો અભ્યાસ શું કહે છે?

તેના વિશે વાત કરતાં, વાણી ક્રિષ્ના, ચીફ ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, મણિપાલ હોસ્પિટલ, વર્થુર રોડ, બેંગ્લોર જણાવ્યું હતું કે દહીં કુદરતી પ્રોબાયોટિક છે અને તેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની દૈનિક જરૂરિયાત અને અન્ય ટ્રેસ મિનરલ્સ પણ હોય છે. તેમણે કહ્યું હતું કે, "ઘરેલુ દહીં પેક્ડ દહીં કરતાં આરોગ્યપ્રદ છે કારણ કે તેમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ અને સ્વાદ નથી.''

ક્રિષ્નાએ ઉમેર્યું હતું કે ઘરે બનાવેલા દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે લેક્ટોબેસિલસ તરીકે ઓળખાય છે જે આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે અને પાચન સુધારવામાં મદદ કરે છે અને કોઈપણ પ્રકારની પેટની સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, “દહીંમાં જોવા મળતા જીવંત બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે. ઘરે બનાવેલા દહીંમાં જેટલું વધુ આથો આવે છે, તેટલા વધુ પ્રોબાયોટીક્સ પ્રાપ્ત કરી શકાય છે.''

બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips