Health Tips: કબજિયાત અને સાંધાના દુખાવામાં રાહત માટે ઘીનું આ રીતે કરો સેવન, જાણો આચાર્ય બાલકૃષ્ણ પાસેથી

Health Benefits Of Ghee With Warm Water: આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર ઘી પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે તેમજ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે કબજિયાત, સાંધાના દુખાવા અને આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

Health Benefits Of Ghee With Warm Water: આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર ઘી પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે તેમજ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે કબજિયાત, સાંધાના દુખાવા અને આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Ghee Benefits | butter benefits

Ghee Benefits : ઘી ખાવાના ફાયદા (Photo: Freepik)

Health Benefits Of Ghee With Warm Water: આહારમાં દેશી ઘીનો નિયમિત ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તેનાથી પાચન સંબંધી સમસ્યાઓ તો દૂર થાય જ છે, સાથે જ અનેક બીમારીઓથી પણ રાહત મળે છે. દેશી ઘીમાં પોષણ ભરપૂર માત્રામાં હોય છે. આયુર્વેદ અનુસાર દેશી ઘી માત્ર ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે જ નહીં, પણ કુદરતી ઔષધની જેમ કામ કરે છે. ખાસ કરીને જ્યારે તેને ગરમ પાણીમાં મિક્સ કરીને સવારે ખાલી પેટ પીવામાં આવે તો તેનાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. આચાર્ય બાલકૃષ્ણએ ઘીના ફાયદા વર્ણવ્યા છે.

Advertisment

આચાર્ય બાલકૃષ્ણના જણાવ્યા અનુસાર, ઘી પૌષ્ટિક ગુણોથી ભરપૂર છે તેમજ સ્વાસ્થ્ય માટે કોઈ વરદાનથી ઓછું નથી. ઘીમાં વિટામિન-કે, વિટામિન-એ, વિટામિન-ડી, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પુષ્કળ પોષક તત્વો હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે કબજિયાત, સાંધાના દુખાવા અને આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

કબજિયાતથી રાહત મળશે

જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો દેશી ઘી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. દેશી ઘીમાં લ્યુબ્રિકેટિંગ ગુણ હોય છે, જે આંતરડાને લુબ્રિકેશન આપીને પાચનમાં સુધારો કરે છે. સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે ઘી પીવાથી આંતરડાની ગતિ સરળ થાય છે અને જુની કબજિયાતથી પણ રાહત મળે છે. પ્રાચીન કાળથી, જમતા પહેલા એક ચમચી ઘી ખાવામાં આવતું હતું, જે આંતરડાને વધુ સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

સાંધાના દુખાવામાં રાહત

ઘીમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. આ સાથે ઘીનું સેવન કરવાથી સાંધાના દુખાવામાં પણ રાહત મળે છે. ઘીમાં કુદરતી એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે બળતરા ઘટાડે છે. તેનાથી સાંધાના લુબ્રિકેશનમાં વધારો થાય છે, જેનાથી ચાલવામાં દુખાવો થતો નથી.

Advertisment

રોગપ્રતિકારક શક્તિમાં વધારો

ઘીમાં રહેલું બ્યુટિક એસિડ રોગ સામે લડતા ટી કોષોના ઉત્પાદનમાં મદદ કરે છે. દેશી ઘી શરીરની પાચનક્રિયાને વધારે છે. આ સાથે જ રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જે મોસમી રોગોનું જોખમ ઘટાડે છે.

ત્વચા માટે ફાયદાકારક

સવારે ખાલી પેટે ગરમ પાણી સાથે ઘીનું સેવન કરવાથી ત્વચાને ઘણો ફાયદો થાય છે. આ કોમ્બિનેશન શરીરને અંદરથી હાઈડ્રેટ કરે છે, જેનાથી ત્વચા ચમકદાર બને છે. તે વાળ ખરવા અને ડ્રાયનેસને પણ ઘટાડે છે.

જીવનશૈલી health tips