શિયાળામાં બદામ કે ઈંડા નહીં આ ચીજનું સેવન કરો, શરીરની નબળાઈ દૂર કરી ઠંડીથી બચાવશે અને પાચનતંત્ર સ્વસ્થ રહેશે

Health Benefits Of Peanuts In Winter: શિયાળામાં ઠંડીથી બચવા લોકો બદાર અને ઈંડાનું સેવન કરે છે. સીંગદાણામાં વિવિધ પોષક તત્વો ભરપૂર પ્રમાણ હોય છે, જે ઠંડીથી શરીરનું રક્ષણ કરવાની સાથે સાથે કબજિયાત જેવી પેટ સંબંધિત બીમારીથી પણ બચાવે છે.

Written by Ajay Saroya
January 17, 2024 21:14 IST
શિયાળામાં બદામ કે ઈંડા નહીં આ ચીજનું સેવન કરો, શરીરની નબળાઈ દૂર કરી ઠંડીથી બચાવશે અને પાચનતંત્ર સ્વસ્થ રહેશે
શિયાળામાં શરીરને ગરમ રાખવા અને ઠંડીથી બચાવવા લોકો વિવિધ પ્રકારની ચીજોનું સેવન કરતા હોય છે. (Photo - Freepik)

Health Benefits Of Peanuts In Winter: ઉત્તર ભારત સહિત ઘણા રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે અને લોકો ઠંડી સહન કરી શકતા નથી. આ સિઝનમાં શરીરને ગરમ રાખવા માટે લોકો વિવિધ પ્રકારના પાક અને ભોજનનું સેવન કરવાનો આગ્રહ રાખે છે. શરીરને ગરમ રાખવા માટે લોકો ડ્રાયફ્રૂટ્સ, નોન-વેજ ફૂડ અને અનેક પ્રકારના સીડ્સનું સેવન કરે છે. કેટલાક લોકો શરદીથી બચવા માટે બદામ અને ઈંડાના સેવન પર વધુ ભાર મૂકે છે. શું તમે જાણો છો, મગફળીમાં બદામ અને ઈંડા કરતાં વધુ ગરમી હોય છે! હા, મગફળી તમને શિયાળામાં ગરમ ​​રાખી શકે છે.

શિયાળામાં સીંગદાણાનું સેવન કેમ કરવું જોઇએ? – જાણો સદગુરુ પાસેથી (Sadhguru Health Tips)

દગુરુ જગ્ગુ વાસુદેવ સવારના નાસ્તામાં સીંગદાણાનું સેવન કરે છે. સીંગદાણા ખાવામાં સ્વાદીષ્ટ, પેટ ભરનાર અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં સીંગદાણાનું સેવન કરવાથી શરીરને તાકાત મળે છે, ઠંડી દૂર થાય છે અને ઘણી બીમારીઓથી બચાવે છે. ચાલો જાણીયે કે 100 ગ્રામ સીંગદાણાનું સેવન શિયાળામાં કેમ કરવું જોઇએ અને તેનાથી સ્વાસ્થ્યને શું ફાયદા થાય છે.

sadhguru jaggi vasudev | sadhguru jaggi vasudev life | sadhguru jaggi vasudev Photo | sadhguru jaggi vasudev video | sadhguru jaggi vasudev quotes | sadhguru jaggi vasudev Book | sadhguru jaggi vasudev Yoga | sadhguru jaggi vasudev isha foundation | isha foundation
દગુરુ જગ્ગી વાસુદેવ ધ્યાન-યોગ અને આધ્યાત્મિકના પ્રચારક અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક છે. (Photo: isha.sadhguru.org)

શિયાળામાં મગફળી ખાઓ, તમને ઈંડા જેટલું પ્રોટીન મળશે (Peanuts Nutrition)

પ્રોટીન એ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે મેળવવા માટે લોકો ઈંડાનું સેવન કરે છે. તમે જાણો છો કે મગફળીનું સેવન કરવાથી શરીરને પૂરતું પ્રોટીન મળે છે. મગફળીમાં વિવિધ પ્રમાણમાં તમામ 20 એમિનો એસિડ હોય છે અને તે આર્જીનાઈન નામના પ્રોટીનનો સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. શિયાળામાં શરીરમાં પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે તમે સીંગદાણાની ચિક્કી અને સલાડમાં મિક્સ કરીને ખાઈ શકો છો.

100 ગ્રામ મગફળીના સેવનથી સંપૂર્ણ દિવસ માટે શક્તિ મળશે (Peanuts Calories 100g)

સીંગદાણામાં વિટામિન્સ, મિનરલ્સ, પોષક તત્વો, એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન બી, કોમ્પ્લેક્સ, નિયાસિન, રિબોફ્લેવિન, થિયામીન, વિટામિન બી6, વિટામિન બી9 અને પેન્ટોથેનિક એસિડ હોય છે, જે તેના પોષક મૂલ્યમાં વધારો કરે છે અને દિવસભર શરીરને શક્તિ આપે છે. આ બધા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખે છે અને શક્તિ આપે છે. જેમ બદામ અને ઈંડાના સેવનથી શરીરને શક્તિ મળે છે, તેવી જ રીતે સીંગદાણા ખાવાથી તમારા શરીરને શક્તિ મળે છે.

health benefits of peanuts | peanuts Health benefits | peanuts nutrition | why eat peanuts in winter | winter food tips | winter health tips | winter lifestyle tips
સીંગદાણામાં વિવિધ પ્રકારના પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે. (Photo – Freepik)

સીંગદાણાનું સેવન કરવાથી પાચનતંત્ર સારું રહેછે. સીંગદાણામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર હોય છે જે પાચનમાં મદદ કરે છે. જો રોજ મુઠ્ઠી જેટલા સીંગદાણા ખાવામાં આવે તો પાચનક્રિયા સારી રહી શકે છે. તેનું સેવન કરવાથી કબજિયાતમાં રાહત મળે છે.

આ પણ વાંચો | દરરોજ એક બાફેલા આમળાના સેવનથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે? જાણો હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી

શરીરનું વજન કન્ટ્રોલમાં રહેશે (Body Weight Control Tips)

ફાઈબરથી ભરપૂર સીંગદાણા વજન ઘટાડવા માટે બેસ્ટ ફૂડ છે. તેનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. આ ખાધા પછી તમને વધુ ખાવાનું મન થતું નથી અને તમારું વજન નિયંત્રણમાં રહે છે. મુઠ્ઠીભર સીંગદાણા શિયાળામાં તમારા હેલ્થની તમામ જરૂરિયાતો પૂરી કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ